Indigo-Flight: ઈન્ડિગો કટોકટી વચ્ચે GOOD NEWS,1650 ફ્લાઈટ પુનઃ શરૂ થઈ, મુસાફરોને રિફંડ મળ્યું!

  • India
  • December 8, 2025
  • 0 Comments

Indigo-Flight: દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોમાં સર્જાયેલી કટોકટી દરમિયાન 2000થી વધુ ફ્લાઈટ્સ રદ થતા સર્વત્ર અંધાધૂંધી સર્જાઈ હતી પણ હવે થોડો સુધારો જોવા મળી રહ્યો છે 7 ડિસેમ્બરના રોજ 1650થી વધુ ફ્લાઈટોએ ઉડાન ભર્યું હતું આગલા દિવસે 1500 હતી. એરલાઈનના 138માંથી 137 સ્થળો સંપૂર્ણપણે કાર્યરત થઈ ગયા છે અને સમયસર ઉડાન ભરવાનો આંકડો પણ 30 ટકાથી વધીને 75 ટકા થયો હોવાનું કંપનીએ જણાવ્યું હતું.

આજે દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ, અમદાવાદ અને ગોવા સહિતના મુખ્ય એરપોર્ટ્સ પર આજે સ્થિતિ સામાન્ય બની હોવાનો કંપનીએ દાવો કર્યો હતો.ઈન્ડિગો દ્વારા અત્યાર સુધીમાં મુસાફરોને 610 કરોડ રૂપિયાનું રિફંડ ચૂકવી દીધું છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા હેરાન થઈ રહેલા મુસાફરો માટે તાત્કાલિક પગલાં ભરી કેટલાક રૂટ પર વિમાનના ભાડામાં જે રીતે ભાડામાં વધારો થયો હતો, તેને રોકી ભાડાની મહત્તમ મર્યાદા નક્કી કરી દીધી છે, જેના કારણે ભાડા સામાન્ય સ્તરે આવી ગયા હતા જેથી તમામ એરલાઈન્સને પણ આ મર્યાદાનું પાલન કરવુ પડ્યું હતું અને મંત્રાલયે ઈન્ડિગોને સખત આદેશ આપ્યો હતો કે, તમામ રદ થયેલી કે વિલંબિત ઉડ્ડયનોનું રિફંડ રવિવાર સાંજે 8 વાગ્યા સુધીમાં પૂર્ણ કરવામાં આવે જેથી ઈન્ડિગો દ્વારા 610 કરોડ રૂપિયાનું રિફંડ ચૂકવવુ પડ્યું હતું.જોકે,હવે ઈન્ડિગો ધીરે ધીરે ઉડયનો વધારી રહી છે અને સુધારો થઈ રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું પરિણામે આગામી દિવસોમાં બધું બરાબર થઈ જવાની આશા બંધાઈ છે.

આમ,પાંચ દિવસની અંધાધૂંધી બાદ, હવાઈ મુસાફરી ફરી પાટા પર ચડી રહી છે અને મોટાભાગની ઈન્ડિગો ફ્લાઇટ્સ ફરી શરૂ થઈ ગઈ છે.આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સમયસર ચાલી રહી છે. દિલ્હી સહિત દેશભરના એરપોર્ટ પર મુસાફરોની ભીડ ઓછી થવા લાગી છે.

આ પણ વાંચો:

The employee drank poison due to the SIR’s workload:મેરઠમાં સિંચાઈ વિભાગના BLO કર્મચારીએ SIR કામગીરીથી ત્રસ્ત થઈ ઝેર પી લીધુ!

Cylinder blast in Goa: ગોવાની નાઈટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 25 લોકોના મોત!

Babri Masjid: હુમાયુએ બંગાળમાં ‘બાબરી મસ્જિદ’નો પાયો નાખ્યો! ચેલેન્જ કરતા કહ્યું”કોઈ અહીંથી એક ઈંટ પણ ખસેડી નહીં શકે!”

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરતથી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Kashmir: ડોડામાં સેનાનું વાહન ખીણમાં ખાબકતા 10 સૈનિકો શહીદ, 3 ગંભીર રીતે ઘાયલ!
  • January 22, 2026

Kashmir: જમ્મુ અને કાશ્મીરના ડોડાના ખાનીટોપ વિસ્તારમાં સૈનિકોને લઈ જતું એક વાહન અકસ્માતે ખીણમાં ખાબકતા દસ સૈનિકો શહીદ થયાના અહેવાલ છે. સેનાના વાહનમાં કુલ 17 સૈનિકો સવાર હતા ઘટના બાદ…

Continue reading
Asaduddin Owaisi: મહારાષ્ટ્રમાં મુસ્લિમ મતદાન પેટર્નમાં આવ્યો બદલાવ ; AIMIM અને ISLAM નો ઉદય શુ સંકેત આપે છે ?
  • January 20, 2026

●BMC ચૂંટણી જીત્યા બાદ સૌથી યુવા કાઉન્સિલરે કહ્યું, “ઈન્સાલાહ મુમ્બ્રાનો રંગ બદલીને લીલો કરી દઈશું!!!” Asaduddin Owaisi: મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મુસ્લિમ મતદારોમાં મોટો બદલાવ જોવા મળ્યો, તેમણે પરંપરાગત ભાજપ વિરોધી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Surendranagar: સુરેન્દ્રનગરના સરોડી ગામે સિલિકોસિસથી 30ના મોતથી હાહાકાર!

  • January 22, 2026
  • 3 views
Surendranagar: સુરેન્દ્રનગરના સરોડી ગામે સિલિકોસિસથી 30ના મોતથી હાહાકાર!

Narendramodi: ફરી એક વખત PM નરેન્દ્ર મોદીએ ટ્રમ્પથી દૂરી બનાવી! 71મી વાર કહ્યું ” ભારત-પાકનું યુદ્ધ મેં રોકાવ્યું!” મોદીજીનું ભેદી મૌન,જુઓ ખાસ વિશ્લેષણ

  • January 22, 2026
  • 4 views
Narendramodi: ફરી એક વખત PM નરેન્દ્ર મોદીએ ટ્રમ્પથી દૂરી બનાવી! 71મી વાર કહ્યું ” ભારત-પાકનું યુદ્ધ મેં રોકાવ્યું!” મોદીજીનું ભેદી મૌન,જુઓ ખાસ વિશ્લેષણ

Kashmir: ડોડામાં સેનાનું વાહન ખીણમાં ખાબકતા 10 સૈનિકો શહીદ, 3 ગંભીર રીતે ઘાયલ!

  • January 22, 2026
  • 8 views
Kashmir: ડોડામાં સેનાનું વાહન ખીણમાં ખાબકતા 10 સૈનિકો શહીદ, 3 ગંભીર રીતે ઘાયલ!

Bullet train: નરેન્દ્ર મોદીએ બુલેટ ટ્રેન વિશે કહ્યું હતું કે, ‘વો કોઈ બેઠને નહિ આને વાલા ! મચ્યો હોબાળો!

  • January 22, 2026
  • 8 views
Bullet train: નરેન્દ્ર મોદીએ બુલેટ ટ્રેન વિશે કહ્યું હતું કે, ‘વો કોઈ બેઠને નહિ આને વાલા ! મચ્યો હોબાળો!

Gujarat Politics: પૂર્વ CM આનંદી બેન ગુજરાતમાં સક્રિય? અનાર પટેલ ની એન્ટ્રી શુ સૂચવે છે? જુઓ, ખાસ વિશ્લેષણ

  • January 22, 2026
  • 7 views
Gujarat Politics: પૂર્વ CM આનંદી બેન ગુજરાતમાં સક્રિય? અનાર પટેલ ની એન્ટ્રી શુ સૂચવે છે? જુઓ, ખાસ વિશ્લેષણ

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

  • January 22, 2026
  • 9 views
FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો