Kutch: કચ્છમાં મોટાપાયે ખાનગી કંપનીઓને જમીનો પધરાવાઈ રહી છે ત્યારે હવે ગૌ માતા સહિતના દુધાળા પશુઓના મોઢામાંથી કોળિયો છીનવવાની સરકારની હિલચાલનો માલધારી સમાજની બહેનોએ વિરોધ કર્યો છે.કચ્છમાં વિકાસના ઓઠા હેઠળ પશુપાલન ઉપર નિર્ભર માલધારી સમાજનો મુખ્ય વ્યવસાય ખતમ કરવાના સરકાર પર આરોપ લાગ્યા છે.
મુખ્યત્વે અહીં ચારણ સમાજ પશુપાલન ઉપર નિર્ભર છે. ગૌધન બચાવવાની મોટી મોટી વાતો વચ્ચે રાજાશાહી યુગની ગૌચરની જમીન હવે વિકાસના ઓઠા હેઠળ છીનવી લઈ માલધારી સમાજની રોજીરોટી છીનવી લેવાના પ્રયાસો થતાં હવે ગૌચરની જમીન બચાવવા મહિલાઓ સક્રિય થઈ છે. માંડવીના કાઠડા ગામની ગૌચર જમીન બચાવવા 300 મહિલાઓએ પીએમ મોદીને પત્ર લખી અપીલ કરી છે, જ્યારે અંજારમાં ગૌચર જમીન બચાવવા ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પશુપાલન માટે મહત્ત્વની ગૌચર જમીનો પર ખાનગી કંપનીઓના દબાણનો લોકો વિરોધ કરી રહ્યા છે.એક તરફ ગાય માતાના નામે હિન્દુત્વ ની વાતો કરી મત મંગવામાં આવે છે અને બીજી તરફ ગૌ માતાનો ચારો છીનવી લેવામાં આવી રહ્યો છે.આ અંગે ભારુ ગઢવીએ ત્યાંની વાસ્તવિક સ્થિતિની જાણકારી આપી હતી.
આ પણ વાંચો:
Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા



