Gir Somanath: દિનુ બોઘાએ પોતે કરેલા દબાણો દૂર કરવા બૂલડોઝર લઈ પહોંચ્યા?, શું છે કારણ?

Gir Somanath News:  હાલ ચર્ચામાં રહેતાં  ભાજપ નેતા અને પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીએ પોતે કરેલા દબાણો દૂર કરવા ગીર સોમનાથમાં જેસબી, ટ્રેક્ટર સહિતના વાહનો લઈને પહોંચ્યા છે. ત્યારે સૌ કોઈ અચરજમાં મૂકાઈ ગયા છે. દિનુ સોલંકી વિરુધ્ધ વારંવાર ગેરકાયદેસરના દબાણો હટાવવાની ફરિયાદો અને આવેદનો અપાયા છે. દિનુ સોલંકી અને કલેક્ટર વચ્ચે પણ ઘણા સમયથી રસ્સાકસી થઈ રહી છે. દિનુ સોલંકી પર ખાણ-ખનિજની જમીનો પર દબાણ કર્યાના આરોપ છે.

ત્યારે દિનુ સોલંકીએ ખાણ ખનીજોની જમીનો પર કરેલા દબાણો દૂર કરવા પહોંચ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.  સવાલ એ છે કે હવે દબાણ કેમ દૂર કરવા લગ્યા?  શું આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવી રહ્યા છે એટલે?. અમિત શાહ એવી છાપ ધરાવે છે કે તે કોઈની શરમ રાખ્યા વગર કામ કરે છે. ત્યારે હવે ગીર સોમનાથમાં પૂર્વ સાંસદે દબાણો દૂર  કરવા કામ ચાલુ કર્યુ છે.

ગીર સોનાથની કેન્દ્રિય ગૃહ મંત્રી મુલાકાત લેવાના છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 8 અને 9 માર્ચે એમ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન શાહ જુનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે, જેમાં ધાર્મિક, સામાજિક અને વિકાસલક્ષી કાર્યક્રમોનો સમાવેશ થાય છે.

દિનુ સોલંકીએ દબાણો કર્યાનો લાગ્યા હતા આરોપ

તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લાના તલાલામાં સનાતન હિન્દુ સમાજ દ્વારા દિનુ સોલંકી વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી. આ માટે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. પૂર્વ સાંસદ  દિન સોલંકી અને કલેક્ટર વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી દબાણોને લઇને વિવાદ ચાલી રહ્યો છે.

ભાજપના માનિતા પૂર્વ સાંસદ દિનુ સોલંકી અને ગીર સોમનાથમાં દબાણ દૂર કરી પ્રિય બનેલા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા વિવાદ ચાલી રહ્યો છે. દબાણ હટાવવાને લઇને ગરમાયેલો મામલો હવે વધુ ઉગ્ર બન્યો છે. સનાતન હિન્દુ સમાજ દ્વારા સીએમ અને ગૃહમંત્રીને મામલતદારના માધ્યમથી આ આવેદન આપવામાં આવ્યું છે. પૂર્વ સાંસદ દિનુ સોલંકી સામે કાયદાકીય કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.

ત્યારે બીજી બાજુ દિનુ સોલંકી દબાણો દૂર કરવાના કામે લાગ્યા છે. જો કે આ દબાણો દેખાડા પૂરતાં  હશે કે કાયમી હટાવશે એ પણ એક સવાલ છે. બીજા કઈ કઈ જગ્યાએ દબાણો કર્યા છે તે પણ તપાસનો વિષય છે. ત્યારે હવે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસ બાદ સોમનાથમાં દબાણોની શું સ્થિતિ હશે તે જોવું રહ્યું!

દિનુ બોઘાએ ગીર સોમનાથમાં કલેક્ટર પર ભ્રષ્ટ્રાચારના આરોપ મૂક્યા હતા

અગાઉ દીનુ બોઘા સોલંકીએ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ પર ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવી તપાસની માગ કરી હતી. ત્યારથી પૂર્વ સાંસદ દિનુ સોલંકી અને કલેક્ટર વચ્ચે વિવાદ ચાલે છે.

આ પણ વાંચોઃ Gujarat: 26 તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારીઓની તાત્કાલિક બદલીના આદેશ

આ પણ વાંચોઃ PM MODI: સુરતમાં 71 ટકા ઝૂંપડપટ્ટી દૂર થઈ, ગરીબ ક્યાથી મળ્યા?

આ પણ વાંચોઃ IAF Plane Crash: હરિયાણામાં વાયુસેનાનું પ્લેન જગુઆર ક્રેશ, આ રીતે પાયલોટનો બચાવ્યો જીવ?

આ પણ વાંચોઃ જ્ઞાનપ્રકાશ સ્વામીએ વીરપુર મંદિરે જઈ જલારામ બાપાની માફી માગી| Swami Gyanprakash

Related Posts

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’
  • October 27, 2025

Gujarat Cyclone Forecast: ગુજરાતમાં એક વરસાદી માહોલ તો બીજી તરફ હવે ગુજરાતના દરિયાકાંઠાના તટ વિસ્તારમાં ચક્રવાતની શક્યતાને લઈને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવતા તંત્ર સાબદુ બન્યું…

Continue reading
LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?
  • October 27, 2025

LIC Exposure to Adani: ભારતીય વ્યવસાય જગતના અબજોપતિ ગૌતમ અદાણીને “નસીબદાર” કહીને એક વાયરલ સોશિયલ મીડિયા પોસ્ટે રાજકીય વિવાદને નવી ઊંચાઈએ પહોંચાડ્યો છે. આ પોસ્ટમાં 68 વર્ષ પહેલાંના પ્રખ્યાત ‘મુન્ધરા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

  • October 27, 2025
  • 1 views
Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

  • October 27, 2025
  • 17 views
LIC Exposure to Adani:  અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા?  68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

 SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!

  • October 27, 2025
  • 14 views
 SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!

BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’

  • October 27, 2025
  • 3 views
BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’

Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા

  • October 27, 2025
  • 20 views
Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા

Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો

  • October 27, 2025
  • 22 views
Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો