
jharkhand: ઝારખંડના સાહિબગંજમાં એક મોટી રેલવે દુર્ઘટના ઘટી છે. અહીં બે માલગાડીઓ એકબીજા સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે એક ટ્રેનના એન્જિનમાં આગ લાગી ગઈ હતી. આ અકસ્માતમાં બે ડ્રાઇવરના મોત થયા છે. આ દરમિયાન ત્રણ CISF જવાનો પણ ઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવાય છે. જોકે, હાલમાં ફક્ત બે જ મૃત્યુની સત્તાવાર પુષ્ટિ થઈ છે. મળતી માહિતી મુજબ આ ઘટના સવારે 3:30 વાગ્યાની આસપાસ બની છે. ફરક્કાથી લાલમતિયા જઈ રહેલી માલગાડી બરહેતમાં ઉભી રહેલી માલગાડી સાથે અથડાઈ હતી. આ પછી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી. ઘણી મહેનત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો.
સ્થાનિક લોકોનું કહેવું છે કે માલગાડીઓ વચ્ચેની ટક્કર એટલી ગંભીર હતી કે બે ટ્રેનના ચાલકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ટક્કરને કારણે, કોલસાથી ભરેલા એન્જિન અને બોગીઓમાં આગ લાગી ગઈ હતી. બંને ટ્રેનો પાટા પરથી ઉતરી ગઈ હતી. એક ટ્રેનનું એન્જિન સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયું છે. હાલ રાહત અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે.
આ પણ વાંચોઃ ‘એમ્પુરાણ’ ફિલ્મ રિલિઝ થયા બાદ હિન્દુ સંગઠનનો વિરોધ, ગુજરાત રમખાણોની વાત, રાજકારણ ગરમાયું | L2: Empuraan
આ પણ વાંચોઃ Katch: પેટ્રોલ પંપ પાસે આગ, બ્લાસ્ટ થવાનો ભય, લોકોના જીવ તાળવે ચોટ્યા (VIDEO)
આ પણ વાંચોઃRajkot: ગૃહપતિએ વિદ્યાર્થી પર આચર્યું સૃષ્ટિ વિરુધનું કૃત્ય, પિતાએ શું કર્યો આક્ષેપ?