
India-Pak Conflict: ભારતના ઓપરેશન સિંદૂર (Operation Sindhoor) બાદ પાકિસ્તાને (Pakistan) ભારત (India) પર હુમલા કરવાનું સરુ કરી દીધું છે. પાકિસ્તાનને ભારતમાં અનેક જગ્યાએ ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા છે. જો કે, ભારતે પાકના આ હુમલાઓને નિષ્ફળ પણ બનાવ્યા છે ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યોછે જેમાં દાવો કરવામા આવ્યો છે કે, ગુજરાતના હજીરા બંદર પર પાકિસ્તાન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. જો કે આ હકીકત નથી.
ગુજરાતના હજીરા બંદર પર કોઈ હુમલો થયો નથી
પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB)એ એવા અહેવાલોને ફગાવી દીધા છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પાકિસ્તાને ગુજરાતના હજીરા બંદર પર હુમલો કર્યો હતો. શુક્રવારે સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વાયરલ થયેલા સમાચાર પર PIB એ એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “આ વિડિઓ સોશિયલ મીડિયા પર વ્યાપકપણે વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ગુજરાતના હજીરા બંદર પર હુમલો થયો છે. આ એક અસંબંધિત વિડિઓ છે જેમાં તેલ ટેન્કર વિસ્ફોટ દર્શાવવાની પુષ્ટિ કરવામાં આવી છે. આ વિડિઓ 7 જુલાઈ, 2021 નો છે. તેમજ આ વિડિઓ શેર નહીં કરવા માટે જણાવવામાં આવ્યું છે.
This video is widely circulating on social media with a claim that Hazira Port in #Gujarat has been attacked #PIBFactCheck
* This is an unrelated video confirmed to depict an oil tanker explosion. The video is dated July 7, 2021.
* Do not share this video. Refer the link… pic.twitter.com/nlQwgVAj3k
— PIB Fact Check (@PIBFactCheck) May 9, 2025
સોશિયલ મીડિયા પર ફેક વીડિયો અને ખોટી માહિતીઓનો રાફડો ફાટ્યો
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે સોશિયલ મીડિયા પર અનેક ફેક વીડિયો અને ખોટી માહિતીઓનો રાફડો ફાટ્યો છે. કેટલાક લોકો દ્વારા આવી નાજુક સ્થિતિમાં ભ્રમ ફેલાવવા અને લોકોમાં ભયનો માહોલ ઉભો કરવા માટે જુના વીડિયોને હાલના વીડિયો બતાવીને શેર કરવામાં આવી રહ્યા છે. ત્યારે લોકોએ પણ આવા કોઈ પણ વીડિયો કે સમાચાર પર વિશ્વાસ કરતા પહેલા એક વાર ચેક કરી લેવું જરુરી બન્યુંછે.
આ પણ વાંચોઃ
પાકિસ્તાનમાં આતંકીઓની લાશોને રાષ્ટ્રધ્વજમાં લપેટી અંતિમસંસ્કાર, મિશ્રીએ શું કહ્યું? | india
Nadiad માં મહિલાનો હાથ ખેંચી ગાડીમાં બેસાડી છેડતી કરનાર માથાભારે શખ્સ ઝડપાયો
Operation Sindoor: દેશભક્તિનો રંગ, બિહારમાં જન્મ્યા 12 સિંદૂર અને સિંદૂરી
Operation Sindoor: પંજાબના ગુરદાસપુરમાં રોજ 8 કલાક અંધકાર છવાશે, જાણો સૌથી મોટું કારણ?
‘ઓપરેશન સિંદૂર’ના નામે મુકેશ અંબાણી ધંધો કરવા કેમ માગે છે? | Operation Sindoor
ભારતના 5 પ્લેન તોડી પાડવાના દાવા પર પાકિસ્તાની રક્ષામંત્રી ફસાયા | Khawaja Asif
Katch: બોર્ડર નજીક શંકાસ્પદ ડ્રોન હાઈટેન્શન સાથે અથડતાં વિસ્ફોટ