
Gujarat: ગુજરાતમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો સતત મંદીનો સામનો કરી રહ્યા છે. રત્નકલાકારોને જીવન જીવવું અઘરુ બન્યું છે. આર્થિક તંગીથી, દેવા ડૂબી જતાં રત્નાકલાકરો આપઘાત કરી રહ્યા છે. તેમ છતાં સરકાર દ્વારા તેમનો અવાજ સાંભળવામાં આવ્યો નથી. જો કે હવે મોડે મોડેથી સરકાર રત્નકલાકારોને સહાય આપવા તૈયાર થઈ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગત 11 માર્ચના રોજ ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશના હોદ્દેદારો સાથે એક બેઠકનું આયોજન કરીને રત્નકલાકારોના હિતમાં નિર્ણય લેવા માટે તૈયારી બતાવી હતી. આ બેઠકના બે મહિના બાદ આખરે આજે શનિવારે (24 મે, 2025) રાજ્ય સરકાર રત્નકલાકારો માટે વિવિધ સહાયની જાહેરાત કરવા જઈ રહી છે.
સહાય માટે રત્નકલાકારોનો સંઘર્ષ
ઉલ્લેખનીય છે કે સહાય માટે ગત 30 અને 31 માર્ચના રોજ સુરતમાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા બે દિવસની હડતાળ પાડવી પડી હતી. જેમાં મોટી સંખ્યામાં કારખાના બંધ રાખી હીરા વેપારીઓ જોડાયા હતાં. જે બાદ રાજ્ય સરકારે નમતું જોખી રત્નકલાકારો માટે વિવિધ સહાય યોજના જાહેર કરવા તૈયાર થઈ છે. આર્થિક તથા શૈક્ષણિક સહિતની યોજનાઓની જાહેરાત કરી શકે છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી, વન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયા આ યોજનાઓ જાહેર કરશે.
અમેરિકામાં મંદી, યુક્રેન-રશિયા યુદ્ધ સહિતનાં કારણોને લઈને ડાયમંડ ઉદ્યોગમાં મંદી વ્યાપી ગઈ હતી, જેના કારણે અનેક રત્નકલાકારોએ આપઘાત પણ કર્યા છે, જેને લઈને રત્નકલાકારો દ્વારા પણ દેખાવો કરવામાં આવી રહ્યા હતા.
આ પણ વાંચો:
UP: ઉત્તર પ્રદેશમાં વરસાદનો કહેર, 60 લોકોએ જીવ ગુમાવ્યા, જીવન અસ્તવ્યસ્ત
Gujarat Rain:આજે ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સુચના
Sabarkantha: રેતી ખનન માફિયાઓ સામે પૂર્વ સાંસદની લાલ આંખ, ગેરકાયદે ખનન બંધ કરો નહીં તો….!
Sabarkantha: પ્રાંતિજમાં ડમ્પરે બાઈકને ટક્કર મારી, બે યુવાન કાળનો કોળિયો બન્યા, પિતાને ઈજાઓ
Sabarkantha Accident: પ્રાંતિજ નજીક કારની ટક્કરે રિક્ષાએ મારી પલટી, રિક્ષાચાલક ગંભીર!
Vadodara: મંદિરમાં ઘૂસી વિધર્મીએ પુજારીને માર માર્યો
પાણી બંધ કરશો, તો તમારા શ્વાસ બંધ કરીશું, Pakistani સેનાની આતંકી ભાષા