Amreli: ધારીના દલખાણીયા ગામે ખોટા બક્ષીસ લેખથી જમીન પચાવી પાડવાનો આરોપ, જુઓ અરજદાર શું કહે છે?

  • Gujarat
  • October 30, 2025
  • 0 Comments

Amreli: અમરેલીના ધારી તાલુકાના દલખાણીયા ગામે વડીલોપાર્જિત જમીન-મિલકત એક ભાઈએ ખોટા બક્ષીસ લેખ કરાવી લઈ પચાવી પાડી છે. જેને લઈ બીજા ભાઈએ આ અંગે કોર્ટમાં ફરિયાદ કર્યા બાદ લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. જો કે હજુ સુધી તેમને જમીનનો કબજો ના મળતાં હેરાન પરેશાન થઈ ગયા છે. તેઓ ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે.

હાલમાં સાવરકુંડલા ખાતે રહેતાં કમલેશભાઈ બાવચંદભાઈ યાદવે આ અંગે દલખાણીયામાં રહેતાં નારાયણભાઈ શાંતીભાઈ યાદવ સામે ધારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કમલેશભાઈની વડિલોની જમીન દલખાણીયામાં જુદાં-જુદાં સર્વે નંબરોમાં આવેલી છે. જેમાં અન્ય કુટુંબીજનોનો પણ જમીન ભાગ છે. તેમના દાદા શાંતિભાઈ રણછોડભાઈ યાદવનું વર્ષ 2010માં અવસાન થયું હતુ. જ્યારે શાંતિભાઈ માંદગીમાં હતા ત્યારે નારાયણ યાદવે બક્ષીસ લેખ જમીન અને મિલકતો  પોતાના નામે કરાવી લીધી હતી.

કમલેશભાઈએ આ અંગે અગાઉ ધારી પોલીસ મથકમાં ફરિયાદ પણ આપી હતી. 2015માં આપેલી ફરિયાદમાં પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી. કોર્ટે આદેશ કર્યો હોવા છતાં તેની ધરપકડ પોલીસે કરી ન હતી. તેમણે કલેક્ટર સમક્ષ લેન્ડગ્રેબીંગની ફરિયાદ પણ કરી હતી. પરંતુ તત્કાલીન મામલતદાર, સર્કલ ઓફિસર, સબ રજીસ્ટાર વગેરેના અહેવાલોના આધારે લેન્ડગ્રેબીંગનો મામલો બનતો ન હોવાનું કહી કેસ દફતરે કર્યો હતો. જેથી કમલેશભાઈએ અમરેલી સેશન્સ કોર્ટમાં ફરિયાદ કરી હતી અને આખરે કોર્ટના હુકમ બાદ નારાયણ યાદવ સામે ગુનો નોંધાયો હતો.

કોર્ટની ફરિયાદમાં નારાયણના બે પુત્રો અને મામલતદાર, સર્કલ ઓફિસર તથા સબ રજીસ્ટારના નામો પણ લખાયા છે. જોકે પોલીસે આ તમામ સામે ગુનો દાખલ કર્યો નથી. પરંતુ તપાસમાં નામો ખુલશે તો તેમની સામે કાર્યવાહી થશે તેમ જણાવ્યું હતુ.

કમલેશભાઈએ આરોપ લગાવ્યો છે કે બે વર્ષ પછી કલેક્ટરે ત્રણ અધિકારીઓને બચાવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અપિલ કરી હતી. જેમાં મને કોર્ટે નોટીસ પાઠવી હતી.  તા. 15-9-25 ના રોજ કલેકટરે 482 મુજબ રદ કરવા કહેલ એફઆઈઆરમાં વડ્રોઈડ કરી અરજી પાછી ખેંચી લીધી હતી. અરજદારે આરોપ લગાવ્યો કે લેન્ડ ગ્રેબીંગમાં ફરિયાદ રદ કરવાની જોગવાઈ નથી. છતાં તપાસ કરતી  પોલીસે સમરી રિપોર્ટ ભર્યો અને કોર્ટે પોલીસની સમરી મંજૂર કરી દીધી છે. કોર્ટમાં ક્રોસ ચેકની અરજી પેન્ડિગ પડી છે અને પોલીસની સમરી મંજૂરી કરી દીધી છે.  લેન્ડ ગ્રેબીંગનો ભંગ કર્યો છે. જેથી અમારી સાથે અન્યાય થયો છે.

મારા દાદા શાંતિભાઈ પાસે ખોટો બક્ષીસ દસ્તાવેજ બનાવી છેતરપીંડી આચરી છે. ધારી મામલતદાર સામે પણ પુરાવા નાશ કરવાનો આરોપ લગાવ્યો છે. અરજદારોનો આરોપ છે કે આની પાછળ રાજકીય વ્યક્તિનું પીઠળ છે, અમે માનસિક રીતે કંટાળ ગયા છીએ.

કમલેશભાઈએ અરજ કરી કે આ મામલો વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,  ગૃહમંત્રી અમિત શાહ સુધી પહોંચાડો. તમામ હકીકતો સાચી છે.

આ પણ વાંચો:

BJP માં અસંતોષ, જૂથવાદ અવિશ્વાસ, ગેરવહીવટ, ભ્રષ્ટાચાર વકર્યો!, હવે ચલાલા ભાજપમાં થયો નવો ડખ્ખો!

Rajkot: ચકડોળના ફિટનેસ સર્ટિફિકેટ માટે 50 હજારની લાંચ લેતા RNBના અધિકારીઓ રંગેહાથ ઝડપાયા

Rajkot: કાળી ચૌદશે રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ, બે સગા ભાઈ સહિત 3 લોકો ગુમાવ્યા જીવ

 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

Related Posts

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો
  • February 1, 2026

Civil hospital: ઉત્તર ગુજરાતમાં એક યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ યુવકને હડકવાના કોઈ લક્ષણ નહિ જણાતા યુવક એકદમ સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.…

Continue reading
SIR: ગુજરાતમાં લાખ્ખો મતદાતાઓના નામ કમી કરાવવામાં કોણ છે મુખ્ય સૂત્રધાર ? ગુનેગારો સામે ફોજદારી પગલાં કેમ ન ભરાયા? વાંચો
  • January 30, 2026

SIR: ગુજરાતમાં ચોક્કસ મતદારોનાજ નામ કમી કરવા 9.88 લાખ ફોર્મ-7 કેમ-કોણે અને કેવી રીતે ભરાયા ? ચૂંટણી પંચ ખુલાસો કેમ કરતું નથી?ગંભીર ગૂનો આચરવામાં આવ્યો હોવાછતાં ફોજદારી કાર્યવાહી કેમ થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

  • February 1, 2026
  • 3 views
World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

  • February 1, 2026
  • 10 views
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

  • February 1, 2026
  • 8 views
Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી   એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

  • February 1, 2026
  • 6 views
Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

  • February 1, 2026
  • 6 views
Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?

  • February 1, 2026
  • 11 views
BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?