
Steve Smith retires from ODIs: ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં ભારત સામે મળેલી હાર બાદ, ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન અને કપ્ટન સ્ટીવ સ્મિથે વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. મિડલ ઓર્ડરના આ બેટ્સમેને છેલ્લે દુબઈમાં ભારત સામે ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા માટે 73 રન બનાવ્યા હતા. આ મેચમાં ઓસ્ટ્રેલિયાને હારનો સામનો કરવો પડ્યો હતો.
35 વર્ષીય બેટ્સમેને 170 વનડે મેચમાં 43.28 ની સરેરાશ અને 86.96 ના સ્ટ્રાઇક રેટથી 5800 રન બનાવ્યા છે, જેમાં 12 સદી અને ૩૫ અડધી સદીનો સમાવેશ થાય છે. તે ઓસ્ટ્રેલિયા તરફથી વનડેમાં સૌથી વધુ રન બનાવનારા 12મા ખેલાડી છે. તેણે 2016 માં ન્યુઝીલેન્ડ સામે 164 રનનો પોતાનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો. લેગસ્પિનિંગ ઓલરાઉન્ડર તરીકે ડેબ્યૂ કરનાર સ્મિથે 28 વિકેટ અને 90 કેચ પણ લીધા છે.
સ્મિથના આંકડા શાનદાર
સ્મિથે ઓસ્ટ્રેલિયા માટે કુલ 169 વનડે રમી અને 5727 રન બનાવ્યા. આ સમયગાળા દરમિયાન, તેમનો સરેરાશ 43.06 અને સ્ટ્રાઇક રેટ 87.13 હતો. વનડેમાં તેની શ્રેષ્ઠ ઇનિંગ્સ 164 રનની છે. તેણે વનડેમાં 34 અડધી સદી અને 12 સદી ફટકારી છે. 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં સ્મિથ ફોર્મમાં નહોતો. તેણે ત્રણ ઇનિંગ્સમાં 48.50ની સરેરાશથી 97 રન બનાવ્યા. તેમની શ્રેષ્ઠ ઇનિંગ્સ 73 રન હતી.
સ્મિથે કહ્યું, આ એક અદ્ભુત સફર રહી છે અને મેં તેની દરેક ક્ષણનો આનંદ માણ્યો છે. ઘણી બધી અદ્ભુત ક્ષણો અને મહાન યાદો રહી છે. બે વર્લ્ડ કપ જીતવું એ એક શાનદાર સિદ્ધિ હતી અને ઘણા અદ્ભુત સાથી ખેલાડીઓ સાથે આ સફર શેર કરવી. હવે લોકો માટે 2027 વર્લ્ડ કપની તૈયારી શરૂ કરવાની એક શ્રેષ્ઠ તક છે, તેથી નિવૃત્તિ લેવાનો આ યોગ્ય સમય લાગે છે.
આ પણ વાંચો- ટ્રેવિસ હેડનો શાનદાર કેચ લેનાર શુભમન ગિલને અમ્પાયરે કેમ આપી ચેતવણી?
RAJKOT: જ્ઞાનપ્રકાશ સ્વામીનું પૂતળું સ્વામીનારણ મંદિર નજીક સળગાવનો પ્રયાસ, વીરપુર આવી માફી માગે
RAJKOT: જ્ઞાનપ્રકાશ સ્વામીનું પૂતળું સ્વામીનારણ મંદિર નજીક સળગાવનો પ્રયાસ, વીરપુર આવી માફી માગે