Murder: કર્ણાટકમાં ઘરના મોભીએ પરિવારના 3 લોકોને ઝેર આપી મારી નાખ્યા, પોતે પણ કર્યો આપઘાત  

  • India
  • February 18, 2025
  • 0 Comments

Family Murder: સોમવારે કર્ણાટકના મૈસુરના વિશ્વેશ્વરાય નગર વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં એક જ પરિવારના ચાર સભ્યો રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોની ઓળખ ચેતન (45), તેની પત્ની રૂપાલી (43), તેમનો 15 વર્ષનો પુત્ર અને ચેતનની માતા પ્રિયમવદા (62) તરીકે થઈ છે. પોલીસને શંકા છે કે ચેતને પહેલા ત્રણેયને ઝેર આપ્યું અને પછી ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે.

પોલીસ ઘટનાસ્થળે પહોંચી

મૈસુર શહેરના પોલીસ કમિશનર સીમા લાટકરે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. આ પછી તેમણે કહ્યું કે પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરિવારના 4 સભ્યો મૃત હાલતમાં મળી આવ્યા છે. ચેતનની માતા એક ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવી હતી અને બાકીના બધા તે જ એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સના બીજા ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે પ્રિયંવદા અલગ રહેતી હતી.

આત્મહત્યા કરતા પહેલા ચેતને તેના ભાઈને ફોન કર્યો હતો

મૃતક ચેતને અમેરિકામાં રહેતા તેના ભાઈ ભરતને ફોન કરીને કહ્યું હતું કે તે તેના પરિવાર સાથે આત્મહત્યા કરી રહ્યો છે. પોલીસ કમિશનરે કહ્યું કે ભરતે તરત જ રૂપાલીના માતાપિતાને ફોન કર્યો અને તેમને ચેતનના એપાર્ટમેન્ટમાં પહોંચવા કહ્યું હતુ. જ્યારે તેઓ ફ્લેટ પર પહોંચ્યા, ત્યારે ઘટના બની ચૂકી હતી. તેમણે સવારે 6 વાગ્યે પોલીસને ફોન કર્યો અને વિદ્યારણ્યપુરમ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને કેસની તપાસ શરૂ કરી હતી.

દેવું થઈ જતાં પગલું ભર્યું

અહેવાલ અનુસાર, ચેતન એક મિકેનિકલ એન્જિનિયર હતો જે HR કન્સલ્ટન્સી ફર્મ ચલાવતો હતો. તેના પર ભારે દેવું હતું કારણ કે તેણે ખાનગી શાહુકારો સહિત અનેક નાણાકીય સંસ્થાઓ પાસેથી લગભગ ૩ કરોડ રૂપિયા ઉધાર લીધા હતા. ચેતનનો પરિવાર વિશ્વેશ્વરનગરમાં એક ફ્લેટમાં રહેતો હતો અને તેની માતા તે જ માળે બાજુના ફ્લેટમાં એકલી રહેતી હતી.

ઘટનાસ્થળેથી ચીઠ્ઠી મળી

ઘટનાને અંજામ આપતાં પહેલા એક ચીઠ્ઠી પણ તેણે લખી હતી. ચેતને લખ્યું છે કે પોલીસે તેના મૃત્યુ માટે તેના પરિવારના અન્ય સભ્યો, સંબંધીઓ અને મિત્રોને હેરાન ન કરવા જોઈએ. ચેતને એમ પણ કહ્યું કે તેને આ પગલું ભરવાનો પસ્તાવો છે અને તે તેના માટે જવાબદાર છે. પોલીસે જણાવ્યું કે ચેતને સવારે 4 વાગ્યે તેના ભાઈ ભરતને ફોન કર્યો હતો. ત્યાર બાદ પોલીસને જાણ કરતાં તપાસ હાથ ધરાઈ છે.

 

 

આ પણ વાંચોઃ આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પરિણામ, 16મીએ થયું હતુ મતદાન

 

આ પણ વાંચોઃ રાજકોટ: મહિલા દર્દીઓની તપાસના વિડિયો યુટ્યુબ પર અપ્લોડ કરતાં તપાસના આદેશ, જીલ્લાની હોસ્પિટલો પર તવાઈ

  • Related Posts

    Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?
    • April 29, 2025

    Pahalgam Attack: 22 એપ્રિલે થયેલા પહેલગામ આતંકવાદી હુમલાનો વીડિયો ગઈકાલે વાઈરલ થયો હતો. જેમાં એક ઝિપ લાઇન ઓપરેટર હુમલા દરમિયાન ધાર્મિક સૂત્રોચ્ચાર કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો સામે આવ્યા…

    Continue reading
    Cyber ​​Attack: રાજસ્થાનની સરકારી વેબસાઇટને પાકિસ્તાને હેક કર્યાના આરોપ, શું લખ્યું!
    • April 29, 2025

     Cyber ​​Attack: રાજસ્થાન શિક્ષણ વિભાગની વેબસાઇટ હેક કરતાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાન સાયબર ફોર્સે તેના પર પોતાની પોસ્ટ કરી છે. શિક્ષણ વિભાગની વેબસાઇટ ખુલી રહી નથી. વેબસાઇટ પર કાશ્મીરમાં…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર

    • April 30, 2025
    • 6 views
    Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર

    China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

    • April 29, 2025
    • 13 views
    China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

    Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

    • April 29, 2025
    • 24 views
    Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

    Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

    • April 29, 2025
    • 28 views
    Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

    MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

    • April 29, 2025
    • 28 views
    MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

    TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

    • April 29, 2025
    • 37 views
    TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?