સાયન્સના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર; જાણી લો ગુજરાત સરકારે બદલેલા નિયમો અંગે

  • Gujarat
  • December 24, 2024
  • 0 Comments

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા વિનિયમમાં કેટલાક મહત્ત્વના સુધારા કર્યા છે. જે મુજબ હવે ધોરણ 11 સાયન્સનો વિદ્યાર્થી 11 સાયન્સમાં કોઈ પણ ગ્રૂપ રાખી પાસ થાય તો તે ધોરણ 12માં ગ્રૂપ બદલી શકશે અને કોઈ પણ ગ્રૂપમાં પરીક્ષા આપી શકશે.

ગુજરાત સરકારે નિયમોમાં મહત્ત્વનો ફેરફાર કર્યો

ધોરણ 12 સાયન્સાં ગ્રૂપ-B સાથે નાપાસ થયેલા વિદ્યાર્થી રીપિટર તરીકે કોઈ પણ ગ્રૂપમાં પરીક્ષા આપી શકશે. મહત્ત્વનું છે કે સીબીએસઈ દ્વારા ધોરમ 12 સાયન્સના વિદ્યાર્થીને આઈસોલેટેડ વિદ્યાર્થી તરીકે મુખ્ય વિષયની પરીક્ષા આપવાની તક આપવામા આવે છે. જેથી ગુજરાત સરકારે પણ ગુજરાત બોર્ડની પરીક્ષા માટે નિયમો સુધાર્યા છે.

શિક્ષણ વિભાગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ પ્રમાણપત્ર પરીક્ષા વિનિયમ 2005ની જોગવાઈઓમાં ફેરફાર કર્યો છે. જેમાં નવી ઉમેરાયેલી જોગવાઈ મુજબ ધોરણ 12 સાયન્સ ગ્રૂપ-B સાથે પાસ થયા બાદ વિદ્યાર્થી મુખ્ય પરીક્ષા બાદ પછીની તરતની પુરક પરીક્ષા-પુનઃપરીક્ષામાં અથવા પછીના વર્ષોની મુખ્ય પરીક્ષા કે પુરક પરીક્ષામાં પૃથ્થક ઉમેદવાર તરીકે ગણિત વિષયની અલગથી પરીક્ષા આપી શકશે.

મહત્ત્વનું છે કે હાલ સીબીએસઈ દ્વારા પૃથ્થક વિદ્યાર્થી તરીકે બાયોલોજી-મેથ્સ વિષયની પરીક્ષા આપવાની તક આપવામા આવે છે. પૃથ્થક વિદ્યાર્થી તરીકે બાયોલોજી વિષયની પરીક્ષા અલગથી આપી નીટ માટે ક્વોલિફાઈ થઈ શકે છે.

ગુજરાત સરકારે ગુજરાત બોર્ડની પરીક્ષાઓને લઈને કરેલા મહત્ત્વના અન્ય ફેરફારો મુજબ બોર્ડની જાહેર પરીક્ષાનો પુનઃપરીક્ષાર્થી વિષય જુથની મર્યાદામાં વિષય ફેરફાર કરી શકશે. આ ઉપરાંત ધો.12 સાયન્સમાં ગ્રૂપ-B સાથે નાપાસ થયેલ વિદ્યાર્થી રીપિટર તરીકે ગ્રૂપ-Bના બદલે ગ્રૂપ-A અથવા ગ્રૂપ-AB પસંદ કરી પરીક્ષા આપી શકશે. ધોરણ 11 સાયન્સમાં હાલ વિદ્યાર્થી પ્રથમ સત્રના અંત સુધીમાં ગ્રૂપ A, B કે એબીમાંથી કોઈ પણ ગ્રૂપમાં બદલીને ફેરફાર કરી શકે છે.

પરંતુ હવે નવી જોગવાઈ મુજબ 11 સાયન્સનો વિદ્યાર્થી બીજા સત્રના અંત સુધીમાં ગ્રૂપ બદલી શકશે. તેમજ ધોરણ 11 સાયન્સ કોઈ પણ ગ્રૂપ સાથે પાસ કર્યા બાદ ધોરણ 12 સાયન્સમાં કોઈ પણ ગ્રૂપ રાખી શકશે કે બદલી શકશે. એટલે કે ધોરણ 11-A ગ્રૂપ સાથે પાસ કર્યુ હોય તો ધોરણ 12માં B ગ્રૂપ અથવા ધોરણ 11-B ગ્રૂપ સાથે પાસ કર્યુ હોય તો ધોરણ 12માં A ગ્રૂપ રાખી શકાશે.

Related Posts

Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર
  • May 11, 2026

Chhotaudepur Sihada water Crisis: છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલું સિહાદા ગામ અત્યારે આકરા ઉનાળાની સાથે પાણીની અત્યંત વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યું છે. આશરે ૭૦૦૦ની વસ્તી ધરાવતા આ ગામમાં પીવાના…

Continue reading
Gujarat Tribal Politics: આદિવાસી પટ્ટીમાં ભાજપનું ધોવાણ, ગુજરાતની ચૂંટણીના એકલ વીર હીરો ચૈતર વસાવા
  • May 10, 2026

Gujarat Tribal Politics: ગુજરાતની ૨૦૨૬ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જ્યાં મોટા રાજકીય પક્ષો અને મંત્રીઓની ફોજ ઉતારવામાં આવી હતી, ત્યાં આદિવાસી નેતા ચૈતર વસાવા એક પ્રભાવક ચહેરા તરીકે ઉભરી આવ્યા છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

  • May 11, 2026
  • 7 views
Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

  • May 10, 2026
  • 9 views
Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

  • May 10, 2026
  • 8 views
Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી

  • May 10, 2026
  • 11 views
Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી

Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?

  • May 10, 2026
  • 8 views
Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?

Vijay Tamil Nadu CM: શું મુખ્યમંત્રી વિજય શ્રીલંકન તમિલોના ઉદ્ધારક બનશે? કચ્ચાથીવુ અને માછીમારોના પ્રશ્નો વચ્ચે નવો પડકાર

  • May 10, 2026
  • 9 views
Vijay Tamil Nadu CM: શું મુખ્યમંત્રી વિજય શ્રીલંકન તમિલોના ઉદ્ધારક બનશે? કચ્ચાથીવુ અને માછીમારોના પ્રશ્નો વચ્ચે નવો પડકાર