ઊંઝા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી પછી પત્રિકા યુદ્ધ! લખ્યું- કમળની પાંખડીયો તોડવામાં કોણ જવાબદાર

  • Gujarat
  • December 30, 2024
  • 0 Comments

ઊંઝા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ સતત વિવાદ સામે આવી રહ્યા છે. ભાજપના મેન્ડેડ મર્યા હોવા છતાં તેમના ઉમેદવારો હારી જવાના કારણે એક નવી જ ચર્ચા ઉભી થઈ હતી. હવે આ ચર્ચાએ પત્રિકા યુદ્ધ સુધી પહોંચી ગઈ છે. ઉલ્લેખનિય છે કે, વર્તમાન સમયમાં ભાજપ અને આરએસએસ વચ્ચે ટોચ લેવલે નારાજગી જોવા મળી રહી છે. તો ભાજપમાં હવે અંદરોદરના વિવાદ સપાટી ઉપર આવી રહ્યાં છે. ઊંઝા ભાજપમાં પત્રિકા યુદ્ધ શરૂ થતાં ખળભળાટ મચ્યો છે.

વિશ્વમાં જીરાના સૌથી મોટા જથ્થાબંધ બજાર તરીકે જાણીતી ઊંઝા એપીએમસીની રસાકસી ભરેલી ચૂંટણીમાં ભાજપની પેનલનો પરાજય થયો હતો. ઊંઝાની બેઠક પરથી ભાજપના ધારાસભ્ય કિરીટકુમાર પટેલ અને પાર્ટીએ જેમને ચૂંટણી લડવાનો મૅન્ડેટ આપ્યો હતો તેવા સાત અન્ય સહકારી આગેવાનોનો પરાજય થયો હતો.

ભાજપના ઉમેદવારો કુલ ચૌદમાંથી છ સીટ પર વિજેતા થયા હતા, જ્યારે અન્ય આઠ બેઠક પર અન્ય ઉમેદવારોનો વિજય થયો હતો. આ સંજોગોમાં ગત છ વર્ષથી ઊંઝા એપીએમસીના ચૅરમૅનપદે રહેલા દિનેશભાઈ પટેલનો દબદબો રહ્યો હતો. સામાન્ય રીતે સહકારક્ષેત્રે ચૂંટણી ન યોજવી પડે અને બિનહરીફ ચૂંટણી થાય તે માટે પ્રયાસો થતા હોય છે, પરંતુ ઊંઝા એપીએમસીની જાહેરાત સાથે સંઘર્ષનાં એંધાણ મળી ગયાં હતાં.

ભાજપમાં એક બાદ એક વિવાદ સામે આવી રહ્યા છે. આ દરમિયાન હવે વિવાદિત થયેલી ઊંઝા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનો વિવાદ શાંત થયો નથી. ચૂંટણી પત્યા બાદ હવે ઊંઝામાં પત્રિકા યુદ્ધ શરૂ થયું છે. ઊંઝામાં કમળની પાંખડીઓ તોડવામાં કોણ જવાબદાર ટાઇટલ સાથે પત્રિકા ફરતી થઈ છે. કટેગે તો બટેગે સૂત્ર ભાજપને જ ભારે પડ્યું હોવાનો પત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એપીએમસી ચૂંટણી મામલે પત્રિકા ફરતી થઈ છે. ભાજપનું મેન્ડેડ છતાં ચૂંટણી કેમ હાર્યા તેનો પત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

શું લખવામાં આવ્યું છે પત્રિકા

કમળની પાંખડીયો તોડવામાં કોણ જવાબદાર ! ભાજપના જૂના જોગીઓને સાઇડ લાઈન કરી નવા જોગીઓને જવાબદારી સોંપવાની પેરવી ભાજપને ભારે પડી કટેંગે તો બટંગે સુત્ર ભાજપને જ ભારે પડયું….!

ઊંઝા એટલે મા ઉમાનું પવિત્ર યાત્રા ધામ અને આ યાત્રા ધામની ખેડૂતોની ફસલથી પૈદા થયેલો પાક એશિયા ખંડની મોટામાં મોટી મંડી એટલે કે ઊંઝા ગંજબજારમાં વેપારીઓ દ્વારા વેપાર ચાલતો હોય અને સુખ સમૃધ્ધી ભોગવતું શહેર એટલે ઊંઝા શહેર. જૂની ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને હાલની ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં જમીન આસમાનનો ફરક છે.

તાજેતરમાં ખેત ઉત્પન્ન બજાર સમિતિ, ઊંઝાની ડિરેક્ટર પદની ચૂંટણીમાં ગ્રામ્ય અને શહેર તથા વેપારી મંડળના સભ્યોની ચૂંટણી થઈ તેમાં ભાજપમાંથી બળવો કરી ભાજપના મેન્ડેડ ઉપર ચૂંટણી લડેલા પાંચ ખેરખાઓ હારી ગયા. તે ભાજપની પડતીના નિશાન છે. જિલ્લા પ્રમુખ રાજગોર, ઊંઝા વિધાનસભાના ધારાસભ્ય કે. કે. પટેલ ધમ પછાડા કરીને જીતાડવા મહેનત કરી પણ બધુ પાણીમાં વહી ગયું. ભાજપ ઊંઝા શહેરના હોદ્દેદાર બળવો કર્યો તેમ છતાં હારી ગયા. તે બતાવે છે કે ભાજપની તાનાશાહી બર ન આવી. નગરપાલિકાના સભાસદોમાંથી એક સભાસદને ડિરેક્ટર પદ માટે મોકલવાના હોય છે તે માટે હાલની નગરપાલિકામાં જૂના કાર્યકરો અને વખતો વખત ચૂંટાઈ આવતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરને ન મૂકી ભાજપે મોટી ભુલ કરી દીધી છે.

જે પ્રિતેશ પટેલ ભ્રષ્ટ્રાચારથી ખરડાયેલો છે તેનો વિરોધ હોવાછતાં અને ઊંઝા નગરપાલિકાનો કારોબારી ચેરમેન હતો ત્યારે છબી ખરડાઈએલી હોવાછતાં તેને ચૂંટણી લડાવી તે જૂના કાર્યકરો માટે વજ્રઘાત સમાન સાબિત થઈ. કે. કે. પટેલ જૂથ, એમ.એસ. પટેલ જૂથ, અરવિંદ સોમા જૂથ, નારાયણ લલ્લુ જૂથ, ધમા મીલન જૂથ આ વગેરેનો ઝુડ ઉભરી આવ્યો અને મધપુડા સમાન આ ખુરશીઓ પ્રાપ્ત કરવા જતાં ગુજરાત લેતાં હવેલી ખોઈ તેવો ઘાટ સર્જાયો હતો. પ્રિતેશ માટે બધા જ કોર્પોરેટરોની ના હતી તેમ છતાં અરવિંદભાઈ અને એમ.એસ.એ ગંભીર ભૂલ કરી પક્ષનું ધોવાણ કરેલ છે. ટૂંકમાં આ ચંડાલ ચોકડીએ ભારતીય જનતા પાર્ટીના કમળની પાંખડીઓ ખેરવી નાખવામાં મહત્વની ભૂમિકા બજાવી છે.

ગામડાઓનું પ્રતિનિધિત્વ દૂર કરવા જૂની ઘસાઈ ગયેલી કેસેટો ને મેદાનમાં ઉતારી એ.પી.એમ.સી.ની ચૂંટણીમાં મેન્ડેડને અવગણી યશશ્વી વડાપ્રધાન મોદી સાહેબના ગઢમાં ગાબડુ પાડવાનો બાલીસ પ્રયાસ સિનિયર નેતાગીરીએ કર્યો છે અને અણ આવડત ઉભી કરી સંગઠનને ખૂબ મોટું નુકશાન કરેલ છે. સંગઠનનો ધરમૂળથી માળખું બદલી વફાદાર સૈનિકોને સુકાન સોંપવામાં નહિં આવે તો હજુપણ આગામી ચૂંટણીઓમાં ભયંકર આફત આવવાની તૈયારી કરવી પડશે. શહેર પ્રમુખ શૈલેષ પટેલ અને મહામંત્રી દિપક પટેલની તાનાશાહી ના કારણે સનિષ્ઠ કાર્યકરો ઓફિસે જતાં ગભરાય છે. તેમને તાત્કાલીક સસ્પેન્ડ કરો.

એ.પી.એમ.સીના પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલ એક વફાદાર સૈનિક તરીકે અગાઉની ધારાસભા અને લોકસભાની ચૂંટણીઓ લડાવી આસરે 1 કરોડ રૂપિયા જેટલું દાન આશાબેન પટેલ વખતે નગરપાલિકા ચૂંટણી લડતા નગર સેવકોને પુરૂ પાડ્યું હતું. તેમ છતાં તેમની અવગણના ભાજપને ભારે પડી. વોર્ડ નં. 9 અને 7 માં પણ અન્યાય થયો છે જે.પી. પટેલને બે નંબરમાં અન્યાય થયો છે. બીજો ભાગ હવે પછી આવતા વિકમાં રજૂ કરવામાં આવશે.

Related Posts

Vadodara: ST ડેપોમાં મહિલા કર્મચારીની દાદાગીરી, અન્ય મુસાફરોને ટિકિટ આપી પણ પોલીસ કર્મીને ન આપી
  • June 20, 2025

Vadodara: વડોદરા ST ડેપો ખાતે એક મહિલા કર્મચારીની દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં તેણે ગાંધીનગર જઈ રહેલા એક પોલીસકર્મીને ટિકિટ આપવાનો ઇનકાર કરી ફરજમાં રૂકાવટ ઊભી કરી. આ ઘટનાનો…

Continue reading
ચોમાસાનો રોમાંચ અનુભવો: પોળો ફોરેસ્ટની સફર, અમદાવાદથી માત્ર 150 કિમી દૂર | Polo Forest
  • June 20, 2025

Banaskantha, Polo Forest:  ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, અને કુદરતે પોતાની લીલી ચાદર ઓઢી લીધી છે. જો તમે વીકએન્ડમાં ચોમાસાની મજા માણવા માટે બજેટ-ફ્રેન્ડલી અને નજીકનું ડેસ્ટિનેશન શોધી રહ્યા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Vadodara: ST ડેપોમાં મહિલા કર્મચારીની દાદાગીરી, અન્ય મુસાફરોને ટિકિટ આપી પણ પોલીસ કર્મીને ન આપી

  • June 20, 2025
  • 2 views
Vadodara: ST ડેપોમાં મહિલા કર્મચારીની દાદાગીરી,  અન્ય મુસાફરોને ટિકિટ આપી પણ પોલીસ કર્મીને ન આપી

ચોમાસાનો રોમાંચ અનુભવો: પોળો ફોરેસ્ટની સફર, અમદાવાદથી માત્ર 150 કિમી દૂર | Polo Forest

  • June 20, 2025
  • 12 views
ચોમાસાનો રોમાંચ અનુભવો: પોળો ફોરેસ્ટની સફર, અમદાવાદથી માત્ર 150 કિમી દૂર |  Polo Forest

શું Sonam Raghuvanshi લેસ્બિયન છે? રાજા રઘુવંશીની માતાએ કહ્યું- જ્યોતિષીએ અત્યાર સુધી જે કહ્યું તે બધું સાચું પડ્યું

  • June 20, 2025
  • 7 views
શું Sonam Raghuvanshi લેસ્બિયન છે? રાજા રઘુવંશીની માતાએ કહ્યું- જ્યોતિષીએ અત્યાર સુધી જે કહ્યું તે બધું સાચું પડ્યું

chhotaudepur માં ફરી જોવા મળ્યો ‘ઝોળીદાર વિકાસ’, વધુ એક સગર્ભાને ઝોળીમાં લઈ જવી પડી

  • June 20, 2025
  • 9 views
chhotaudepur માં ફરી જોવા મળ્યો ‘ઝોળીદાર વિકાસ’, વધુ એક સગર્ભાને ઝોળીમાં લઈ જવી પડી

ટ્રેનની બારીએ બેસવા BJP ધારાસભ્યએ મુસાફરને માર મરાવ્યો, આ છે ભાજપનું સુશાસન?

  • June 20, 2025
  • 18 views
ટ્રેનની બારીએ બેસવા BJP ધારાસભ્યએ મુસાફરને માર મરાવ્યો, આ છે ભાજપનું સુશાસન?

  National Anthem Insult Case: રાષ્ટ્રગીતના અપમાનના કેસમાં CM નીતિશ કુમારને રાહત, જાણો સમગ્ર કેસ?

  • June 20, 2025
  • 24 views
  National Anthem Insult Case: રાષ્ટ્રગીતના અપમાનના કેસમાં CM નીતિશ કુમારને રાહત, જાણો સમગ્ર કેસ?