ગુજરાતના 18 રેલવે સ્ટેશનનું આજે લોકાર્પણ, ડાકોર, કરમસદ સહિત આ સ્ટેશનનો સમાવેશ? | Railway station

 Railway station: કેન્દ્ર સરકાર ગુજરાતના 18 રેલવે સ્ટેશનની કાયાપલટ કરી છે. ગુજરાતમાં 160 કરોડના ખર્ચે તૈયાર થયેલા 18 રેલવે સ્ટેશનોનું આજે PM નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી લોકાર્પણ કરવાના છે. દેશભરના કુલ 103 રેલવે સ્ટેશનું વર્ચ્યુઅલી લોકાર્પણ થવાનું છે. સવારે લગભગ 11 વાગ્યે PM મોદી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે.

 103 રેલવે સ્ટેશનના નવીનીકરણમાં ગુજરાતના ડાકોર, કરમસદ, સામખિયાળી, લીંબડી, મોરબી, જામજોધપુર, જામવંથલી, હાપા, સિહોર, પાલિતાણા, રાજુલા, મહુવા, ઓખા, મીઠાપુર, ઉત્રાણ, કોસંબા, ડેરોલ અને કનાલુસ રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે. રુપિયા 160 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવેલા આ સ્ટેશનો સૌંદર્ય શાસ્ત્ર, સુવિધા અને સંસ્કૃતિનું મિશ્રણ દર્શાવે છે. દરેક સ્ટેશન ગુજરાતની લોક કલા, પરંપરાઓ અને સાંસ્કૃતિક વારસાની ઝલક દર્શાવે છે.

ડાકોરમાં કૃષ્ણભક્તિ પર સ્ટેશનની થીમ

યાત્રાધામ ડાકોર રેલવે સ્ટેશનની વાત કરીએ તો ડાકોરના પ્રસિદ્ધ રણછોડજી મંદિરને પ્રતિબિંબિત કરતી સ્થાપત્ય શૈલી, જેમાં ગુજરાતી કોતરકામ અને રંગોનો ઉપયોગ. અહીં આધુનિક વેઈટિંગ રૂમ, Wi-Fi, અને ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ. વિકલાંગો માટે રેમ્પ અને લિફ્ટની સિવાધા છે. CCTV કેમેરા અને ફાયર-ફાઈટિંગ સિસ્ટમની સુવિધા.
સાથે સાથે સોલર પેનલ્સ અને રેઈનવોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ.

કરમસદ રેલવે સ્ટેશન

PM Modi To Inaugurate 5 Redeveloped Railway Stations In Vadodara On May 22

સતત ચર્ચામાં રહેતા અને  ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળ કરમસદ રેલવે સ્ટેશનની વાત કરીએ તો અહીં બિલ્ડિંગને સમકાલીન અને સૌંદર્યલક્ષી રીતે આકર્ષક માળખામાં ફરીથી ડિઝાઇન કરવામાં આવી છે. પ્રવેશદ્વાર પર એક વારસાથી પ્રેરિત મંડપ મુસાફરો માટે છાંયડાવાળી અને સ્વાગત જગ્યા પ્રદાન કરે છે.

પાલીતાણા રેલવે સ્ટેશન
 પાલીતાણાના જૈન મંદિરોની પ્રેરણાથી ડિઝાઈન, જેમાં શ્વેતાંબર અને દિગંબર જૈન કલાને પ્રદર્શિત કરતાં શિલ્પો તૈયાર કરાયા.  શત્રુંજય ડુંગરના પ્રવાસીઓ માટે ખાસ ટિકિટ કાઉન્ટર અને માહિતી કેન્દ્ર. શહેરના મુખ્ય ભાગો સાથે સ્ટેશનનું સીધું જોડાણ, રેમ્પ અને લિફ્ટની સુવિધા.
મોરબી સ્ટેશન
Virtual Inauguration Of Morbi Wankaner Railway Station Building By Pm On 26th
વર્ષ 1935માં બનેલા મોરબી રેલવે સ્ટેશનની વાત કરીએ તો આ સ્ટેશન લાંબા સમયથી શહેરની સ્થાપત્ય સુંદરતા અને ઔદ્યોગિક વારસાના પ્રતીક તરીકે ઉભું રહ્યું છે. વૈશ્વિક સ્તરે તેના ટાઇલ ઉત્પાદન ઉદ્યોગ માટે જાણીતું, હેરિટેજ-શૈલીની ટાઇલ્સ હવે વેઇટિંગ હોલ અને કોન્કોર્સને શણગારે છે.  મોરબી રેલવે સ્ટેશનનું અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રૂ. 9.98 કરોડના ખર્ચે પુનર્વિકાસ કરવામાં આવ્યું છે. આ નવીનીકરણમાં આધુનિક સુવિધાઓ જેવી કે આધુનિક સ્ટેશન ઇમારત, આરામદાયી પ્રતીક્ષાલય, આધુનિક શૌચાલય, નવા પ્રવેશ અને નિર્ગમન દ્વાર, અને પ્રચંડ પાર્કિંગ વિસ્તારનો સમાવેશ થાય છે, જે મુસાફરોના પ્રવાસને વધુ સુગમ અને સુવિધાજનક બનાવશે.
લોકાર્પણનો લહાવો મળતાં મોદીએ શું લખ્યું હતુ?
PM મોદીએ x પર લખ્યું હતુ કે આવતીકાલનો દિવસ ભારતીય રેલ્વે માટે એક ઐતિહાસિક અને અવિસ્મરણીય દિવસ બનવાનો છે. રાજસ્થાનના બિકાનેરમાં સવારે લગભગ 11.30 વાગ્યે, મને અત્યાર સુધીમાં પુનઃવિકાસ કરાયેલા  100 થી વધુ અમૃત સ્ટેશનોનું ઉદ્ઘાટન કરવાનો લહાવો મળશે. આના કારણે દેશવાસીઓ માટે રેલ મુસાફરી સરળ બનવા જઈ રહી છે.

આ પણ વાંચો:

જાપાનના કૃષિ મંત્રીએ ચોખા પર શું બોલ્યા કે રાજીનામું આપી દેવું પડ્યું? જાણો કારણ! | Taku Eto

Sabarkantha Accident: પ્રાંતિજ નજીક કારની ટક્કરે રિક્ષાએ મારી પલટી, રિક્ષાચાલક ગંભીર!

Vadodara: સરકારી દવાખાનામાં આશાવર્કર પર બળાત્કારનો પ્રયાસ, કપડાં ફાડ્યા, સુરક્ષા પર સવાલો?

Bijnor: રુચિકા પ્રેમી શિવમને મળવા ગઈ પણ તે ક્યારેય ઘરે પાછી ન આવી!, પરિવારે શું કર્યો ખુલાસો!

હું ભાગેડુ નથી, PM ના કાર્યક્રમ માટે સંખ્યા ભેગી કરું છું, પુત્રોની ધરપકડ અને Bachu Khabad ને કાર્યક્રમની પડી?

UP: પ્રેમલગ્ન બાદ યુવક ગર્ભવતી પત્નીને ઘરે લઈ પહોંચ્યો, મળ્યો કરુણ અંજામ!, પત્નીની લાશ ખેતરમાંથી મળી

યોગી રાજમાં લોકોને ATM માં ઊંઘવાનો વારો કેમ આવ્યો?

પાકિસ્તાની સેનાએ પોતાના જ દેશના બાળકો પર ડ્રોન હુમલો કર્યો, 4ના મોત, શું છે કારણ? | Pakistan

Related Posts

Valsad bridge: વલસાડમાં બ્રિજનું ‘સ્કેફોલ્ડિંગ’ધડાકાભેર તૂટી પડ્યું! સ્લેબ ભરતી વખતે તૂટ્યું હોતતો શુ થાત? ગુણવત્તા ઉપર ઉઠ્યા સવાલ
  • December 12, 2025

Valsad bridge: આજકાલના બાંધકામોની ગુણવત્તા ઉપર હંમેશા સવાલો ઉઠતા રહયા છે ત્યારે ખાસ કરીને બ્રિજના નબળા બાંધકામો ઉપર સવાલો ઊઠી રહયા છે આવા સમયે વલસાડના કૈલાશ રોડ સ્થિત ઔરંગા નદી…

Continue reading
Gujarat Lost to Illiteracy: અભણ ગુજરાત: શાળા છોડવાનું પ્રમાણ આખા દેશમાં ગુજરાતમાં સૌથી વધુ!! ડ્રોપ આઉટમાં 341 ટકાનો વધારો!
  • December 11, 2025

(સંકલન,દિલીપ પટેલ) Gujarat Lost to Illiteracy: સંસદમાં કેન્દ્ર સરકારે આપેલા આંકડા મુજબ 2.40 લાખ વિદ્યાર્થીઓ શાળાએ ભણવા જતા નથી. ભાજપ સરકારની નિષ્ફળતા સૂચવે છે. દેશમાં સૌથી વધુ શાળા બહાર કિશોરીઓ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 3 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

  • December 13, 2025
  • 4 views
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

  • December 13, 2025
  • 4 views
Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને  મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

  • December 13, 2025
  • 5 views
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

  • December 13, 2025
  • 10 views
PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું  ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ

  • December 13, 2025
  • 8 views
Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ