
Narendramodi: નરેન્દ્રભાઈ મોદીએ કલ્પસર યોજનાના સપના બતાવ્યા હતા પણ તે હજુસુધી પૂર્ણ થઈ શક્યા નથી.
મહત્વની વાતતો એ છે કે ૨૦૧૯માં ચૂંટણી ઢંઢેરામાં આ યોજનાનો જોર જોરથી ઢોલ પીટવામાં આવ્યો હતો અને તે સમયે ચુંટણી ઢંઢેરામાં આ મુદ્દાનો સમાવેશ થયો હોવા છતાં હજુ પ્રોજેક્ટનું ગ્રાઉન્ડવર્ક થયું નથી અને આ યોજના પણ કાગળ પર જ રહી ગઈ છે અને લોકો ભૂલી ગયા છે.
જ્યારે મોદી સરકારે સપના બતાવ્યા ત્યારે તે વખતે લોકો ખૂબજ ખુશ થઈ ગયા હતા જેમાં નક્કી થયા મુજબ ખંભાતના અખાતમાં મીઠા પાણીનું મોટું સરોવર બનાવવામાં આવશે અને દરિયામાં આવતી ભરતી-ઓટ દ્વારા વીજળી (Tidal Power) ઉત્પન્ન થશે.
આ યોજનાથી ખેતી માટે સિંચાઈ, પીવાના પાણી અને ઉદ્યોગો માટે પાણી પૂરું પાડવામાં આવશે.આ યોજનામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતો પરિવહન માર્ગ બનાવવા સહિત મત્સ્યોદ્યોગ અને બંદરોનો વિકાસ કરવા માટે કલ્પસર યોજનાને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગણાવવામાં આવ્યો હતો,પરંતુ આ યોજના હજુ પૂર્ણ થઈ નથી પણ વર્ષોથી તેના સર્વે અને પ્લાનિંગ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ જરૂર થયો છે.આમ,નરેન્દ્રભાઈ મોદી સાહેબની આ યોજના પણ એક સપનું બનીને રહી ગઈ.
આ મુદ્દા ઉપર વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે વિસ્તૃત છણાવટ કરી છે જોવાનું ચૂકશો નહિ.
The Gujarat Report | સાંપ્રત લોક હિતના વિષયોના સમાચાર અને સચોટ વિશ્લેષણ જુઓ માત્ર ધ ગુજરાત રિપોર્ટ પર
જુઓ વિડીયો
આ પણ વાંચો:
Pentagon: ચીનની ભેદી હિલચાલ; અરૂણાચલ પ્રદેશ કબ્જે કરવા કરી રહ્યું છે, તૈયારીઓ! પેન્ટગોને આપી ચેતવણી!
Donald Trump: ટ્રમ્પનો ‘ટેરિફ દાવ’ ઊંધો પડ્યો! 700થી વધુ યુએસ કંપનીઓને લાગ્યા તાળા!
Aravali Case: અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટેનો પોતાનાજ આદેશ પર સ્ટે; આગામી સુનાવણી 21મી એ થશે









