
બોમ્બની ધમકી બાદ ઇન્ડિગો( IndiGo) ની એક ફ્લાઇટનું નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, કોચીથી દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટ નંબર 6E 2706નું નાગપુર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે.
વિમાનમાં સવાર બધા મુસાફરો સુરક્ષિત
જણાવવામાં આવી રહ્યું છે કે આજે સવારે 9:20 વાગ્યેકોચીથી દિલ્હી જતી ઇન્ડિગો( IndiGo) ફ્લાઇટ નંબર 6E 2706 ને બોમ્બની ધમકી મળી હતી અને તેને નાગપુર એરપોર્ટ તરફ વાળવામાં આવી હતી. મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. માહિતી અનુસાર, ઇન્ડિગો ફ્લાઇટ 6E 2706 સવારે 9.20 વાગ્યે કેરળના કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટથી દિલ્હી માટે રવાના થઈ હતી અને મધ્ય હવામાં તેને બોમ્બની ધમકી મળી હતી અને તેને નાગપુર એરપોર્ટ તરફ વાળવામાં આવી હતી. તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આ મામલાની તપાસ ચાલી રહી છે.
<
મસ્કત – કોચી – દિલ્હીથી આવતી ઇન્ડિગોની ફ્લાઇટ 6E 2706 ને બોમ્બની ધમકી મળ્યા બાદ નાગપુર એરપોર્ટ પર કટોકટી ઉતરાણ કરવામાં આવ્યું. બધા મુસાફરોને વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા છે, તપાસ ચાલી રહી છે, અત્યાર સુધી કંઈ શંકાસ્પદ મળ્યું નથી: લોહિત મટાણી, DCP નાગપુર#NagpurAirport pic.twitter.com/IKzv7Qj9g0
— The Gujarat Report (@TGujarat_Report) June 17, 2025
/p>
સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ
મળતી જાણકારી અનુસાર એરલાઇન અધિકારીઓને માહિતી મળી હતી કે વિમાનમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે. સુરક્ષા પ્રોટોકોલ પ્રમાણે ફ્લાઇટને ડાયવર્ટ કરવામાં આવી હતી અને નાગપુરમાં સુરક્ષિત રીતે ઉતરાણ કરવામાં આવ્યું હતું. બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) તાત્કાલિક પહોંચીને વિમાનની સંપૂર્ણ તપાસ શરૂ કરી હતી. બધા મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને વિમાનને તપાસ માટે એક અલગ સ્થળે લઈ જવામાં આવ્યું હતું. એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે અને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) અને સ્થાનિક પોલીસ ધમકીના સ્ત્રોતની સક્રિય તપાસ કરી રહી છે. જો કે હજુ સુધી વાંધાજનક કોઈ સામગ્રી મળી નથી.
એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી
અગાઉ સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ વાયા કોલકાતા જતી એર ઈન્ડિયાની ફ્લાઈટના એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે મુસાફરોને પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં વિમાનમાંથી નીચે ઉતરવાની ફરજ પડી હતી. સોમવારે સાંજે દિલ્હી જતી એર ઈન્ડિયાની બીજી ફ્લાઈટ ટેકઓફ કર્યાના લગભગ 90 મિનિટ પછી હોંગકોંગ પાછી ફરી હતી, કારણ કે વિમાનમાં શંકાસ્પદ ટેકનિકલ ખામી જોવા મળી હતી. એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 315 સોમવારે સવારે હોંગકોંગ ઈન્ટરનેશનલ એરપોર્ટથી દિલ્હી માટે ઉડાન ભરી હતી.
આ પણ વાંચો:
Ahmedabad plane crash: ‘મેડિકલ વિદ્યાર્થીના મોતના આંકડા અંગે અફવા’, ડૉક્ટર એસોસિએશનની સ્પષ્ટતા
Ahmedabad plane crash: વિમાન દુર્ઘટના RAT ને કારણે થઈ! પૂર્વ યુએસ નેવી પાઇલટે કહ્યું
Air India ની મુંબઈથી અમદાવાદ આવતી ફ્લાઇટ રદ કરવી પડી, જાણો કારણ
Ahmedabad plane crash: વિમાન દુર્ઘટના RAT ને કારણે થઈ! પૂર્વ યુએસ નેવી પાઇલટે કહ્યું