અલ્હાબાદ હાઇકોર્ટના જજ શેખર કુમાર યાદવ સામે મહાભિયોગની નોટિસ; રાજ્યસભાના 55 સાંસદોએ કર્યા હસ્તાક્ષર

  • India
  • December 13, 2024
  • 0 Comments

અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ શેખર કુમાર યાદવ વિરુદ્ધ રાજ્યસભામાં મહાભિયોગ પ્રસ્તાવ લાવવા માટે નોટિસ આપવામાં આવી છે. આ પ્રસ્તાવ પર રાજ્યસભાના 55 સાંસદોના હસ્તાક્ષર છે. કપિલ સિબ્બલના નેતૃત્વમાં પ્રતિનિધિ મંડળે મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. પ્રતિનિધિમંડળમાં સાંસદ વિવેક ટંખા, દિગ્વિજય સિંહ, પી. વિલ્સન, જોન બ્રિટાસ અને કેટીએસ તુલસીનો સમાવેશ થાય છે.

જસ્ટિસ શેખર યાદવે 8 ડિસેમ્બરે પ્રયાગરાજમાં VHPના લીગલ સેલના કાર્યક્રમમાં કહ્યું હતું – મને એ કહેવામાં કોઈ સંકોચ નથી કે આ ભારત છે અને આ દેશ અહીં રહેતા બહુમતીની ઈચ્છા પ્રમાણે ચાલશે. આ કટ્ટરપંથીઓ, આ યોગ્ય શબ્દ નથી, પણ તેને કહેવાનું ટાળી શકાય તેમ નથી, કારણ કે તે દેશ માટે ખરાબ છે… તે ઘાતક છે. દેશ વિરુદ્ધ છે. એવા લોકો છે જે જનતાને ઉશ્કેરે છે. એવા લોકો છે જેઓ વિચારે છે કે દેશની પ્રગતિ ન થવી જોઈએ. તેમની સાથે સાવચેત રહેવાની જરૂર છે.

આ પણ વાંચો- ઇલાહાબાદ હાઇકોર્ટના જસ્ટિસ શેખર યાદવ વિરૂદ્ધ મહાભિયોગની તૈયારી; જજોને હટાવવાની શું છે પ્રક્રિયા?

મહાભિયોગમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો મહાભિયોગ પ્રસ્તાવમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે જસ્ટિસ યાદવનું ભાષણ ભડકાઉ, પૂર્વગ્રહયુક્ત અને લઘુમતી સમુદાયોને નિશાન બનાવતું હતું. તેમણે ન્યાયાધીશ તરીકેના શપથ અને બંધારણના બિનસાંપ્રદાયિક મૂલ્યોનું ઉલ્લંઘન કર્યું હતું. તેમના નિવેદન પર પણ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો કે મુસ્લિમ બાળકો પાસેથી દયાની અપેક્ષા રાખી શકાય નહીં. કારણ કે તેઓ નાની ઉંમરમાં જ પ્રાણીઓની કતલના સંપર્કમાં આવી જાય છે. વિભાજનકારી અને પૂર્વગ્રહયુક્ત નિવેદનો કરીને, જસ્ટિસ યાદવે ન્યાયતંત્રમાં લોકોનો વિશ્વાસ નષ્ટ કર્યો.

આ પણ વાંચો-શું નકલી ભારતીય કરન્સી નોટોનું ચલણ એક વખત ફરીથી વધી રહ્યું છે?

Related Posts

Sofia Firdous: કોંગ્રેસના ધારાસભ્ય સોફિયા ફિરદોસ કોણ છે? જેઓએ ભાજપના સમર્થનમાં મતદાન કર્યું !
  • March 17, 2026

Sofia Firdous: સોમવારે ઓડિશામાં રાજ્યસભાની ચાર બેઠકો માટે મતદાન થયું. આ ચૂંટણીમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ ક્રોસ-વોટિંગ કર્યું. આ ત્રણ ધારાસભ્યોમાં રમેશ જેના, દશરથી ગોમાંગો અને સોફિયા ફિરદોસનો સમાવેશ થાય છે.…

Continue reading
Rajya Sabha Elections 2026: રાજ્યસભા ચૂંટણીમાં વિપક્ષના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ ભાજપને ફળ્યું! NDAએ બાજી મારી
  • March 17, 2026

Rajya Sabha Elections 2026: દેશમાં બંગાળ, આસામ અને તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે જેની રાજકીય પક્ષોમાં પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તે અગાઉ રાજ્યસભા ચૂંટણીમાં NDAએ બાજી મારી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 2 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 4 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 4 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 6 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 5 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

  • March 18, 2026
  • 5 views
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”