India’s Response to China on Arunachal Pradesh: ભારતે કહ્યું,અરુણાચલ અમારું અભિન્ન અંગ;ચીને કહ્યું, આ પ્રદેશ પર ભારતનો ગેરકાયદેસર કબજો!

  • India
  • November 26, 2025
  • 0 Comments

India’s Response to China on Arunachal Pradesh: ચીનના શાંઘાઈ એરપોર્ટ પર અરુણાચલ પ્રદેશની ભારતીય મહિલા પેમ વાંગજોમ થાંગડોકના ભારતીય પાસપોર્ટને અમાન્ય ગણાવીને ચીની અધિકારીઓ દ્વારા કરાયેલા અપમાન જનક વ્યવહાર અને અરુણાચલ ચીનનું હોવાનું કરેલું નિવેદન ચર્ચામાં આવ્યા બાદ હવે ફરી એકવાર
ચીને ફરી તેની ઔકાત બતાવી છે અને અરુણાચલ પ્રદેશને પોતાનો પ્રદેશ ગણાવ્યો છે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે જણાવ્યું હતું કે ઝાંગનાન (અરુણાચલ પ્રદેશ) અમારો ભાગ છે. તેમણે ઉમેર્યું હતું કે ચીને ક્યારેય ભારતના ગેરકાયદેસર રીતે હસ્તગત કરેલા અરુણાચલ પ્રદેશને માન્યતા આપી નથી.ચીનનું આ નિવેદન શાંઘાઈ એરપોર્ટ પર ભારતીય મહિલા પેમ વાંગજોમ થાંગડોક સાથે દુર્વ્યવહારના આરોપોના જવાબમાં આવ્યું છે.

ચીને પેમ સાથે દુર્વ્યવહારના આરોપોને પણ નકારી કાઢ્યા હતા.માઓએ જણાવ્યું હતું કે તે મહિલા સાથે કોઈ બળજબરી અટકાયત કે ઉત્પીડનનો ભોગ બનાવવામાં આવી ન હતી અને એરલાઈને તેમને આરામ, પાણી અને ખોરાક પણ પૂરો પાડ્યો હતો.

યુકેમાં રહેતી ભારતીય પેમે આરોપ લગાવ્યો હતો કે ચીની અધિકારીઓએ તેમના ભારતીય પાસપોર્ટને અમાન્ય જાહેર કર્યો હતો કારણ કે તેમાં અરુણાચલ પ્રદેશને તેમનું જન્મસ્થળ ગણાવવામાં આવ્યું હતું. તે 21 નવેમ્બરના રોજ લંડનથી જાપાન જઈ રહી હતી.

ચીનના નિવેદન પર પ્રતિક્રિયા આપતા, ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે.ચીન ગમે તેટલું નકારે, સત્ય બદલાઈ શકતું નથી.ભારતે ચીની અધિકારીઓ સમક્ષ સખત વિરોધ નોંધાવ્યો છે. ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે અરુણાચલ પ્રદેશ દેશનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે, અને ચીન દ્વારા કોઈપણ ટિપ્પણી સત્યને બદલી શકે તેમ નથી.

જોકે, ચીન સતત દાવો કરે છે કે અરુણાચલ પ્રદેશ ભારતનો નહીં, પરંતુ તેનો ભાગ છે,આજ કારણોસર તે ઘણીવાર ભારતીય નાગરિકો,ખાસ કરીને અરુણાચલમાં જન્મેલા લોકોના દસ્તાવેજો સ્વીકારવાનો ઇનકાર કરે છે.
ત્યારે આ વખતે ભારતે સખત વિરોધ કર્યો છે.

આ પણ વાંચો: 

Bhavnagar umrala news: ઉમરાળામાં બે જૂથ વચ્ચે તંગદિલી,સુરતથી ગાડીઓ ભરીને પાટીદારો ઉમટ્યા!ભરવાડ સમાજ પણ એકત્ર થતા તંગદિલી!

Rupee Hits Record Low Against Dollar: ભારતના ઇતિહાસમાં પ્રથમવાર રૂપિયો આટલો નબળો પડયો:મોંઘવારી વધશે

Tejas Crash:દુબઈમાં ક્રેશ તેજસના શહીદ પાયલોટ નમન સ્યાલને ઠેરઠેરથી મળી શ્રદ્ધાંજલિ,શહીદ નમન સ્યાલના પરિવાર વિશે જાણો

 

Related Posts

India economy rupee crisis: ઈરાન યુદ્ધ તો બહાનું છે! ભારતનું અર્થતંત્ર કેમ પડી રહ્યું છે ડામાડોળ? જાણો શો-બાજી પાછળનું કડવું સત્ય
  • May 14, 2026

India economy rupee crisis: વૈશ્વિક રાજકારણમાં યુદ્ધો અને આંતરરાષ્ટ્રીય સંકટો હંમેશા દેશોની આર્થિક પરિસ્થિતિ પર અસર કરતા હોય છે. હાલમાં ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે વિશ્વભરના…

Continue reading
Udhayanidhi Stalin Sanatan Dharma: “રાવણ અને હિરણ્યકશ્યપના વંશજ”, બ્રિજભૂષણ શરણ સિંહનો ઉદયનિધિ સ્ટાલિન પર વળતો પ્રહાર
  • May 13, 2026

Udhayanidhi Stalin Sanatan Dharma: તમિલનાડુના દ્રવિડ મુન્નેત્ર કઝગમ (DMK) ના નેતા ઉદયનિધિ સ્ટાલિન દ્વારા સનાતન ધર્મ વિશે કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ દેશભરમાં રાજકીય પારો ગરમાયો છે. આ મુદ્દે ભાજપના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

India economy rupee crisis: ઈરાન યુદ્ધ તો બહાનું છે! ભારતનું અર્થતંત્ર કેમ પડી રહ્યું છે ડામાડોળ? જાણો શો-બાજી પાછળનું કડવું સત્ય

  • May 14, 2026
  • 1 views
India economy rupee crisis: ઈરાન યુદ્ધ તો બહાનું છે! ભારતનું અર્થતંત્ર કેમ પડી રહ્યું છે ડામાડોળ? જાણો શો-બાજી પાછળનું કડવું સત્ય

Surat Textile Child Labor Rescue: સુરતના ટેક્સટાઈલ હબમાં બાળ મજૂરી રેકેટનો પર્દાફાશ, 84 બાળકો જોખમી મશીનો વચ્ચે કામ કરતા મળ્યા

  • May 14, 2026
  • 5 views
Surat Textile Child Labor Rescue: સુરતના ટેક્સટાઈલ હબમાં બાળ મજૂરી રેકેટનો પર્દાફાશ, 84 બાળકો જોખમી મશીનો વચ્ચે કામ કરતા મળ્યા

Dwarka Power Corridor Farmers: દ્વારકારમાં 10 હજાર ખેડૂતોને પરેશાની છતાં કોંગ્રેસનું રાજકારણ

  • May 13, 2026
  • 10 views
Dwarka Power Corridor Farmers: દ્વારકારમાં 10 હજાર ખેડૂતોને પરેશાની છતાં કોંગ્રેસનું રાજકારણ

Rajkot Volvo Car Accident: રાજકોટમાં વોલ્વોનો આતંક, નશામાં ધૂત નબીરાએ ૧૦૦ની સ્પીડે કાર દોડાવી ૫ વાહનો ફંગોળ્યા!

  • May 13, 2026
  • 5 views
Rajkot Volvo Car Accident: રાજકોટમાં વોલ્વોનો આતંક, નશામાં ધૂત નબીરાએ ૧૦૦ની સ્પીડે કાર દોડાવી ૫ વાહનો ફંગોળ્યા!

Udhayanidhi Stalin Sanatan Dharma: “રાવણ અને હિરણ્યકશ્યપના વંશજ”, બ્રિજભૂષણ શરણ સિંહનો ઉદયનિધિ સ્ટાલિન પર વળતો પ્રહાર

  • May 13, 2026
  • 9 views
Udhayanidhi Stalin Sanatan Dharma: “રાવણ અને હિરણ્યકશ્યપના વંશજ”, બ્રિજભૂષણ શરણ સિંહનો ઉદયનિધિ સ્ટાલિન પર વળતો પ્રહાર

Congress Attacks BJP RSS: ‘RSS નો પાકિસ્તાન પ્રેમ ફરી સામે આવ્યો’, દત્તાત્રેય હોસબોલેના નિવેદન પર કોંગ્રેસનો ભાજપ-આરએસએસ પર આકરો પ્રહાર

  • May 13, 2026
  • 14 views
Congress Attacks BJP RSS: ‘RSS નો પાકિસ્તાન પ્રેમ ફરી સામે આવ્યો’, દત્તાત્રેય હોસબોલેના નિવેદન પર કોંગ્રેસનો ભાજપ-આરએસએસ પર આકરો પ્રહાર