CPIએ વિશ્વના સૌથી ભ્રષ્ટ દેશોની યાદી કરી જાહેર; જાણો ભારતનું રેન્કિંગ

  • India
  • February 13, 2025
  • 1 Comments
  • CPIએ વિશ્વના સૌથી ભ્રષ્ટ દેશોની યાદી કરી જાહેર; જાણો ભારતનું રેન્કિંગ

ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલે ભ્રષ્ટાચાર ધારણા સૂચકાંક 2024 ની રેન્કિંગ જાહેર કરી છે. રેન્કિંગ બનાવવા માટે CPI જાહેર ક્ષેત્રમાં ભ્રષ્ટાચારના કથિત સ્તરના આધારે 180 દેશો અને પ્રદેશોનું લિસ્ટ બહાર પાડ્યં છે. જેમાં દેશોને 0 અને 100 ની વચ્ચેનો સ્કોર આપવામાં આવ્યો છે. રેન્કિંગમાં સૌથી વધુ માર્ક્સ મેળવનારા દેશો સ્વચ્છ છે, જ્યારે શૂન્ય ગુણ મેળવનારા દેશો સૌથી વધુ ભ્રષ્ટ છે.

મંગળવારે જાહેર કરાયેલા CPI રિપોર્ટ મુજબ, 2024 માટે ભ્રષ્ટાચાર ધારણા સૂચકાંક (CPI)માં ભારત 180 દેશોમાંથી 96મા ક્રમે છે. જોકે, 2023ની સરખામણીમાં આ સૂચકાંકમાં ભારતનો ક્રમ ઘટ્યો છે. જેના કારણે ભારતનો ક્રમાંક 3નો સુધર્યો છે. ભારતને 100 માંથી 38 ગુણ મળ્યા છે. જ્યારે 2023માં તે 39 અને 2022માં 40 હતું. 2023માં ભારતનો ક્રમ 93મો હતો.

ભારતના પડોશી દેશોમાં, પાકિસ્તાન (135) અને શ્રીલંકા (121) પોતપોતાના નીચા રેન્કિંગ સાથે સંઘર્ષ કરી રહ્યા છે, જ્યારે બાંગ્લાદેશ 149મા ક્રમે છે. જ્યારે ચીન આ રેન્કિંગમાં 76મા સ્થાને છે. CPI રેન્કિંગમાં ડેનમાર્ક ટોચ પર છે. તે પછી ફિનલેન્ડ અને સિંગાપોર આવે છે.

આ પણ વાંચો-Sunita Williams: અંતરિક્ષમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સને કેવી રીતે ધરતી પર લવાશે? જુઓ શું છે પ્લાન

‘મોટાભાગના દેશોમાં 50 થી ઓછા ગુણ છે’

રિપોર્ટ અનુસાર, વિશ્વભરમાં ભ્રષ્ટાચારના ગંભીર કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. 43ની વૈશ્વિક સરેરાશ વર્ષોથી યથાવત છે, બે તૃતીયાંશથી વધુ દેશો 100માંથી 50થી ઓછા સ્કોર કરે છે અને અબજો લોકો આ દેશોમાં રહે છે જ્યાં ભ્રષ્ટાચાર લોકોના જીવનને અસર કરે છે અને માનવ અધિકારોનું સતત ક્ષતિગ્રસ્ત થવું ચાલુ રહે છે.

2024 ના CPI એ દર્શાવ્યું હતું કે ભ્રષ્ટાચાર વિશ્વના દરેક ભાગમાં એક ખતરનાક સમસ્યા છે, પરંતુ ઘણા દેશો સારા માટે બદલાઈ રહ્યા છે. જ્યારે 2012થી 32 દેશોએ તેમના ભ્રષ્ટાચારના સ્તરમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. પરંતુ હજુ ઘણું કામ કરવાનું બાકી છે, કારણ કે તે જ સમયગાળા દરમિયાન 148 દેશો કાં તો સ્થિર રહ્યા અથવા વધુ ખરાબ થયા.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વભરમાં મોટી સંખ્યામાં લોકો ગ્લોબલ હીટિંગના ભયંકર પરિણામો ભોગવી રહ્યા છે કારણ કે ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવા અને સંવેદનશીલ વસ્તીને સુરક્ષિત રાખવા માટે દેશોને આપવામાં આવેલા ભંડોળની ચોરી થાય છે અથવા તેનો દુરુપયોગ થાય છે.

આ પણ વાંચો-લોકસભામાં નવુ ઈન્કમટેક્સ બિલ 2025 રજૂ: 60 વર્ષ જૂના ટેક્સ એક્ટનું લેશે સ્થાન

Related Posts

West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?
  • September 19, 2026

West Bengal Bypolls: પશ્ચિમ બંગાળની નંદીગ્રામ અને રેજિનગર વિધાનસભા પેટાચૂંટણીઓ પહેલાં રાજકીય ઘટનાક્રમમાં સતત નવા વળાંકો આવી રહ્યા છે. રેજિનગરથી મમતા બેનર્જીના નેતૃત્વવાળા TMC જૂથના ઉમેદવાર રબીઉલ આલમ ચૌધરીએ શનિવારે…

Continue reading
Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ
  • September 19, 2026

Delhi SIR Notices: દિલ્હીમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIRની પ્રક્રિયા વચ્ચે ચૂંટણી પંચની કામગીરીની પારદર્શિતાને લઈને સવાલો ઊભા થયા છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં દાવો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

  • September 19, 2026
  • 3 views
West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

  • September 19, 2026
  • 6 views
Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

  • September 19, 2026
  • 7 views
West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

  • September 19, 2026
  • 8 views
Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

  • September 19, 2026
  • 10 views
Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ

  • September 19, 2026
  • 9 views
Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ