Gandhi Image: રશિયન બિયર ટીન પર ગાંધીજીની તસ્વીર, ભારતમાં હોબાળો, મધર ટેરેસા, નેલ્સન મંડેલાની પણ તસ્વીરો વાઈરલ

  • World
  • February 14, 2025
  • 0 Comments

Mahatma Gandhi Image On Russian Beer: રશિયાની એક કંપનીએ બિયર ટીન પર ગાંધીજીની તસ્વીર છાપતાં વિવાદ થયો છે. ભારતીયો રોષ ઠાલવી રહ્યા છે અને કંપની સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વિડિયો વાઈરલ થયો હતો. જેમાં રશિયાની એક કંપનીએ બિયર પર ગાંધીજીનો ફોટા છાપવામાં આવ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે આ તસ્વીરોવાળી બિયરની બટલો મૉસ્કોના સર્ગિએવ પોસાદ સ્થિત રેવૉર્ટ બ્રૂઅરી કંપની બનાવી રહી છે. ગાંધીજી સાથે  મધર ટેરેસા, નેલ્સન મંડેલા જેવા મહાન લોકોની પણ તસ્વીરો છાપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

જો કે વાયરલ થયેલા એક વીડિયોમાં રશિયન બીયરના કેન પર મહાત્મા ગાંધીની તસ્વીર દર્શાવવામાં આવી હતી, જેનાથી ભારે વિવાદ થયો છે. અહેવાલો અનુસાર, રેવોર્ટ બ્રાન્ડ બ્રૂઅરી કંપનીએ બિયર કેન પર ગાંધીજીનો ફોટો અને હસ્તાક્ષર છાપેલા છે. આ પહેલી વાર નથી કે ગાંધીજીની ઓળખ દારૂના ઉત્પાદન સાથે જોડાઈ હોય. પહેલા પણ આવી તસ્વીરો શેર કરવમાં આવી હતી.

ભારતીયો તરફથી તીવ્ર પ્રતિક્રિયા

જોકે વાઈરલ તસ્વીરો અને વિડિયોને લઈ ભારતીય લોકોએ સોશિયલ મીડિયા પર જોરદાર વિરોધ વ્યક્ત કર્યો છે. અને તેને મહાત્મા ગાંધીનું અપમાન ગણાવ્યું છે. લોકો એ વાતથી ગુસ્સે છે કે ગાંધીજી, જેમણે જીવનભર દારૂથી દૂર રહેવાની હિમાયત કરી હતી, તેમની છબી દારૂના ઉત્પાદન પર લગાવવામાં આવી હતી. ઘણા લોકો માને છે કે આ ઉત્પાદનો પર ટૂંક સમયમાં પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે.

ગાંધી ઉપરાંત, અન્ય મહાનુભાવોના ફોટા પણ  

અહેવાલો અનુસાર, આ રશિયન દારૂ કંપની મધર ટેરેસા, નેલ્સન મંડેલા અને માર્ટિન લ્યુથર કિંગ જુનિયર જેવા અન્ય પ્રખ્યાત નેતાઓની છબીઓવાળા બીયર કેન પણ બનાવે છે.

અમેરિકાએ ગાંધીજીનો ફોટો છાપતા માગવી પડી હતી માફી

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ એક અમેરિકન કંપનીએ 2015માં પોતાના બિયર કેન અને બોટલો પર મહાત્મા ગાંધીનો ફોટો લગાવ્યા બાદ માફી માંગી હતી. કંપની વિરુદ્ધ હૈદરાબાદની કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં કંપની પર ‘મહાત્મા ગાંધીનું અપમાન કરવાનો’ આરોપ મૂકવામાં આવ્યો હતો.

 

આ પણ વાંચો: Ahmedabad: ઇસનપુરની શક્તિ વિદ્યાવિહાર સ્કૂલ તોડી પડાશે, વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું?

આ પણ વાંચો: Pulwama Attack: 14 ફેબ્રુઆરીનો એ દિવસ ક્યારેય દેશ ભૂલશે નહીં, 40 જવાનો થયા હતા શહીદ, ભારતે કરી હતી એરસ્ટ્રાઈક!

આ પણ વાંચો: AMC Budget: અમદાવાદ મનપાનું 15,502 કરોડનું બજેટ રજૂ, વાંચો સમગ્ર વિગત

આ પણ વાંચો: Surat: મહિલા પર સામૂહિક બળાત્કાર ગુજારવાના મામલામાં મુખ્ય આરોપીની ધરપકડ

આ પણ વાંચો: શેરમાર્કેટ ઊંધા માથે; સ્મોલકેપ-મીડકેપના રોકાણકારોને સાત લાખ કરોડનું નુકસાન

 

 

Related Posts

Liberal World Order Crisis: લિબરલ વર્લ્ડ ઓર્ડરના પતનની પાછળની અસલી કહાની
  • June 15, 2026

Liberal World Order Crisis: લિબરલ વર્લ્ડ ઓર્ડર કે જેને આપણે આધુનિક સંસ્કારી દુનિયાનો પાયો માની રહ્યા હતા, તે આજે પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ રહ્યું છે. આ નિષ્ફળતા માત્ર નીતિગત…

Continue reading
Pakistan Economic Survey and Budget: પાકિસ્તાનનો આર્થિક સર્વે સ્થિરતાની વાત કરે છે, પરંતુ બજેટે વિકાસના નબળા પાયાને ઉજાગર કર્યો
  • June 15, 2026

Pakistan Economic Survey and Budget: પાકિસ્તાનના નાણા મંત્રાલય દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા આર્થિક સર્વેક્ષણ અને આગામી નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટ દસ્તાવેજો એક વિચિત્ર અને ચિંતાજનક આર્થિક ચિત્ર રજૂ કરે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

India Aviation Safety Crisis: ભારતીય ઉડ્ડયન ક્ષેત્રની ચમક પાછળ છુપાયેલી સુરક્ષાની ડરામણી હકીકત

  • June 15, 2026
  • 3 views
India Aviation Safety Crisis: ભારતીય ઉડ્ડયન ક્ષેત્રની ચમક પાછળ છુપાયેલી સુરક્ષાની ડરામણી હકીકત

AN-32 Jorhat Crash 2026: વાયુસેનાના જર્જરિત AN-32 વિમાનો ક્યાં સુધી સૈનિકોનો જીવ લેશે?

  • June 15, 2026
  • 5 views
AN-32 Jorhat Crash 2026: વાયુસેનાના જર્જરિત AN-32 વિમાનો ક્યાં સુધી સૈનિકોનો જીવ લેશે?

AIIMS Bhopal: AIIMS ભોપાલમાં મોટી બેદરકારી, ત્રણ વર્ષના કેન્સરના દર્દીને ખોટું ઇન્જેક્શન આપતા મોત

  • June 15, 2026
  • 10 views
AIIMS Bhopal: AIIMS ભોપાલમાં મોટી બેદરકારી, ત્રણ વર્ષના કેન્સરના દર્દીને ખોટું ઇન્જેક્શન આપતા મોત

Liberal World Order Crisis: લિબરલ વર્લ્ડ ઓર્ડરના પતનની પાછળની અસલી કહાની

  • June 15, 2026
  • 10 views
Liberal World Order Crisis: લિબરલ વર્લ્ડ ઓર્ડરના પતનની પાછળની અસલી કહાની

TMC MPs NCPI controversy: હજાર મત પણ નહીં મેળવનારી NCPI અચાનક 20 સાંસદોની પાર્ટી કેવી રીતે બની?

  • June 15, 2026
  • 10 views
TMC MPs NCPI controversy: હજાર મત પણ નહીં મેળવનારી NCPI અચાનક 20 સાંસદોની પાર્ટી કેવી રીતે બની?

Ayodhya Ram Mandir Corruption: અયોધ્યાના રામ મંદિરના નામે કરોડોનું રાજકારણ? ચઢાવાથી લઈને જમીન સોદા સુધીના વિવાદો

  • June 15, 2026
  • 12 views
Ayodhya Ram Mandir Corruption: અયોધ્યાના રામ મંદિરના નામે કરોડોનું રાજકારણ? ચઢાવાથી લઈને જમીન સોદા સુધીના વિવાદો