
- HMPV વાયરસની ટેસ્ટ કીટ તમામ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવાશે: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ
ચીનના વાયરસ અમદાવાદ સુધી પહોંચી ગયો છે. તો અત્યાર સુધી ગુજરાત સહિત દેશમાં ત્રણ HMPV વાયરસના કેસ નોંધાઈ ગયા છે. આ વચ્ચે આજે વડોદરાની સરકારી હોસ્પિટલ ખાતે પહોંચેલા રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નવા વાયરસના લક્ષણો પ્રમાણે દર્દીની સારવાર કરવામાં આવશે. આ રોગના ટેસ્ટ માટેની કીટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને આગામી બેથી ત્રણ દિવસમાં દરેક હોસ્પિટલમાં તે કીટ ઉપલબ્ધ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.
દેશમાં નોંધાયેલા પ્રથમ કેસ અંગે હાલ વધુ કોઈ માહિતી ન હોવાથી આ અંગે કશું કહેવાનો ઇનકાર કરતા ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું કે, મોટેભાગે આ રોગમાં પણ કોવિડના પ્રોટોકોલ પ્રમાણેના જ લક્ષણો છે. જેમ કે, શરદી થવી, તાવ આવવો, ઉધરસ અને ગળામાં દુખાવો થવો. જેથી તે પ્રમાણે દર્દીની સારવાર કરવામાં આવશે.
આ પણ વાંચો-BREAKING: ગોપાલ ઈટાલિયાએ પટ્ટો કાઢી પોતાને જ ફટકાર્યો, જુવો આવું કેમ કર્યું?
આ રોગના ટેસ્ટ માટેની કીટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને આગામી બેથી ત્રણ દિવસમાં દરેક હોસ્પિટલમાં તે કીટ ઉપલબ્ધ થાય એવા પ્રયાસો છે. સરકાર અને વિવિધ સંસ્થા આ રોગ અંગે સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. કોઈપણ પ્રકારની ગભરાટ કે ચિંતા ઉભી ન થાય તે માટે સરકાર ગંભીર છે. અગાઉ જ્યારે કોવિડની મહામારી ફેલાઈ હતી ત્યારે સરકારે જે પગલાં લીધા તેના કારણે ભારતમાં ઓછું નુકસાન થઈ શક્યું હતું, જે કેન્દ્ર સરકારના સક્ષમ નેતૃત્વના કારણે થઈ શક્યું હતું.
આ વાઈરસને હ્યુમન મેટાન્યૂમો વાઈરસના લક્ષણો સામાન્ય શરદી-ખાંસી જેવા જ હોય છે. સામાન્ય કિસ્સામાં તે ઉધરસ અથવા ગળામાં ખરાશ, વહેતી નાક અથવા ગળામાં દુ:ખાવાનું કારણ બને છે. નાના બાળકો અને વૃદ્ધોમાં HMPV ચેપ ગંભીર હોઈ શકે છે. આ વાઈરસ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે.
આ પણ વાંચો- ICMRનો મોટો દાવો- HMPV વાઈરસ ભારત સહિત વિશ્વભરમાં પહેલેથી જ ફેલાયેલો છે