
Trump: અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન યુદ્ધના આજે 12મા દિવસે ઇરાનમાં અત્યાર સુધીમાં 1300થી વધુ લોકોના મોત થયા છે અને 8000 જેટલા ઘરોને નુકસાન થયું છે, UNમાં ઇરાનના રાજદૂત અમીર સઈદ ઇરાવાનીએ આપેલી માહિતી પ્રમાણે દેશમાં લગભગ 9600 નાગરિક વિસ્તારો પર હુમલા થયા છે,જેમાં રહેણાંક મકાનો,બજારો,હોસ્પિટલો,મેડિસિન સેન્ટર્સ અને શાળાઓનો સમાવેશ થાય છે
જ્યારે ઇરાને ઇઝરાયલમાં હાઇફા, યેરુશલમ અને તેલ અવીવ પર પણ મિસાઇલ હુમલા કરવાનો દાવો કર્યો છે. યુદ્ધની અસર અમેરિકી સેના પર પણ પડી છે. અમેરિકાના સંરક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં લગભગ 140 અમેરિકી સૈનિકો ઘાયલ થયા છે,ઈઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચેના આ યુદ્ધને લઈ દુનિયાભરમાં આર્થિક સંકટની સ્થિતિ ઉભી થઈ છે જેના કારણે ટ્રમ્પ અને નેતન્યાહુની વિશ્વભરમાં ટીકાઓ થઈ રહી છે ઇરાનને પછાડવાની અમેરિકાની વ્યૂહાત્મક ગણતરીઓ ઊંધી પડી ગઈ છે અને મંદીનો વૈશ્વિક માહોલ ઉભો થતા અમેરિકા ભેરવાઈ પડ્યું છે અને જો પીછેહટ કરે તો પણ આબરૂ જાય તેવું થઈ ગયું છે.
‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના સલાહકારોએ ઈરાનની શક્તિ આંકવામાં થાપ ખાઈ ગયા છે, જે હવે ભારે પડી રહ્યું છે. અમેરિકાને એમ હતું કે ઈરાન પર ભીષણ હુમલા કર્યા બાદ તે ઢીલું પડશે અને સરન્ડર થઈ જશે પરંતુ ઈરાને બમણી તાકાત સાથે અમેરિકી સૈન્ય મથકો અને ઈઝરાયલી વસ્તીવાળા વિસ્તારો પર મિસાઈલ અને ડ્રોન હુમલા પુરી આક્રમકતા સાથે ચાલુ રાખતા અમેરિકાની ગણતરી ખોટી પડી છે.
સંરક્ષણ સચિવ પીટ હેગસેથે સ્વીકાર્યું છે કે ઈરાનના વળતા પ્રહારોથી પેન્ટાગોનને ચોંકી ગયું છે. સીનેટર ક્રિસ મર્ફીના જણાવ્યા મુજબ, ખરેખર સાચી વાસ્તવિકતા તો એ છે કે વહીવટીતંત્ર પાસે હાલમાં ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ને ફરીથી ખોલવા માટે કોઈ સ્પષ્ટ યોજના જ નથી. વ્હાઇટ હાઉસના અધિકારીઓમાં પણ હવે આ જંગ કઈ રીતે ખતમ કરવો તેની કોઈ સ્પષ્ટ રણનીતી જ નથી આમ,ઈરાન ઉપર હુમલા કર્યા બાદ વિશ્વભરમાં મંદીના વાદળો મંડરાયા છે જેના માટે આડકતરી રીતે કોઈ પ્લાનિંગ વગર અમેરિકાએ ભરેલું યુદ્ધનું પગલું હોવાનું વિશ્લેષકો માની રહયા છે.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!






