
ગીરના લોકો સરકારીની ઈકોઝોનની સિસ્ટમનો સતત વિરોધ કરી રહ્યા છે. ત્યારે હવે જૂનાગઢના વિસાવદર તાલુકામાં ખેડૂતોની મોટી જનસભા યોજવા જઈ રહી છે. ઇકોઝોનના વિરુદ્ધમાં 28 ડિસેમ્બરે વિશાળ જનસભા યોજાવા જઈ રહી છે. ઇકોઝોનની લડતના પ્રણેતા અને આપ નેતા પ્રવીણ રામ તેમજ વિસાવદરના આમ આદમી પાર્ટીના હરેશભાઈ સાવલિયાએ વિડિયો મારફત આ જનસભાની જાહેરાત કરી છે.
આવનારી 28 ડિસેમ્બરે વિસાવદરના મોટી મોણપરી ગામ ખાતે બપોરે 1 કલાકે ઇકોઝોનની વિરુધ્ધમાં મોટી જનસભા યોજવાની છે. જનસભાને સફળ બનાવવા માટે વિસાવદર અને તાલાલામાં ગામડે ગામડે આમ આદમી પાર્ટીના કાર્યકરો બેઠોક બોલવવામાં આવી રહી છે. વિસાવદરમાં આમ આદમી પાર્ટીના હરેશભાઈ સાવલીયા, કૈલાશભાઈ ,ભદ્રેશભાઈ કરી તેમજ અન્ય આગેવાનો તેમજ તાલાલાનાં પ્રવીણ રામ અને ડી બી સોલંકી દ્વારા ખાટલા બેઠક યોજવામાં આવી રહી છે. પ્રવીણ રામએ કહ્યું ગીરના લોકો હળવા નિયમ સાથે ઇકોઝોન લાગુ કરવાની વાતમાં સહમત નથી.
કેમ વિરોધ!
ઇકો-સેન્સિટીવ ઝોનમાં રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્રો-ઠરાવો અને જોગવાઇઓ મુજબ કોઇ વ્યક્તિ કે સમુદાય કે સમાજ, ઘર, દુકાન, કરી શકે છે. તે પણ મંજૂરી લેવી પડી શકે છે. આ વિસ્તારમાં પ્રદૂષણ ફેલાવતા મોટા ઉદ્યોગો ઉપર નિયંત્રણ છે. ખેતર કે વાડીના માલિક પોતાના ખેતર કે વાડીમાં ભૂગર્ભમાંથી પાણી કાઢવા કૂવા કે દાર કરી શકે છે. વીજ કનેક્શન લેવા જેવી ખેતી વિષયક બાબતે કોઇ મનાઇ નથી. પરંતુ પાછળથી ખેડૂતોને મળતી સુવિધાઓને પણ અટકાવી દેવમાં આવે તેવો ડર સતાવી રહ્યો છે.