T.N. Seshan: હું ‘ભારત સરકાર’નો નહીં, ‘ભારત’નો મુખ્ય ચૂંટણી કમિશનર છું, ચૂંટણીકાર્ડ લાવનાર ટી.એન શેષનને આવું કેમ કહ્યું હતુ?

  • India
  • August 22, 2025
  • 0 Comments

T.N. Seshan: હાલ ભારતના ચૂંટણીપંચ અને તેના મુખ્ય કમિશનરની વિશ્વનીયતા પર ગંભીર સવાલો ઉભા થયા છે. જે રીતે મતદારયાદીમાં ગોટાળા બહાર આવ્યા છે. ચૂંટણીપંચ રાહુલ ગાંધીના આક્ષેપનો જવાબ પણ આપી શક્યુ નથી. જેથી હાલના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર લોકો આંગળી ચીથી રહ્યા છે. જેથી હાલ  ચૂંટણી પંચના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ટી.એન શેષનને યાદ કરી રહ્યા છે.

દેશની ચૂંટણી વ્યવસ્થામાં વ્યાપક સુધારા કરવાનો શ્રેય ટી. એન. શેષનને આપવામાં આવે છે. 1955 બેચના આઈએએસ અધિકારી ટી. એન. શેષન 12 ડિસેમ્બર, 1990ના રોજ ભારતના 10મા મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા હતા. પાછલા દાયકાઓમાં ટી.એન. શેષન કરતાં વધારે નામના કદાચ જ અન્ય કોઈ સરકારી અધિકારીએ મેળવી હશે. હાલ તેમના ઈન્ટરવ્યૂનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. ત્યારે તેમનું એક વાક્ય ખૂબ વાયરલ થઈ રહ્યું છે.

તેમણે એક મિડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતુ કે “હું ‘ભારત સરકાર’નો મુખ્ય ચૂંટણી કમિશનર નથી, હું ‘ભારત’નો મુખ્ય ચૂંટણી કમિશનર છું.” ટી. એન. શેષન આ વાક્ય ઘણુ બધુ કહી જાય છે. મતલબ મુખ્ય ચૂંટણી કમિશનર કોઈ રાજકીય પાર્ટી, સરકારના નથી હોતા. તે ભારતના હોય છે. ભારતના બંધારણ હેઠળ કામ કરે છે. પરંતુ આજે તે ઉલટુ થતું જોવા મળી રહ્યું છે. જેના પરિણામે ચૂંટણીમાં અનેક ગરબડીઓ સામે આવી રહી છે. ચૂંટણીપંચ અને ભાજપ મળી ગયા હોય તેવા હાલ સર્જાયા છે. ચૂંટણી પંચ જવાબ આપવાને બદલે સરકારનો બચાવી કરી રહ્યું હોય તેવું લોકોને રીતસરનું લાગી રહ્યું છે.

ટી. એન. શેષનનું ચૂંટણી સુધારાનું કામ

ટી. એન. શેષન
BBC Gujarati

ટી.એન. શેષન 1955 બેચના તમિલનાડુ કેડરના ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી હતા. ટી.એન. શેષન 27 માર્ચ 1989 થી 23 ડિસેમ્બર 1989 સુધી ભારતના 18મા કેબિનેટ સચિવ તરીકે સેવા આપી હતી. તેમણે 12 ડિસેમ્બર 1990 થી 11 ડિસેમ્બર 1996 સુધી ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરનું પદ સંભાળ્યું હતું. આ સમય દરમિયાન તેમણે ચૂંટણીઓને પારદર્શક અને ન્યાયી બનાવવા માટે ઘણા કાર્યો કર્યા.

મતોની ખરીદી અને વેચાણ સામે કડક પગલાં લીધાં

શેષન દ્વારા ભારતમાં મતદાર ઓળખ કાર્ડ રજૂ કરવામાં આવ્યું હતું. તેમણે તેમના કાર્યકાળ દરમિયાન બોગસ મતદાનનો પણ અંત લાવ્યો. શેષને મતોની ખરીદી અને વેચાણ સામે કડક પગલાં લીધાં અને ચૂંટણીમાં સુધારો લાવવા માટે ઘણી બાબતો કરી. સ્થાનિક ગુંડાઓના પંજામાંથી મતદાન મથકોને મુક્ત કરવા માટે કેન્દ્રીય પોલીસ દળોની તૈનાતી શેષનના કાર્યકાળનો એક મહત્વપૂર્ણ નિર્ણય હતો. એટલું જ નહીં, ઉમેદવારોએ તેમના ચૂંટણી પ્રચારમાં કેટલો ખર્ચ કરવો પડે છે અને પોસ્ટરો અને બેનરો દૂર કરવામાં પણ તેમની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

શેષન જ ચૂંટણી ખર્ચની મર્યાદા અને ઉમેદવારો દ્વારા ચકાસણી માટે હિસાબ રજૂ કરવાની જોગવાઈ રજૂ કરતા હતા. તેમણે ચૂંટણી દરમિયાન દારૂ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો અને ધર્મના નામે ચૂંટણી પ્રચાર પર નિયંત્રણ લાવવાનું કામ કર્યું હતું.

મેગ્સેસે એવોર્ડ એનાયત

ચૂંટણી કમિશનર પદ પરથી નિવૃત્ત થયા પછી, શેષને 1997 માં રાષ્ટ્રપતિની ચૂંટણી પણ લડી હતી. તેઓ આ ચૂંટણીમાં કે આર નારાયણ સામે હારી ગયા હતા. ટીએન શેષનને 1996 માં મેગ્સેસે એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. ટીએન શેષનનું 10 નવેમ્બર, 2019 ના રોજ અવસાન થયું.

 

આ પણ વાંચો:

Lipulekh Dispute: લિપુલેખ વિવાદ શું છે?, જેના પર ભારત-નેપાળ ફરી આમને સામને આવી ગયા?

Ahmedabad: ભ્રષ્ટાચારના પ્રતિકનું પતન, ખોખરા બ્રિજ તોડવાનું શરું, જુઓ

Rajkot: સો. મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મીરે ફિનાઇલ ગગટાવ્યું, નોટમાં લખ્યું મારી ભૂલ હતી એને પ્રેમ કર્યો, જાણો સમગ્ર ઘટના

Gujarat: રાજયમાં ભારેથી અતિભારે આગાહી, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું

Astrology: ભારત, મોદી, ભાજપ અને કોંગ્રેસ પર ચંદ્ર ગ્રહણની શું અસર થશે? જાણો છો સંજય ચૌધરી પાસેથી

 

Related Posts

Sofia Firdous: કોંગ્રેસના ધારાસભ્ય સોફિયા ફિરદોસ કોણ છે? જેઓએ ભાજપના સમર્થનમાં મતદાન કર્યું !
  • March 17, 2026

Sofia Firdous: સોમવારે ઓડિશામાં રાજ્યસભાની ચાર બેઠકો માટે મતદાન થયું. આ ચૂંટણીમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ ક્રોસ-વોટિંગ કર્યું. આ ત્રણ ધારાસભ્યોમાં રમેશ જેના, દશરથી ગોમાંગો અને સોફિયા ફિરદોસનો સમાવેશ થાય છે.…

Continue reading
Rajya Sabha Elections 2026: રાજ્યસભા ચૂંટણીમાં વિપક્ષના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ ભાજપને ફળ્યું! NDAએ બાજી મારી
  • March 17, 2026

Rajya Sabha Elections 2026: દેશમાં બંગાળ, આસામ અને તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે જેની રાજકીય પક્ષોમાં પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તે અગાઉ રાજ્યસભા ચૂંટણીમાં NDAએ બાજી મારી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 2 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 4 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 4 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 6 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 5 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

  • March 18, 2026
  • 5 views
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”