
Iran War Update: ઈરાનમાં યુદ્ધની સ્થિતિમાં અહીં રહેતા ભારતીયો માટે તેહરાન ખાતે આવેલા ભારતીય દૂતાવાસ દ્વારા આજે સોમવારે એક નવી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે, જેમાં જણાવાયું છે કે ભારતીય નાગરિકો દૂતાવાસને જાણ કર્યા વિના ઈરાનની સરહદ પાર કરવાનો પ્રયાસ ન કરે,દૂતાવાસ અહીં વસતા ભારતીય લોકોના સતત સંપર્કમાં છે અને જરૂર પડ્યે સાથે મળીને વ્યવસ્થા કરવામાં આવી રહી છે જેથી દુતાવાસને જાણકારી આપ્યા વિના બોર્ડર ક્રોસ નહિ કરવા સલાહ અપાઈ છે.

દૂતાવાસે એમ પણ કહ્યું છે કે જે ભારતીય નાગરિકો દૂતાવાસને જાણ કર્યા વિના જમીની સરહદ માર્ગે ઈરાન છોડવાનો પ્રયાસ કરશે, તેમને ગંભીર મુશ્કેલીઓ અને ઇમિગ્રેશનને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ જાણકારી આપ્યા વિના ઈરાનની સરહદ પાર કરીને બહાર જતી રહેશે, તો તેવી સ્થિતિમાં દૂતાવાસ તેની મદદ કરી શકશે નહીં આમ,ભારતીય નાગરિકો માટે ઈરાન સ્થિત દુતાવાસે ખાસ એડવાઈઝરી જાહેર કરી કોન્ટેક્ટ નંબર પણ જાહેર કરાયા છે.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!






