
Jignesh Mevani: કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પોતાના પક્ષ પર જ ગુસ્સે ભરાયા છે. અમરેલીમાં દલિત યુવાનની હત્યા બાદ મેવાણીએ X પર પોસ્ટ કરી ગુજરાત કોંગ્રેસના નેતાઓને આડે હાથ લીધા છે.
મેવાણીએ X પર પોસ્ટ કરી લખ્યું છે કે, હવે તો બીજા પક્ષના નેતા પણ કહી ગયા કે તમારામાં ફૂટેલી કારતૂસો ભરી છે. કાઢો ને, શેની રાહ જુઓ છો?. બી ટીમ, ફૂટેલી કારતૂસો, સામેના કેમ્પ જોડે સેટિંગ કરવા વાળા, લગ્નના ઘોડા આ બધાને કાઢવામાં દુઃખે છે ક્યાં? મારું નહિ તો રાહુલજીનું તો માનો!
જીગ્નેશ મેવાણી આ પોસ્ટ કોંગ્રેસ અંગે ઘણું બધુ કહી જાય છે. કે કોંગ્રેસના જ નેતાઓ ભાજપા સાથે મળેલા છે. ભાજપા સાથે કોંગ્રેસના નેતાઓ સેટિંગ ધરાવતાં હોય તે વાત પક્ષના મોટા નેતાઓ ખુદ રાહુલ ગાંધી અને ખડેગેને પણ ખબર છે. પણ તે પણ બિચારા કશુ કરી શકતાં નથી.
જેથી હવે કોંગ્રેસમાં રહેલા ફૂટેલા નેતાઓ ખુદ ઈમાનદાર બને તો જ કોંગ્રેસ પક્ષ ઉભો થઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. કોંગ્રેસમાં ઘર ફૂટે ઘર જાય તેવી સ્થિતિ વર્ષોથી ચાલી રહી છે. જેથી કોંગ્રેસ ભાજપાને ટક્કર આપી શકતી નથી.
જીગ્નેશ મેવાણી પહેલા રાહુલ ગાંધીએ પાર્ટીના જ નેતાઓેને ખકડાવ્યા હતા
7 માર્ચ, 2025ના રોજ અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજિત કાર્યકર્તા સંવાદ કાર્યક્રમ પક્ષના ભાજપા સાથે નેતાઓને ચેતવણી આપી હતી. રાહુલ ગાંધી કહ્યું હતુ કે
“જો આપણે ગુજરાતના લોકો સાથે જોડાવા માંગતા હોઈએ, તો આપણે બે કામ કરવા પડશે. પહેલી વાત એ છે કે વફાદારો અને બળવાખોરોના જૂથોને અલગ કરવા. ભલે આપણે 10, 15, 20, 30, 40 લોકોને દૂર કરવા પડે, અમે એક ઉદાહરણ સ્થાપિત કરવા માટે આમ કરવા તૈયાર છીએ,”
જો કે રાહુલ ગાંધી માત્ર આવું બોલ્યા પણ પાર્ટીમાં ફૂટેલા નેતાઓને હજુ સુધી કાઢી શક્યા નથી. જે સળો હવે કોંગ્રેસમાં આગળને આગળ વધતો જઈ રહ્યો છે. જેથી કોંગ્રેસમાં રહેલા જ નેતાઓ પક્ષથી કંટાળી ગયા છે. જો કે ભાજપા સાથે મળેલા નેતાઓને કોંગ્રેસ નહીં કાઢે તો તેની વધુ દુર્દશા થવાની છે. જે પક્ષ અને લોકો પણ જાણે છે.
આ પણ વાંચો:
શશિ થરૂર, સલમાન ખુર્શીદ અને મનીષ તિવારી… રાહુલ ગાંધી કેમ અલગ થઈ રહ્યા છે? | Congress
ભારતના મિત્ર ગણાતો રશિયા અને પાકિસ્તાન સાથે કામ કરશે, થયા કરાર
શશિ થરૂર, સલમાન ખુર્શીદ અને મનીષ તિવારી… રાહુલ ગાંધી કેમ અલગ થઈ રહ્યા છે? | Congress
‘ગપ્પુ ગપગોળા ફેકવાનું ક્યારે બંધ કરશે?’ | FENKU | FAKE