Ram Mandir Dhwajarohan 2025: અયોધ્યામાં અભિજીત મૂહર્તમાં શ્રીરામ મંદિર ઉપર ધ્વજા રોહણ સંપન્ન,આ મૂહર્ત કેમ ખાસ છે?જાણો

  • India
  • November 25, 2025
  • 0 Comments

Ram Mandir Dhwajarohan 2025: ભગવાન શ્રી રામની ભૂમિ અયોધ્યામાં આજે શ્રી રામમંદિર ઉપર ધ્વજા રોહણ કરવામાં આવ્યુ ત્યારે ઉપસ્થિત સેંકડો ભાવિકોએ ભગવાન શ્રીરામનો જયઘોષ કર્યો અને પ્રભુમય બન્યા હતા સૌ ભાવુક બન્યા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

આપ સૌને જણાવી દઈએ કે ભગવાન શ્રી રામમંદિર ઉપર પવિત્ર અભિજીત મૂહર્તમાં ધ્વજા રોહણ થયું.આ મૂહર્ત કેમ ખાસ છે તે અંગે આપને જણાવવા જઈ રહયા છે.

આજે 25 નવેમ્બર, વિવાહ પંચમીના રોજ અયોધ્યાના રામ મંદિર પર ભગવા રંગના ધર્મ ધ્વજા રોહણ થયું,આ શુભ કાર્ય 44 મિનિટના અભિજીત મુહૂર્ત દરમિયાન સંપન્ન થયું ત્યારે આપને જણાવી દઈએ કે અભિજીત મૂહર્ત અને વિવાહ પંચમી ખાસ એટલા માટે છે ભગવાન શ્રી રામનો જન્મ અભિજિત મુહૂર્તમાં થયો હતો અને શ્રી રામ અને સીતા માતાના લગ્નનો દિવસ એટલે કે વિવાહ પંચમી પણ છે,તેથી ધાર્મિક દ્રષ્ટિએ આ દિવસ ખૂબજ શુભ માનવામાં આવે છે,તેથી આજના પાવન દિવસે અયોધ્યામાં પ્રભુ શ્રી રામના મંદિર ઉપર ધજા ચડાવવામાં આવી છે.

અયોધ્યા રામ મંદિરમાં ધ્વજ ચડાવવાનો શુભ સમય અભિજિત મુહૂર્ત દરમિયાન સવારે 11:45 થી બપોરે 12:29 વાગ્યા સુધીનો હતો. આ શુભ સમય દરમિયાન મંદિરના શિખર પર ધ્વજા રોહણ કરાયું હતું.

અયોધ્યામાં પ્રભુ શ્રી રામના નવા મંદિરના નિર્માણ બાદ શિખર વિના જ ગયા વર્ષે મંદિરમાં દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. હવે શિખર સાથે આખું મંદિર બનીને તૈયાર થયું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજારોહણ થયું હતું.

ખાસ વાત એ છે કે શિખર પર લગાવવામાં આવેલો ધ્વજ દંડ અને ધ્વજા બંને ગુજરાતના અમદાવાદમાં બનાવવામાં આવ્યા હતા.

અયોધ્યામાં આજનો દિવસ દરેક રામભક્તના હૃદયમાં અદ્વિતીય સંતોષ અને અપાર અલૌકિક આનંદનો બની રહ્યો.
જાણે, સદીઓના ઘા હવે રુઝાઈ રહ્યા છે,સદીઓની વેદનાને આજે વિરામ મળી રહ્યો છે. જાણે સદીઓના સંકલ્પ આજે સિદ્ધ થઈ રહ્યા છે, આજે તે યજ્ઞની પૂર્ણાહુતિ છે જેની અગ્નિ 500 વર્ષ સુધી પ્રજ્વલિત રહી.’

ભગવાન રામના શહેર અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર હાલમાં જય શ્રી રામના નાદ અને મંત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યું હતું, ધાર્મિક વિદ્વાનો દ્વારા પૂજા અને હવન પછી હવે શુભ મુહૂર્તમાં ભગવાન રામના ભવ્ય મંદિરમાં ધર્મ ધ્વજા રોહણ કરાયું હતું,પ્રભુ શ્રી રામ મંદિરના શિખર પર ફરકાવવામાં આવેલા ભગવા રંગના ધર્મ ધ્વજમાં ઓમ, સૂર્ય દેવ અને કોવિદાર વૃક્ષ અંકિત છે. અયોધ્યાને સુંદર રીતે શણગારવામાં આવ્યું હતુ જેમાં લગભગ 100 ટન ફૂલોનો ઉપયોગ થયો હતો.

આમ, ખૂબજ હર્ષોલ્લાસ વચ્ચે ભગવાન શ્રી રામના શિખર ઉપર ધ્વજા રોહણ સંપન્ન થયું હતું.

આ પણ વાંચો: 

Bhavnagar umrala news: ઉમરાળામાં બે જૂથ વચ્ચે તંગદિલી,સુરતથી ગાડીઓ ભરીને પાટીદારો ઉમટ્યા!ભરવાડ સમાજ પણ એકત્ર થતા તંગદિલી!

Rupee Hits Record Low Against Dollar: ભારતના ઇતિહાસમાં પ્રથમવાર રૂપિયો આટલો નબળો પડયો:મોંઘવારી વધશે

Tejas Crash:દુબઈમાં ક્રેશ તેજસના શહીદ પાયલોટ નમન સ્યાલને ઠેરઠેરથી મળી શ્રદ્ધાંજલિ,શહીદ નમન સ્યાલના પરિવાર વિશે જાણો

Related Posts

Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?
  • June 19, 2026

Indian Political Defections: ભારતીય લોકશાહી આજે એક એવા મોડ પર આવીને ઉભી છે જ્યાં વિચારધારાની કોઈ કિંમત રહી નથી. ઉદારવાદીઓ અને સેક્યુલર બૌદ્ધિકો વારંવાર ભાજપની આક્રમકતા અને તેમની સત્તા પર…

Continue reading
NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ
  • June 19, 2026

NCERT Dancing Girl Controversy: ૪,૫૦૦ વર્ષ જૂની સિંધુ ખીણ સભ્યતાની કાંસ્ય મૂર્તિ ‘ડાન્સિંગ ગર્લ’ ને NCERT દ્વારા પહેલા ઢાંકવી અને પછી લોકોના આક્રોશ બાદ તેને પાછી લાવવી, તે માત્ર એક…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

  • June 19, 2026
  • 3 views
Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

  • June 19, 2026
  • 4 views
NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

  • June 19, 2026
  • 7 views
India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

Political horse trading: ‘સાંસદ-ધારાસભ્યોની ખરીદ-વેચાણ માટે સ્ટોક એક્સચેન્જ શરૂ કરો’, કોંગ્રેસનો ભાજપ પર આકરો પ્રહાર

  • June 19, 2026
  • 13 views
Political horse trading: ‘સાંસદ-ધારાસભ્યોની ખરીદ-વેચાણ માટે સ્ટોક એક્સચેન્જ શરૂ કરો’, કોંગ્રેસનો ભાજપ પર આકરો પ્રહાર

TMC Opposition Leader Dispute: ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણય સામે પડકાર, હાઈકોર્ટમાં ટીએમસીના બે જૂથ વચ્ચે કાનૂની જંગ

  • June 19, 2026
  • 9 views
TMC Opposition Leader Dispute: ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણય સામે પડકાર, હાઈકોર્ટમાં ટીએમસીના બે જૂથ વચ્ચે કાનૂની જંગ

Rahul Gandhi: કોટામાં રાહુલ ગાંધીનો શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓને સપના નહીં, તણાવ અને નિરાશા આપી રહી છે આજની સિસ્ટમ’

  • June 19, 2026
  • 8 views
Rahul Gandhi: કોટામાં રાહુલ ગાંધીનો શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓને સપના નહીં, તણાવ અને નિરાશા આપી રહી છે આજની સિસ્ટમ’