
Vadodara: ગુજરાતમાં દિવસને દિવસે આપઘાત વિદ્યાર્થીઓમાં આપઘાતનું પ્રમાણ વધી રહ્યું છે. કંઈને કંઈ કારણોસર આપઘાત રી લેતાં હોય છે. ત્યારે વડોદરાની એક હોસ્ટલમાં વિદ્યાર્થીએ આપઘાત કરી લેતાં ખળભલાટ મચી ગયો છે. M.S.યુનિવર્સિટીની હોસ્ટેલમાં જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે. જો કે આપઘાત પાછળનું કારણ બહાર આવ્યું નથી.
પંખા સાથે ચાંદર બાધી લટક્યો
વડોદરાની M.S.યુનિવર્સિટીમાં ટેકનોલોજી ફેકલ્ટીના બીજા વર્ષમાં BE ટેકનોલોજીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ ગળાફાંસો જીવનનો અંત આણી દીધો છે. અભિષેક શર્મા નામના વિદ્યાર્થીએ એમ વિશ્વેસરાય હોસ્ટેલના હોલમાં પંખા પર ચાંદર બાંધી આપઘાત કરી લીધો છે. હાલ મૃતદેહને એસએસજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટ માટે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતમાં વિદ્યાર્થીઓના આપઘાતનો મુદ્દો ખરેખર ચિંતાજનક છે. રાજ્યમાં આપઘાતના કિસ્સાઓમાં વધારો થયો છે, જેમાં વિદ્યાર્થીઓનો પણ નોંધપાત્ર હિસ્સો છે. વિદ્યાર્થીમાં પરીક્ષાનું દબાણ, નિષ્ફળતાનો ડર, માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ અને પારિવારિક, સામાજિક સમસ્યાઓ મુખ્ય કારણો હતા.
ઘણીવાર બાળકોને વાલીઓ દ્વારા ચોક્કસ ગુણ લાવવા દબાણ કરાતું હોય છે. જેથી વિદ્યાર્થીઓ ચિંતા વધી જતી હોય છે. દેખાદેખીમાં વિદ્યાર્થીઓ પર વાલીઓ દબાણ લાવતાં હોય છે. વિદ્યાર્થીઓ નાપાસ થાય તો પણ વિદ્યાર્થીઓ ચિંતામાં ને ચિંતામાં આપઘાત કરી લેતાં હોય છે.
શૈક્ષણિક સંસ્થાઓમાં સિનયર વિદ્યાર્થીઓ દ્વારા જૂનિયરોનું શોષણ થતું હોય છે. તેમની સાથે અભદ્ર વર્તન થતું હોય છે. ગુજરાતમાં વારંવાર સિનયર વિદ્યાર્થીઓ દ્વારા જૂનિયર વિદ્યાર્થીઓને પજવણીના કિસ્સા સામે આવતાં હોય છે.
દેશ સહિત ગુજરાતની ઘણી સંસ્થાઓમાંથી બહાર આવતી હોય છે. જેથી રેગિંગનો ભોગ બનેલા વિદ્યાર્થીઓ આપઘાત પણ કરી લેતાં હોય છે. જેથી આ શૈક્ષણિક અને સમાજિક રીતે ચિંતાનો મુદ્દો છે. વાલીઓ સહિત શિક્ષકોની જવાબદારી બને છે કે પોતાનું બાળક કઈ દિશામાં જઈ રહ્યું છે.
આ પણ વાંચોઃ
પાટણ બાદ રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં દોડધામ | Patan | Bomb Threat
ફક્ત જરુરી હોય તેવા કિસ્સાઓમાં CBI તપાસ થવી જોઈએ: Supreme Court | CBI
પાણી માટે તરસતું ગુજરાત: વઢવાણમાં પાણીના વલખાં , મનપા સામે વિરોધ | Water Problem
