Gujarat: સરકાર હવે રેશન કાર્ડને રહેઠાણનો પુરાવો માનવા તૈયાર નહીં, શું છે કારણ?

  • Gujarat
  • October 16, 2025
  • 0 Comments

Gujarat Ration Card: ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં હવેથી નાગરિકો રેશનકાર્ડનો ઉપયોગ ઓળખના પુરાવા (Identity Proof) કે રહેઠાણના પુરાવા (Address Proof) તરીકે કરી શકાશે નહીં. રેશન કાર્ડ હવે માત્ર રેશનિંગ તથા ગેસ કનેક્શન માટે જ માન્ય રહેશે.

નાગરિકોએ હવે સરકારી કે બિન-સરકારી કામકાજમાં ઓળખ અથવા રહેઠાણના પુરાવા માટે હવેથી આધાર કાર્ડ, મતદાર કાર્ડ અથવા પાસપોર્ટ જેવા અન્ય માન્ય દસ્તાવેજોનો ઉપયોગ કરવો પડશે.

ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પરિપત્ર જાહેર કરીને કહેવાયું છે કે, રેશનકાર્ડની માન્યતા હવે માત્ર રેશનકાર્ડ મેળવવા અને રાજ્ય સરકારની જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) હેઠળ સબસિડીવાળું અનાજ મેળવવા પૂરતી જ સીમિત રહેશે.

પરિપત્રમાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગના વંચાણે લીધેલ ક્રમ-(૧) પરના તા.28/09/1994ના પત્રથી રેશનકાર્ડનો ઉપયોગ ફક્ત આવશ્યક ચીજવસ્તુઓ મેળવવા માટે જ કરવા સંબંધિત સૂચના આપવામાં આવેલ છે.

ભારત સરકારના અન્ન અને જાહેર વિતરણ મંત્રાલયના વંચાણે લીધેલ ક્રમ-(૨) પરના તારીખ 20/03/2015ના Targeted Public Distribution System (Control) Order, 2015ની કંડિકા નં. 4 રેશનકાર્ડ સંબંધિત જોગવાઈઓ/સૂચનાઓ સમાવિષ્ટ છે.

રેશનકાર્ડ રહેઠાણ ના પુરાવા તરીકે માન્ય નહિ રહે કંડીકા નં-4(6) થી -Ration Card Shall not be document of identity or proof of residence” મુજબની જોગવાઈ કરવામાં આવેલ છે.  ગુજરાત માહિતી આયોગના વંચાણે લીધેલ ક્રમ-(૩) પરના તા.05/08/2025ના હુકમ અન્વયે રાશનકાર્ડના ઉપયોગ સંબંધિત સૂચના પ્રસિદ્ધ કરવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી.

કાળજીપૂર્વકની વિચારણાના અંતે રાશનકાર્ડના ઉપયોગ સંબંધિત નીચે મુજબની સૂચના પરિપત્રિત કરવામાં આવે છે. સરકારના આ નિર્ણયને કારણે હવે બેંક ખાતું ખોલાવવું, મોબાઇલ સિમ કાર્ડ મેળવવું, કે સરકારી યોજનાઓનો લાભ લેવા જેવી વિવિધ સેવાઓ અને દસ્તાવેજો માટે રેશનકાર્ડ રજૂ કરી શકાશે નહીં. આ માટે નાગરિકોએ આધાર કાર્ડ, પાસપોર્ટ, ચૂંટણી કાર્ડ અથવા અન્ય માન્ય સરકારી દસ્તાવેજોનો ઉપયોગ કરવો પડશે.

આ નિર્ણયનો હેતુ રેશનકાર્ડનો દુરુપયોગ અટકાવવાનો અને તેના મૂળ હેતુ ગરીબ તથા જરૂરિયાતમંદ લોકોને અનાજનું વિતરણ સુનિશ્ચિત કરવાનું સરકારનું માનવું છે.

આ નિર્ણય કેન્દ્ર સરકારના ‘ટાર્ગેટેડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ (કંટ્રોલ) ઓર્ડર, 2015’ ની કલમ 4(6) અને ગુજરાત માહિતી આયોગના તાજેતરના હુકમને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. વિભાગના ઉપ સચિવ અમિત સંગાડાની સહીથી જારી થયેલા આ પરિપત્રનો તાત્કાલિક અમલ કરવા માટે તમામ જિલ્લા કલેક્ટરશ્રીઓને સૂચના આપી દેવામાં આવી છે.

આ પણ વાંચો:

Gujarat politics: ગુજરાતમાં દિવાળી પહેલા મોટા રાજકીય ફેરફારોની અટકળો તેજ, દિલ્હીમાં હાઈકમાન્ડ સાથે મહત્વપૂર્ણ બેઠકો

Ring One: હવે ‘વીંટી’થી થઈ જશે ઓનલાઈન પેમેન્ટ, સ્માર્ટફોન, વોલેટ જૂના થયા!, જાણો કિંમત

IND vs AUS ODI: ભારતીય ખેલાડીઓની ઓસ્ટ્રેલિયાની ટીમે ઉડાવી મજાક, પાકિસ્તાની ટીમ સાથે હાથ નહિ મિલાવવા મુદ્દે કર્યા અભદ્ર ઈશારા

Supreme Court: ક્રિકેટની રમત હવે એક ધંધો બની ગયો, જાણો કોર્ટે આવું કેમ કહ્યું?

 

Related Posts

Jungleshwar Demolition Food Bill: ૨૭ લાખનો નાસ્તો, શું રાજકોટ મનપાના અધિકારીઓ માટે જંગલેશ્વર ડિમોલિશન એક ‘પાર્ટી’ હતી?
  • June 26, 2026

Jungleshwar Demolition Food Bill: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગત ફેબ્રુઆરી મહિનામાં થયેલું મેગા ડિમોલિશન એક તરફ હજારો પરિવારો માટે તેમના જીવનનો સૌથી કાળો અધ્યાય બનીને રહ્યું, તો બીજી તરફ આ જ…

Continue reading
Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાં નકલી બ્લડ પ્લાઝ્માના કરોડોના કથિત કારોબારનો પર્દાફાશ
  • June 26, 2026

Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાંથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને લાંછન લગાડે તેવી ઘટના સામે આવી છે, જ્યાં કૅન્સર અને હીમોફીલિયા જેવા જીવલેણ રોગોની સારવાર માટે વપરાતા ‘પીળા બ્લડ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat Gir Lion Relocation: ગામ-ખેતરના સિંહોનું જંગલમાં ધકેલવા ઓપરેશન, અર્જૂન મોઢવાડિયાના નિર્ણય સામે વિરોધ, દીપડા, સિંહો અને માનવ વચ્ચે ઘર્ષણ વધી રહ્યાં છે.

  • June 29, 2026
  • 3 views
Gujarat Gir Lion Relocation: ગામ-ખેતરના સિંહોનું જંગલમાં ધકેલવા ઓપરેશન, અર્જૂન મોઢવાડિયાના નિર્ણય સામે વિરોધ, દીપડા, સિંહો અને માનવ વચ્ચે ઘર્ષણ વધી રહ્યાં છે.

UP Brahmin Politics: ઉત્તર પ્રદેશમાં બદલાતા રાજકીય સમીકરણો, શું બ્રાહ્મણ વોટ બેંકમાં સેંધ મારી શકશે સમાજવાદી પાર્ટી?

  • June 28, 2026
  • 4 views
UP Brahmin Politics: ઉત્તર પ્રદેશમાં બદલાતા રાજકીય સમીકરણો, શું બ્રાહ્મણ વોટ બેંકમાં સેંધ મારી શકશે સમાજવાદી પાર્ટી?

Bet Dwarka Temple Treasure Controversy: આ કયો મોરલો કળા કરી જાય છે ભાઈ? રામ પછી હવે કાનુડાના ઘેર ધાડ!

  • June 28, 2026
  • 9 views
Bet Dwarka Temple Treasure Controversy: આ કયો મોરલો કળા કરી જાય છે ભાઈ? રામ પછી હવે કાનુડાના ઘેર ધાડ!

Ayodhya Ram Mandir Donation Theft: VHP-BJP-RSSનું મંદિર ષડયંત્ર, ડો. તોગડિયાને હટાવનારાનું ખરું સત્ય

  • June 28, 2026
  • 13 views
Ayodhya Ram Mandir Donation Theft: VHP-BJP-RSSનું મંદિર ષડયંત્ર, ડો. તોગડિયાને હટાવનારાનું ખરું સત્ય

Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

  • June 27, 2026
  • 6 views
Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

  • June 27, 2026
  • 7 views
Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ