Gujarat BJP: ગુજરાત ભાજપની નવી પ્રદેશ સમિતિમાં “CR પાટીલ વિરોધી જૂથ”નો દબદબો! પૂર્વ પ્રમુખોનો પ્રભાવ ઘટાડવાનો પ્રયોગ સફળ રહેશે?

  • Gujarat
  • December 29, 2025
  • 0 Comments

Gujarat BJP: ગુજરાત ભાજપમાં નવા સંગઠન મામલે ગણગણાટ શરૂ થઈ ગયો છે અને કેટલાક અજમાવવામાં આવેલા (પ્રયોગો) નિર્ણયમાં આંતરિક મતભેદો ઉભા થવાની શક્યતાઓ જણાઈ રહી છે.ખાસ કરીને પાટીલના વિરોધી જૂથના નેતાઓને મહત્ત્વના હોદ્દા સોંપીને તેમજ પૂર્વ પ્રમુખોનો પ્રભાવ ઓછો કરવા સંગઠનમાં શક્તિ સંતુલન બદલવાનો પ્રયાસ કરાયો હોવાનું ગણિત માંડવામાં આવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે જે કેટલું સફળ રહશે તેતો આગામી સમયમાં ખબર પડશે.

કેટલાક એવી ગણતરીમાં પડ્યા હતા કે ભાજપમાં ‘એક વ્યક્તિ, એક હોદ્દો’નો જે નિયમ છે કે તે મુજબ જેઓ પાસે પહેલેથીજ કોઇ જવાબદારી સંભાળે છે તેવા નેતાઓને પ્રદેશ સમિતિમાં સમાવેશ નહિ થાય પણ એવું નથી થયુ અને આવા ઘણાને બીજો હોદ્દો ફાળવી નવી યાદીમાં સમાવિષ્ટ કરાયા છે.નવા પ્રદેશ પ્રમુખ દ્વારા જાહેર થયેલી આ સમિતિમાં પક્ષમાં પૂર્વ પ્રમુખોના પ્રભાવને ઓછો કરાયો હોવાનું કહેવાય છે અને હવે સમીકરણો બદલાઈ ગયા છે.

નવા સંગઠનમાં દક્ષિણ ગુજરાત અને વડોદરા જેવા ભાજપના ગઢની અવગણના થઈ હોવાની લાગણી ઉભી થઇ છે,દક્ષિણ ગુજરાતમાંથી કોઈને મહામંત્રી પદ મળ્યું નથી,કુલ મહામંત્રીઓ માંથી ત્રણ મહામંત્રીઓતો માત્ર સૌરાષ્ટ્રમાંથી છે પરિણામે ઉત્તર અને મધ્ય ગુજરાતના નેતાઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે.

બીજી નોંધનીય બાબત એ જોવા મળી રહી છે કે તત્કાલીન પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સામે પડેલા અને અગાઉ પત્રિકા કાંડ વખતે જેઓના નામો ઉછળ્યા હતા તેવા પાટીલ વિરોધીઓને મહત્ત્વના હોદ્દા ઉપર બિરાજમાન કરાયા છે, જેમાં પૂર્વ મંત્રી અને પાટીલના કટ્ટર વિરોધી મનાતા ગણપત વસાવાને અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક અપાઈ છે.એજ રીતે ઝંખનાબેન પટેલ જેઓની ટિકિટ કાપવામાં આવી હતી તેઓને પ્રદેશ સમિતિમાં ઉપપ્રમુખનો હોદ્દો મળ્યો છે.

સેન્સ પ્રક્રિયામાં કેટલીક વાતો ધ્યાને નહિ લેવાઈ હોવાની પણ ચર્ચાઓ છે, જેમાં સુરેન્દ્રનગરની વાત કરવામાં આવેતો જેઓનો જિલ્લા પ્રમુખ તરીકે જ સ્થાનિક કાર્યકરોનો વિરોધ હતો તેમને પ્રદેશ મહામંત્રી બનાવી દેવાતા સ્થાનિક ભાજપમાં કચવાટ સાથે આ વાત ભારે ચર્ચાસ્પદ બની છે.

તેજ રીતે ખેડાના અજય બ્રહ્મભટ્ટને મહામંત્રી બનાવવામાં આવ્યા છે અને તેનાથી રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે આમાં વડોદરા અને ઉત્તર ગુજરાતના દાવેદારોની અવગણના કરવામાં આવી છે અને નવી પ્રદેશ સમિતિમાં ભૌગોલિક સંતુલન ખોરવાયું હોવાની વાતો ચર્ચાઈ રહી છે.

આ પણ વાંચો:

Gujarat Police: પોલીસનો હાઇવે ઉપર ઈજ્જતનો ‘કચરો’ કોણે કર્યો? હપ્તાની લાઈન શુ છે?હર્ષ સંઘવી જાતે આ વીડિયો જોઈને નક્કી કરે!!

Bauxite mineral theft: ખેડાના અમૃતપુરા ગામે 62 હેક્ટર ગૌચરની જમીનમાંથી કોલસો ખોદાશે!

Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યામાં મોટો ખુલાસો! આખરે સત્ય સામે આવીજ ગયું! કટ્ટરવાદીઓ ખુલ્લા પડ્યા

Liquor: ગુજરાતના આ ‘CITY’માં હવે ખુલ્લેઆમ દારૂ પી શકાશે! પરમીટની જરૂર નહીં પડે! સરકારે આપી વધુ છૂટછાટ!

 

Related Posts

Gujarat Farmers Protest: ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો 30 જૂને ગુજરાતભરમાં ચક્કાજામ
  • June 16, 2026

Gujarat Farmers Protest: ગુજરાતના ધરતીપુત્રો હવે આકરા પાણીએ છે. અમદાવાદના શાંતિપુરા સર્કલથી શરૂ થયેલી ‘કિસાન અધિકાર યાત્રા’ જ્યારે ગાંધીનગર તરફ કૂચ કરી રહી હતી, ત્યારે ઓગણજ ટોલનાકા પર પોલીસે તેમને…

Continue reading
Morbi Jetpar Farmers Protest: મોરબીના જેતપરમાં ખેડૂતો સામે ખાખી અને કોર્પોરેટની જોડી? વીજ પોલ મુદ્દે ઉગ્ર બન્યો વિરોધ
  • June 15, 2026

Morbi Jetpar Farmers Protest: મોરબીના જેતપર ગામની ધરતી પર અત્યારે અંધાધૂંધીનો માહોલ છે. પોતાની ખેતીલાયક જમીન અને પાકને બચાવવા માટે છેલ્લા એક અઠવાડિયાથી ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે, પરંતુ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

  • June 16, 2026
  • 4 views
Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

  • June 16, 2026
  • 4 views
Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

  • June 16, 2026
  • 10 views
Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

  • June 16, 2026
  • 12 views
NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

  • June 16, 2026
  • 12 views
Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?

  • June 16, 2026
  • 8 views
BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?