IND vs AUS: સિડની ટેસ્ટમાં પહેલા દિવસની રમત પૂર્ણ, ભારતીય ટીમનું પ્રદર્શન ખરાબ

  • Sports
  • January 3, 2025
  • 0 Comments

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કર્યા બાદ સિડની ટેસ્ટમાં ભારત તેની પ્રથમ ઈનિંગમાં 185 રનમાં સમેટાઈ ગયું હતું. ભારતીય ટીમ માત્ર 72.2 ઓવર જ રમી શકી હતી. ટીમ તરફથી રિષભ પંતે સૌથી વધુ 40 રન બનાવ્યા હતા.

ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારતીય ટીમની બેટિંગ ફરી એકવાર નિષ્ફળ સાબિત થઈ છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કર્યા બાદ સિડની ટેસ્ટમાં ભારત તેની પ્રથમ ઈનિંગમાં 185 રનમાં સમેટાઈ ગયું હતું. ભારતીય ટીમ માત્ર 72.2 ઓવર જ રમી શકી હતી. ટીમ તરફથી રિષભ પંતે સૌથી વધુ 40 રન બનાવ્યા હતા. ભારતે આ મેચ માટે નિયમિત કેપ્ટન રોહિત શર્માને બહાર રાખ્યો હતો, પરંતુ પ્રથમ દાવમાં તેનો કોઈ ફાયદો થયો ન હતો.

ઓસ્ટ્રેલિયાની ટીમ હાલમાં 176 રનથી પાછળ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ દિવસની રમત પૂરી થઈ ગઈ છે. પ્રથમ દાવમાં ભારતને ઓલઆઉટ કર્યા પછી, ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં એક વિકેટ ગુમાવીને સ્ટમ્પ સુધી નવ રન બનાવ્યા છે. દિવસની રમતના છેલ્લા બોલ પર જસપ્રીત બુમરાહે ઉસ્માન ખ્વાજાને કેએલ રાહુલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ખ્વાજા આઉટ થતાં જ સ્ટમ્પ જાહેર કરવામાં આવ્યા હતા. તે બે રન બનાવી શક્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ હાલમાં 176 રનથી પાછળ છે.

ભારત સૌથી વધુ વખત 80 ઓવરમાં ઓલઆઉટ થનારી બીજી ટીમ બની

આ સાથે ભારતીય ટીમે એક અનિચ્છનીય રેકોર્ડ પોતાના નામે કર્યો. ભારતીય ટીમ 2024 પછી સૌથી વધુ વખત ટેસ્ટમાં 80થી ઓછી ઓવરમાં ઓલઆઉટ થનારી બીજી ટીમ બની છે. ભારત અત્યાર સુધી 14 વખત ટેસ્ટમાં 80 ઓવર પણ રમી શક્યું નથી. આ યાદીમાં સૌથી ઉપર ઈંગ્લેન્ડની ટીમ છે જે 18 વખત 80 ઓવર પણ રમી શકી નથી. આ મામલે ભારતે ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશને પાછળ છોડી દીધું છે જે 13 વખત 80 ઓવર પહેલા ઓલઆઉટ થઈ ચૂક્યા છે.

સિડનીમાં ત્રીજી વખત 200 રન બનાવી શક્યો નહોતો

ભારતીય ટીમ 2000 પછી ત્રીજી વખત સિડનીમાં પ્રથમ દાવમાં 200 રન પણ બનાવી શકી નથી. આ પહેલા ભારત 2000માં ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ દાવમાં 150 રન બનાવી શક્યું હતું, જ્યારે 2012માં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર માત્ર 191 રન જ બનાવી શક્યું હતું.

 

આ સમાચાર પણ વાંચોઃ રોહિત શર્મા સિડની ટેસ્ટમાંથી પોતે ડ્રોપ થયો કે કરાયો? રિટાયરમેન્ટની ચર્ચા

 

Related Posts

IND vs NZ : T20 વર્લ્ડ કપમાં ભારતે ત્રીજી વખત વિશ્વ વિજેતાનો ખિતાબ હાંસલ કરી ઇતિહાસ સર્જ્યો !
  • March 9, 2026

IND vs NZ: અમદાવાદમાં ઘર આંગણે રમાયેલ ICC T20 વર્લ્ડ કપ 2026 ફાઈનલમાં ભારતે વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે. ભારતે રવિવારે (8 માર્ચ) ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ઈતિહાસ સર્જ્યો…

Continue reading
India vs New Zealand Final: આજે અમદાવાદમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઈનલ જંગ! કોણ બનશે ચેમ્પિયન? જાણો
  • March 8, 2026

India vs New Zealand Final: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 2026 T20 વર્લ્ડ કપ ક્રિકેટનો ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મુકાબલો થવા જઈ રહ્યો છે,ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

  • March 20, 2026
  • 4 views
Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

  • March 19, 2026
  • 3 views
Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

  • March 19, 2026
  • 9 views
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

  • March 19, 2026
  • 16 views
MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 6 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

  • March 19, 2026
  • 13 views
PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!