Gujarat: સ્વામિનારાયણ સંપ્રદાયના 14 ફિરકાઓને નોટિસ મોકલાશે, હવે ફરી શું વિવાદ થયો?

  • Gujarat
  • February 24, 2025
  • 0 Comments

Gujarat:  સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મ વચ્ચે ઘણા વર્ષોથી વિવાદ સામે આવતાં રહે છે.  સાળંગપુરમાં હનુમાનજીને સ્વામિનારણને પગે લાગતાં ચિત્ર કંડારતાં પણ વિવાદ થયો હતો. જેમાં ભારે વિવાદ થઈ જતાં તે ચિત્રો હટાવી લેવા પડ્યા હતા.

સ્વામિનારાયણ સંપ્રદાયના 14 ફિરકાઓને નોટિસ…

ત્યારે આ જ મુદ્દે ગઈકાલે(23-02-2025) અમદાવાદમાં સનાતન ધર્મની બેઠકમાં  દેવી-દેવતાઓના અપમાન કરવા મુદ્દે સ્વામિનારાયણ સંપ્રદાયના 14 ફિરકાઓને નોટિસ આપવા ચર્ચા કરાઈ છે. સનાતન ધર્મ અને દેવી-દેવતાઓના અપમાનને લઈને કાર્યવાહી કરવામાં આવશે. સાળંગપુરમાં હનુમાનજીની પ્રતિમાના વિવાદ અને અન્ય કેટલાક તથ્યો સામે આવતા હવે કાયદેસર રીતે આગળ વધવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

‘આપણાં જ આપણને નડ્યા’

સનાતન ધર્મ સમિતિ રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યોતિર્નાથ મહારાજે કહ્યુ કે, સનાતન ધર્મના આપણાં જ આપણને નડ્યા છે. પરધર્મીઓએ ક્યારેય આપણા ધર્મનું અપમાન કરવાની કોશિશ કરી નથી. આપણાં જ ધર્મના લોકો ધર્મ વિશે વાહિયાત વાતો કરી છે. સાળંગપુરનો વિવાદ હોય કે પછી અન્ય કોઈ વિવાદ હોય સનાતન ધર્મની મૂળભૂત પરંપરાઓને તોડવાની વાત છે.

એક અઠવાડિયામાં નોટીસ આપવાનું આયોજન

સનાતનધર્મીઓએ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, આ એક અઠવાડિયામાં સ્વામિનારાયણ સંપ્રદાયના 14 ફિરકાઓને અમે નોટીસ પાઠવીશું. તેઓએ ધર્મને હાની કરી છે. પુસ્તકો, વેદો અને બાળવાર્તાઓની વાતો લઈને તેમના પાત્રો ગોઠવી દીધા છે. ઘનશ્યામ પાંડેને સર્વોપરી બતાવવાની કોશિશ કરી છે. ઘનશ્યામ પાંડેને સર્વોપરી માનવામાં આવે તેની સામે કોઈ વાંધો નથી, પરંતુ સનાતન ધર્મના જે દેવી-દેવતાઓનું અપમાન કરવામાં આવ્યું છે.

સાળંપુરમાં ગયા વર્ષે હનુનાનજીને કેવ રીતે ચિત્રાયા હતા?

  

 વર્ષ 2023માં બોટાદના બરવાળા તાલુકામાં આવેલા સ્વામીનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદી સંચાલિત સાળંગપુર હનુમાન મંદિરમાં ‘કિંગ ઑફ સાળંગપુર’ની વિશાળ પ્રતિમાની નીચે  શિલ્પચિત્રો કંડારવામાં આવ્યા હતા, તે બાબતે વિવાદ પેદા થયો હતો. આ શિલ્પચિત્રોમાં હનુમાન સ્વામીનારાયણ એટલે કે સહજાનંદ સ્વામીને પ્રણામ અને નમન કરતા તેવી રીતે દેખાડાયા હતા. એક શિલ્પચિત્રમાં હનુમાન સ્વામીનારાયણના ચરણમાં બેઠા જ્યારે ત્રીજા શિલ્પચિત્રમાં હનુમાનને સ્વામીનારાયણને ફળાહાર આપતા દેખાડાયા હતા. હનુમાનના આ પ્રકારનાં શિલ્પચિત્રોને કારણે કેટલાક હિંદુ સાધુ-સંતો નારાજ થયા હતા અને હજુ પણ નારાજ છે. આ બાદ સાધુ-સંતોએ શરૂ કરેલો વિરોધના સૂર હજુ પણ સમ્યો નથી.

 

આ પણ વાંચોઃ IND vs PAK: ‘મેં ક્યારેય વિચાર્યું ન હતું પાકિસ્તાન હારશે’, હાર બાદ પૂર્વ કેપ્ટન વસીમ અકરમનો ગુસ્સે,

આ પણ વાંચોઃ ભારત-પાક મેચ વચ્ચે પડોશી દેશે 22 માછીમારોને કર્યા મુક્ત; 18 ગુજરાતી

  • Related Posts

    Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ
    • March 23, 2026

    Bhavnagar News: ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે ગુનેગારોના મકાનો ઉપર બુલડોઝર ફેરવવાની કરેલી પહેલ બાદ હવે ગુજરાતમાં પણ ભુપેન્દ્ર પટેલની સરકારે રાજ્યમાં ગુનેગારોના ઘરો તોડવાનું અભિયાન ચલાવ્યું છે જેમાં અત્યારસુધીમાં અલગ…

    Continue reading
    Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
    • March 19, 2026

    Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

    • March 23, 2026
    • 6 views
    UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

    SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

    • March 23, 2026
    • 8 views
    SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

    Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

    • March 23, 2026
    • 10 views
    Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

    Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

    • March 23, 2026
    • 11 views
    Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

    Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ

    • March 23, 2026
    • 15 views
    Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ

    War Update: ઈરાને ઈઝરાયેલ ઉપર કરેલા શક્તિશાળી હુમલામાં 100ના મોત? નેતન્યાહૂ ઈરાન ઉપર પરમાણુ એટેક કરી શકે!! વિશ્વભરમાં ચિંતા

    • March 22, 2026
    • 9 views
    War Update: ઈરાને ઈઝરાયેલ ઉપર કરેલા શક્તિશાળી હુમલામાં 100ના મોત? નેતન્યાહૂ ઈરાન ઉપર પરમાણુ એટેક કરી શકે!! વિશ્વભરમાં ચિંતા