
Gandhinagar PT teachers movement: છેલ્લા 16 દિવસથી ગાંધનીગરમાં રાજ્યના વ્યાયામ શિક્ષકો આંદોલન કરી રહ્યા છે. ઉગ્ર વિરોધ છતાં સરકાર વ્યાયામ શિક્ષકોની માંગણીઓ સ્વીકારવા તૈયાર નથી. કારણ કે આ વ્યાયામ શિક્ષકોની જગ્યાએ સરકાર હવે કાયમી થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. સરકારને ખબર છે ગમે તેટલો વિરોધ કરશે પણ ગુજરાતમાં અમે જ સરકાર બનાવીશું. જેથી ગુજરાત સરકારને વ્યાયામ શિક્ષકો, આરોગ્યકર્મીઓના વિરોધ પ્રદર્શનની કોઈ અસર થઈ રહી નથી. ઉપરથી સરકાર તેમને નોકરીમાંથી કાઢી મૂકી રહી છે. ગંભીર પ્રકારની ચેતવણીઓ આપી રહી છે. ફરિયાદો નોંધી રહી છે.
આજે ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકો 16 દિવસથી આંદોલન કરી રહ્યા છે. વ્યાયામ શિક્ષકો સચિવાયલ ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. જ્યા તેમની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. વ્યાયામ શિક્ષકો કાયમી ભરતીની માગ કરી રહ્યા છે. આંદોલનકારીઓનું કહેવું છે કે સરકારે વ્યાયામ શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરૂ કરવી જોઈએ, કારણ કે ઘણા ઉમેદવારો લાંબા સમયથી નોકરીની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન, પોલીસે કેટલાક આંદોલનકારીઓની અટકાયત પણ કરી હોવાના અહેવાલ છે, જેનાથી આ મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો છે.
સચિવાલય ખાતે વ્યાયામ શિક્ષકના આંદોલન ના સમર્થનમાં NSUI કાર્યકરો પણ જોડાયા હતા. ત્યારે પોલીસે NSUIના આગેવાનો, કાર્યકરો અટકાયત કરી હતી. NSUI કહ્યું જ્યાં સુધી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
સરકારને વિરોધ કેમ નડતો નથી?
પ્રાચીની ભારતામાં ગુરુઓનું મોટું માન-સન્માન કરવામાં આવતું હતુ. જો કે આ આધુનિક ભારતામાં ગુરુઓની ટિંગાટોળીઓ થઈ રહી છે માર મારવામાં આવી રહ્યો છે. જે ગુજરાત સહિત દેશ માટે શરમજનક ઘટનાઓ કહી શકાય છે. જો કે સરકારને શરમ આવતી નથી, તે અલગ વાત છે. તેને ખબર છે કે શિક્ષિત લોકો ગમે તેટલા ધમપછાડા કરી લે છેલ્લે કશું થવાનું નથી. સરકાર તો અમારી બનાવાની છે. જેથી સરકારને વિરોધ નડતો નથી. સરકારને હવે વિરોધનો શૂૂર સામાન્ય લાગે છે. જેથી લોકોએ જાગૃત થવું પડશે.
આ પણ વાંચોઃ બાંગ્લાદેશે ભારતની ઘેરાબંધી કરવા ચીનને બોલાવ્યું!, પવન ખેડાએ કહ્યું દેશ દયનીય સ્થિતિમાં! | Pawan Kheda