Junagadh: વેરાવળ સેશન્સ કોર્ટે દેવાયત ખવડના જામીન કર્યા રદ, પોલીસ સ્ટેશનમાં થવું પડશે હાજર

  • Gujarat
  • September 11, 2025
  • 0 Comments

Junagadh: વેરાવળ સેશન્સ કોર્ટે તાલાલા પોલીસની રિવિઝન અરજીને મંજૂરી આપીને કલાકાર દેવાયત ખવડ અને અન્ય આરોપીઓના જામીન રદ કર્યા છે. ખાસ વાત એ છે કે આ કેસમાં ખવડના વકીલે જામીન રદ્દીનો વિરોધ ન કર્યો. હવે આરોપીઓએ તાલાલા પોલીસ સ્ટેશનમાં હાજર થવું પડશે.

વેરાવળ સેશન્સ કોર્ટે દેવાયત ખવડના જામીન કર્યા રદ

આ ઘટના તાલાલા ગીરના ચિત્રોડ ગામે 12 ઓગસ્ટ, 2025ના રોજ બની હતી, જ્યાં દેવાયત ખવડ અને તેના 15 સાથીઓએ અમદાવાદના સનાથલના રહેવાસી ધ્રુવરાજસિંહ ચૌહાણ પર જીવલેણ હુમલો કર્યો હતો. આરોપીઓએ ફોર્ચ્યુનર અને ક્રેટા કારથી ધ્રુવરાજસિંહની કિયા કારને ટક્કર મારી, ગાળો ભાંડી, લોખંડના ધોકાથી કાચ ફોડ્યા અને 15 તોલા સોનાના દોરાની લૂંટ કરી હતી. ખવડે રિવોલ્વર બતાવીને કેસ ન કરવાની ધમકી પણ આપી હતી. ઇજાગ્રસ્ત ધ્રુવરાજસિંહને તાલાલા અને પછી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આરોપીઓએ પોલીસ સમક્ષ હાજર થવું પડશે

નીચલી કોર્ટે આ કેસમાં ખવડ સહિત 15 આરોપીઓને જામીન આપ્યા હતા. જોકે, તાલાલા પોલીસે આ નિર્ણય સામે વેરાવળ સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી. સરકારી વકીલ કેતનસિંહ વાળાએ દલીલો રજૂ કરી, અને કોર્ટે આદેશ આપ્યો કે ખવડ અને અન્ય આરોપીઓના જામીન રદ કરવામાં આવે. આગળની કાર્યવાહી માટે આરોપીઓએ પોલીસ સમક્ષ હાજર થવું પડશે.

સનાથલમાં છેતરપિંડી સહિત કુલ 5 ગુના નોંધાયેલા

દેવાયત ખવડ અને સાથીઓ સામે BNSની કલમ 109, 311, 118, 191 અને આર્મ્સ એક્ટ હેઠળ ગુના નોંધાયા છે. ખવડ સામે રાજકોટમાં હત્યાની કોશિશ, સનાથલમાં છેતરપિંડી સહિત કુલ 5 ગુના નોંધાયેલા છે, જ્યારે અન્ય સાથીઓ પર જુગાર અને મારામારીના કેસો છે.

શું હતો મામલો ?

20 ફેબ્રુઆરી, 2025ના રોજ સનાથલમાં એક ડાયરાના કાર્યક્રમમાં ખવડની કાર પર હુમલો થયો હતો, જેમાં ધ્રુવરાજસિંહ અને અન્ય લોકો સામે ગુનો નોંધાયો હતો. બીજી તરફ, ભગવતસિંહ ચૌહાણે ખવડ સામે 8 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ બંને ઘટનાઓએ બંને જૂથો વચ્ચે વૈર વધાર્યું.

ખવડનો રાજકોટના બિલ્ડર મયૂરસિંહ રાણા સાથે પણ જૂનો વિવાદ છે. નવેમ્બર 2021માં કાર પાર્કિંગને લઈને ઝઘડો થયો હતો, જે પછી સમાજના મોભીઓએ સમાધાન કરાવ્યું હતું. જોકે, બાદમાં રાણા પર ખવડે હુમલો કર્યો હતો, જેમાં તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો અને પછી ક્રાઈમ બ્રાન્ચમાં હાજર થયો હતો.

આ કેસે ગીર સોમનાથ જિલ્લામાં સનસનાટી મચાવી છે, અને પોલીસે કડક કાર્યવાહીની માગ કરી છે.

આ પણ વાંચો:  

Nepal Gen-Z Revolution: ભાવનગરના 40થી વધુ શ્રદ્ધાળુઓ નેપાળમાં ફસાયા, મદદ માટે કરી અપીલ

 Nepal Protest: નેપાળના પૂર્વ PM અને નાણામંત્રીને યુવાનોએ દોડાવી દોડાવીને માર્યા, જાણો અત્યારે કેવી છે સ્થિતિ?

Delhi Thar Accident: લીંબુ પર નવી થારનું પૈડું ચલાવવા જતા મહિલાએ કારને શો-રૂમ બહાર કુદાવી, મહિલાનું શું થયું?

Indian Stock Market : ભારતીય શેરબજારની રૂખ ટૂંકાથી મધ્યમ ગાળે કેવી રહેશે? જાણો આજના સમય મુજબ જોખમો અને પડકારો

  • Related Posts

    Gujarat: ભૂપેન્દ્ર પટેલ સરકારે ધરતીપુત્રો માટે 10 હજાર કરોડની સહાય જાહેર કરી, શું આ પૂરતું છે?
    • November 7, 2025

    Gujarat: ગુજરાતમાં પડેલા કમોસમી પડેલા વરસાદથી ધરતીપુત્રોની હાલત કફોડી બની છે. ત્યારે લાંબી રાહ જોયા બાદ ગુજરાત સરકારે 10 હજાર કરોડની સહાયની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માહિતી આપી…

    Continue reading
    Ahmedabad: રણુજાનગર વિસ્તારમાં AMCની વિશાળ ડિમોલિશન ડ્રાઇવ, 96 બાંધકામો તોડી પાડ્યા, સ્થાનિકોએ શું કહ્યું?
    • November 7, 2025

    Ahmedabad: અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા શહેરી વિકાસના માર્ગમાં મહત્વની કડી તરીકે રણુજાનગર વિસ્તારમાં આજે વિશાળ ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોધપુર વોર્ડ નં. 20માં આવેલા આ વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    UP: દૂધમાં ડ્રગ્સ, કેમેરા બંધ, હાથ-પગ બાંધેલા, ડૉક્ટરની પત્નીનું ઇલેક્ટ્રિશિયન સાથે અફેર, દારુ પીને ટલ્લી થઈ જતા…

    • November 7, 2025
    • 2 views
    UP: દૂધમાં ડ્રગ્સ, કેમેરા બંધ, હાથ-પગ બાંધેલા, ડૉક્ટરની પત્નીનું ઇલેક્ટ્રિશિયન સાથે અફેર, દારુ પીને ટલ્લી થઈ જતા…

    Anna Hazare: ‘જીવન ઐયાશી માટે નથી’, 1800 કરોડના જમીન કૌભાંડ અંગે અન્ના હઝારે શું બોલ્યા

    • November 7, 2025
    • 3 views
    Anna Hazare: ‘જીવન ઐયાશી માટે નથી’, 1800 કરોડના જમીન કૌભાંડ અંગે અન્ના હઝારે શું બોલ્યા

    Delhi Pollution: પ્રદૂષણને ‘પબ્લિક હેલ્થ ઈમરજન્સી’ જાહેર કરવા સુપ્રીમમાં અરજી,  22 લાખ બાળકોના ફેફસાં ખરાબ થઈ ગયા!

    • November 7, 2025
    • 3 views
    Delhi Pollution: પ્રદૂષણને ‘પબ્લિક હેલ્થ ઈમરજન્સી’ જાહેર કરવા સુપ્રીમમાં અરજી,  22 લાખ બાળકોના ફેફસાં ખરાબ થઈ ગયા!

    Gujarat: ભૂપેન્દ્ર પટેલ સરકારે ધરતીપુત્રો માટે 10 હજાર કરોડની સહાય જાહેર કરી, શું આ પૂરતું છે?

    • November 7, 2025
    • 15 views
    Gujarat: ભૂપેન્દ્ર પટેલ સરકારે ધરતીપુત્રો માટે 10 હજાર કરોડની સહાય જાહેર કરી, શું આ પૂરતું છે?

    Uttarakhand: દહેરાદૂનમાં પ્રાથમિક શિક્ષણ નિયામકનો મહિલા પત્રકાર પર હુમલો!સવાલ પૂછતાજ ઉશ્કેરાઈ ગયા!!

    • November 7, 2025
    • 17 views
    Uttarakhand: દહેરાદૂનમાં પ્રાથમિક શિક્ષણ નિયામકનો મહિલા પત્રકાર પર હુમલો!સવાલ પૂછતાજ ઉશ્કેરાઈ ગયા!!

    Bihar: JDU નેતા અશોક ચૌધરીની પુત્રીએ બેવાર મતદાન કર્યું?, કેમેરા સામે પોઝ આપતાં બે હાથ પર શાહી!

    • November 7, 2025
    • 27 views
    Bihar: JDU નેતા અશોક ચૌધરીની પુત્રીએ બેવાર મતદાન કર્યું?, કેમેરા સામે પોઝ આપતાં બે હાથ પર શાહી!