
વલાસડના વાપીમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેના પોસ્ટર લાગતાં ભારે વિરોધ થયો છે. ગોડસેને દેશનો પહેલો આતંકવાદી માનવામાં આવે છે. ત્યારે આ આતંકવાદીના પોસ્ટર લાગતાં ભારે વિરોધ ઉભો થયો છે. નથુરામ ગોડસેના પોસ્ટર લગાવવાની ઘટના ગઈકાલે 6 એપ્રિલ, 2025ના રોજ બની હતી. આ શોભાયાત્રા રામનવમીના ઉપલક્ષ્યમાં યોજાઈ હતી.
ગઈકાલે રામનવીનો ઉત્સવ ભક્તો દ્વારા ભારે ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો. શોભયાત્રા દરમિયાન ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેના પોસ્ટરો જોવા મળ્યા હતા. જેમાં ‘રઘુપતિ રાઘવ રાજા રામ, દેશ બચા ગયા નાથુરામ’ જેવા વિવાદાસ્પદ લખાણ લખવામાં આવ્યા હતા. વાપીમાં ભારતને બચાવનારા તરીકે પ્રચાર કરાયો છે. જેના વીડિયો અને ફોટો વાઈરલ થઈ જતાં ભારે વિવાદ સર્જાયો છે.
સંઘવી અને પાટીલના મત વિસ્તાર નજીકની શરમજનક ઘટના
જાણવા મળી રહ્યું છે કે 3 કિલોમીટરની રામનવમીની રામ યાત્રાના માર્ગમાં ગોડસેનાં બેનર લાગ્યાં હતા. આ શોભાયાત્રાનું આયોજન શ્રીરામ શોભાયાત્રા સમિતિ વાપી દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં બીજા નંબરનું સ્થાન ધરાવતા નાણા પ્રધાન કનુ દેસાઈના મત વિસ્તાર વાપીમાં વિવાદસ્પદ પોસ્ટરો જોવા મળતાં રાજકીય માહોલ પણ ગરમાયો છે. ગૃહ પ્રધાન હર્ષ સંઘવી અને પાટીલના મત વિસ્તાર નજીકની શરમજનક ઘટના છે. જુઓ આ જ મુદ્દે વીડિયોમાં ચર્ચા.
આ પણ વાંચોઃ MPમાં નકલી ડોક્ટરે 7 લોકોની હાર્ટ સર્જરી કરતાં મોત, આયુષ્માન યોજનાના દુર્પયોગની આશંકા
આ પણ વાંચોઃ મોદીના ગઢ ગુજરાતમાં ગાબડું પાડવા કોંગ્રેસનું અધિવેશન | Congress Adhiveshan
આ પણ વાંચોઃ Ahmedabad: જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે મકાનમાં આગ, માતા અને બાળકનું મોત
આ પણ વાંચોઃ Share Market: રુ. 19 લાખ કરોડનું નુકસાન, સેન્સેક્સ ખુલતાની સાથે જ 3000 પોઈન્ટથી વધુ ઘટ્યો
આ પણ વાંચોઃ Share Market: રુ. 19 લાખ કરોડનું નુકસાન, સેન્સેક્સ ખુલતાની સાથે જ 3000 પોઈન્ટથી વધુ ઘટ્યો