
India-Pakistan: પાકિસ્તાની સેના ટ્રમ્પના વખાણ કરવામાં વસ્ત છે ત્યારે બીજી બાજુ પાકિસ્તાની પત્રકારે મોટો દાવો કર્યો છે. પાકિસ્તાની પત્રકાર હસન અયુબ ખાને એક સનસનાટીભર્યો દાવો કર્યો છે કે ભારત હવે પહેલા જેવું રહ્યું નથી અને તે કોઈપણ ચેતવણી વિના પાકિસ્તાન પર હુમલો કરી શકે છે. તેમણે કહ્યું કે આ હુમલો આગામી એક વર્ષમાં થઈ શકે છે. બીજી તરફ પાકિસ્તાનમાં લોકમાં રોષ ફાટી નીકળ્યોછે. કારણ કે પાકિસ્તાનના નેતાઓ અને સેના પ્રમુખ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ખુશામત કરવામાં વ્યસ્ત છે.
‘કોઈ પણ ચેતવણી વિના પાકિસ્તાન પર હુમલો કરી શકે’
હસન અયુબે કહ્યું ‘ભારત ફરીથી એવી સ્થિતિમાં રહેવા માંગે છે કે તે પાકિસ્તાન પર હુમલો કરી શકે. ઇઝરાયલે જે રીતે ઇરાન પર હુમલો કર્યો તેનાથી ભારતને ઘણું પ્રોત્સાહન મળ્યું છે. પાકિસ્તાને આ સમયે પોતાનું સંપૂર્ણ ધ્યાન તેના સંરક્ષણ પર કેન્દ્રિત કરવું પડશે. નવી દિલ્હીનો યુદ્ધ પ્રત્યેનો દૃષ્ટિકોણ હવે બદલાઈ ગયો છે. હવે તે કોઈપણ ચેતવણી વિના પાકિસ્તાન પર હુમલો કરી શકે છે. આ માટે ભારતે તેની સંરક્ષણ ખરીદી વધારી દીધી છે. પાકિસ્તાને બિલકુલ હળવાશ ન લેવી જોઈએ, કારણ કે આ સમયે વડા પ્રધાન મોદી યુદ્ધમાં યુધ્ધનું જનૂન છે.’
ટ્રમ્પની ખુશામતથી પાકિસ્તાનામાં રોષ
પાકિસ્તાન સરકાર અને સેનાનું ધ્યાન હાલમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ખુશ કરવા પર છે. તેનો હેતુ સ્પષ્ટ છે કે તે અમેરિકા પાસેથી આર્થિક મદદ અને ડોલર મેળવવા માંગે છે. અગાઉ આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે ટ્રમ્પ માટે નોબેલ શાંતિ પુરસ્કારની માંગ કરી હતી. આ પછી શાહબાઝ શરીફ સરકારે ટ્રમ્પને આ પુરસ્કાર માટે સત્તાવાર રીતે નામાંકિત કર્યા. હવે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ટ્રમ્પની પ્રશંસા કરી છે, તેમને ‘જાદુઈ નેતા’ ગણાવ્યા છે. જોકે, પાકિસ્તાનના લોકો તેમની સરકાર અને સેનાના આ વલણથી ગુસ્સે છે. રસ્તાઓ પર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે અને લોકો ટ્રમ્પના ચાપલુસ કરનારા હોવા બદલ તેમના નેતાઓ અને સેના પ્રમુખને શાપ આપી રહ્યા છે.