
India-Pakistan Tension: ઓપરેશન સિંદૂર (Operation Sindoor) બાદ પાકિસ્તાનના ડ્રોન હુમલાઓ મામલે મીડિયામાં હાલ અનેક પ્રકારના ફેક ન્યુઝ ફેલાવવામા આવી રહ્યા છે જેમાં ઘણી બધી જાણીતી મીડિયા ચેનલોએ પણ ફેક ન્યુઝ ફેલાવ્યા છે. આ સાથે TRP ના ચક્કરમાં સેનાની એવી ગતિવિધીઓ પણ બતાવવામાં આવી રહી છે જેના કારણે પાકિસ્તાનને સેનાની માહિતી મળે ત્યારે કોઈ પણ સમાચારની ખરાઈ કર્યા વગર સમાચાર ચલાવતી મીડિયાને તેમજ નિર્દેશોનું ઉલ્લંઘન કરતી મીડિયાને ભારતના સંરક્ષણ મંત્રાલયે નિર્દેશ આપ્યા છે. જેમાં ડિફેન્સ ઓપરેશન્સ અને સુરક્ષા દળોની ગતિવિધિઓનું લાઇવ કવરેજ અથવા રીઅલ-ટાઇમ રિપોર્ટિંગ ટાળવા માટે તેમજ “સૂત્રો પર આધારિત” માહિતીનું પ્રકાશન ન કરવા માટે જણાવાવમા આવી રહ્યું છે.
તમામ મીડિયાને સંરક્ષણ મંત્રાલયે આપ્યા નિર્દેશ
ભારતના સંરક્ષણ મંત્રાલયે (Ministry of Defence) એ મીડિયાને ચોક્કસ સૂચનાઓ આપતી એડવાઇઝરી જાહેર કરી છે. ભારતના સંરક્ષણ મંત્રાલયે તમામ મીડિયા આઉટલેટ્સ, ડિજિટલ પ્લેટફોર્મ અને વ્યક્તિઓને સુચના આપી છે કે તેઓ સંરક્ષણ કામગીરી અને સુરક્ષા દળોની ગતિવિધિઓનું લાઇવ કવરેજ અથવા રીઅલ-ટાઇમ રિપોર્ટિંગ ટાળે. આવી સંવેદનશીલ અથવા સ્ત્રોત-આધારિત માહિતીનો ખુલાસો ઓપરેશનલ અસરકારકતાને જોખમમાં મૂકી શકે છે અને જીવનને જોખમમાં મૂકી શકે છે.
All media channels, digital platforms and individuals are advised to refrain from live coverage or real-time reporting of defence operations and movement of security forces. Disclosure of such sensitive or source-based information may jeopardize operational effectiveness and…
— Ministry of Defence, Government of India (@SpokespersonMoD) May 9, 2025
ફક્ત સંરક્ષણ મંત્રાલય અથવા સેનાના સત્તાવાર નિવેદનો લેવા
આ એડવાઇઝરીમાં મંત્રાલયે કારગિલ યુદ્ધ (1999), મુંબઈ હુમલો (2008) અને કંધાર અપહરણ (1999) દરમિયાન મીડિયા કવરેજની ભૂલોનો ઉલ્લેખ કરીને સાવચેતી રાખવા જણાવાયું હતું. તેમજ મીડિયાને આવા દાવાઓની પુષ્ટિ વિના પ્રસારણ ન કરવા અને ફક્ત સંરક્ષણ મંત્રાલય અથવા સેનાના સત્તાવાર નિવેદનો પર આધાર રાખવા જણાવાયું છે.
મીડિયા ચેનલને વિનંતી
કેબલ ટેલિવિઝન નેટવર્ક્સ (સુધારા) નિયમો, 2021 ના કલમ 6(1)(p) મુજબ, આતંકવાદ વિરોધી કામગીરી દરમિયાન ફક્ત અધિકૃત અધિકારીઓ દ્વારા જ નિયમિત બ્રીફિંગ આપી શકાય છે. તમામ સંબંધિત પક્ષોને તેમના કવરેજમાં સાવધાની, સંવેદનશીલતા અને જવાબદારીનો ઉપયોગ કરવા અને રાષ્ટ્રની સેવા કરવામાં ઉચ્ચતમ ધોરણોનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.
All media channels, digital platforms and individuals are advised to refrain from live coverage or real-time reporting of defence operations and movement of security forces. Disclosure of such sensitive or source-based information may jeopardize operational effectiveness and…
— Ministry of Defence, Government of India (@SpokespersonMoD) May 9, 2025
આ પણ વાંચોઃ
World Bank એ પાકિસ્તાનને આપ્યો ઝટકો, સિંધુ જળ સંધિ પર આપ્યું ચોકાવનારુ નિવેદન
Aravalli: નિવૃત PSIના દિકરાએ વરઘોડામાં ફાયરિંગ કરતાં બાળકી સહિત 3 લોકોને ઈજાઓ
Lions Census: ગુજરાતમાં સિંહોની 16મી વસ્તી ગણતરી થશે, 3 દિવસમાં કેવી રીતે કરશે ગણતરી?
ધ વાયરની વેબસાઇટ સરકારે બ્લોક કેમ કરી? | The wire
ગોદી મિડિયા સરકારના ડાહ્યા થવામાં ભારતનું અહિત ન કરી દે!, શું છે Media Advisory જુઓ?
Share Market Down: રોકાણકારોને નુકસાન, સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટ્યો, શું છે કારણો?
PIB Fact Check: વાઈરલ થયેલા 7 ખોટા વીડિયો અંગે PIBનું ફેક્ટ ચેક, શું સામે આવ્યું?