
Swami Gyanprakash: વડતાલ સ્વામિનારયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીને જલારામ અંગે ખોટી ટીપ્પણી કરવી ભારે પડી છે. તેવામાં માહિતી મળી રહી છે કે આ સ્વામીએ વીરપુર પહોંચી જલારામ બાપાની માફી માગી છે.
જાણકારી મળી રહી છે કે જ્ઞાનપ્રકાશ સ્વામી આજે વીરપુર પહોંચ્યા હતા. જ્યા તેમને જલારામ બાપાની માફી માગી હતી. પોલીસ સુરક્ષા સાથે જલારામ બાપાના મંદિરે પહોંચેલા સ્વામી પાછળાના દરવાજે કાળા કાચવાળી ગાડીમાં બેસી જલ્દીથી નીકળી ગયા હતા.
સ્વામીએ જાલારામ બાપા અંગે શું કહ્યું?
સુરતના સત્સંગમાં કહ્યું હતું કે, જલારામ બાપાનો ઈતિહાસ ગુણાતીત સ્વામી સાથે જોડાયેલો છે.”ગુણાતીત સ્વામીએ જલા ભગતને આશીર્વાદ આપ્યા હતાં,” તેમ જ્ઞાનપ્રકાશ સ્વામીએ જણાવ્યું. તેમણે વધુમાં કહ્યું હતુ કે, “જલારામ બાપાએ સદાવ્રત માટે ગુણાતીત સ્વામી પાસે આશીર્વાદ માગ્યા હતા કે ‘સ્વામી, મારું એક માત્ર લક્ષ્ય કે ઇચ્છા છે કે અહીં કાયમ માટે સદાવ્રત ચાલે અને જે કોઈ અહીં આવે, તેને પ્રસાદ મળે.’”
તેમણે કહ્યું, “જલા ભગતે ગુણાતીત સ્વામીને બાટી અને દાળ જમાડ્યા… ગુણાતીત સ્વામીએ જલા ભગતને આશીર્વાદ આપ્યા હતા કે તમારો ભંડાર કાયમ માટે ભર્યો રહેશે.” નોંધનીય છે કે, આ નિવેદનથી જલારામ બાપાના ભક્તોને આઘાત લાગતાં રોષે ભરાયા હતા.
મહાભારતને લઈ હવે કરી ટીપ્પણી
જલારામ બાપાની ટીપ્પણીનો વિવાદ હજુ સમ્યો નથી. ત્યારે હવે જ્ઞાનપ્રકાશ સ્વામીનો વધુ એક વિવાદિત વીડિયો સોશિયલ માડિયા પર વાઈવર થઈ રહ્યો છે. જેમાં તે કહી રહ્યા છે કે, ‘મહાભારતનું યુદ્ધ થયું નથી. મહાભારતને તેઓ એક કાલ્પનિક કથા કે દંતકથા છે.’ ત્યારે હવે સ્વામી વિરુધ્ધ ભક્તોનો રોષ વધુ ઉગ્ર બન્યો છે.
આ વીડિયો વાઈરલ થયા બાદ હિન્દુ સમાજમાં રોષની લાગણી પ્રસરી ગઈ છે. સ્વામી બફાટ કરતાં કહ્યું છે કે ‘મહાભારત જેવું કોઈ યુદ્ધ થયું હોય એવું મારા માનવામાં આવતું નથ, હું નથી માનતો કે મહાભારત જેવું યુદ્ધ થયું હોય! હા એ કથા દંતકથા કે પ્રસંગ કથા હોઈ શકે, કે કોઈ લેખકે લખેલી હોય.’ આ વાઈરલ વીડિયોને લઈને સનાતનીઓમાં ભારે રોષ ફેલાયો છે.