
જમ્મુ કાશ્મીર: કઠુઆમાં ત્રણ નાગરિકોના મળ્યા મૃતદેહ મળ્યા; કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે શું કહ્યું?
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે રવિવારે ટ્વિટર પર લખ્યું કે જમ્મુના કઠુઆ જિલ્લામાં આતંકવાદીઓ દ્વારા ત્રણ નાગરિકોની હત્યા કરવામાં આવી છે.
તેમણે દાવો કર્યો કે કઠુઆ જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણને ખરાબ કરવા માટે ‘માસ્ટર પ્લાન’ ઘડવામાં આવી રહ્યું છે.
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે ટ્વિટર પર લખ્યું, “કઠુઆ જિલ્લાના બાની વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા ત્રણ યુવાનોની ક્રૂર હત્યા અત્યંત દુઃખદ અને ગંભીર ચિંતાનો વિષય છે.”
“આ શાંતિપૂર્ણ વિસ્તારમાં વાતાવરણ બગાડવા પાછળ કોઈ ઊંડું ષડયંત્ર હોય તેવું લાગે છે. અમે આ બાબતે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી છે.
“કેન્દ્રીય ગૃહ સચિવ પોતે જમ્મુ પહોંચી રહ્યા છે, જેથી સ્થળ પર પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી શકાય. મને વિશ્વાસ છે કે આવી ઘટનાઓ ફરી ન બને તેની ખાતરી કરવામાં આવશે અને લોકોનો વિશ્વાસ મજબૂત રહેશે.”
આ ત્રણ યુવાનો ગુરુવારે સાંજે જમ્મુના કઠુઆ જિલ્લાના મલ્હાર વિસ્તારમાંથી ગુમ થયા હતા. શનિવારે સાંજે, આ ત્રણ યુવાનોના મૃતદેહ મલ્હાર વિસ્તારમાં એક નદીમાંથી મળી આવ્યા હતા.