ઊંઝા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી પછી પત્રિકા યુદ્ધ! લખ્યું- કમળની પાંખડીયો તોડવામાં કોણ જવાબદાર

  • Gujarat
  • December 30, 2024
  • 0 Comments

ઊંઝા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ સતત વિવાદ સામે આવી રહ્યા છે. ભાજપના મેન્ડેડ મર્યા હોવા છતાં તેમના ઉમેદવારો હારી જવાના કારણે એક નવી જ ચર્ચા ઉભી થઈ હતી. હવે આ ચર્ચાએ પત્રિકા યુદ્ધ સુધી પહોંચી ગઈ છે. ઉલ્લેખનિય છે કે, વર્તમાન સમયમાં ભાજપ અને આરએસએસ વચ્ચે ટોચ લેવલે નારાજગી જોવા મળી રહી છે. તો ભાજપમાં હવે અંદરોદરના વિવાદ સપાટી ઉપર આવી રહ્યાં છે. ઊંઝા ભાજપમાં પત્રિકા યુદ્ધ શરૂ થતાં ખળભળાટ મચ્યો છે.

વિશ્વમાં જીરાના સૌથી મોટા જથ્થાબંધ બજાર તરીકે જાણીતી ઊંઝા એપીએમસીની રસાકસી ભરેલી ચૂંટણીમાં ભાજપની પેનલનો પરાજય થયો હતો. ઊંઝાની બેઠક પરથી ભાજપના ધારાસભ્ય કિરીટકુમાર પટેલ અને પાર્ટીએ જેમને ચૂંટણી લડવાનો મૅન્ડેટ આપ્યો હતો તેવા સાત અન્ય સહકારી આગેવાનોનો પરાજય થયો હતો.

ભાજપના ઉમેદવારો કુલ ચૌદમાંથી છ સીટ પર વિજેતા થયા હતા, જ્યારે અન્ય આઠ બેઠક પર અન્ય ઉમેદવારોનો વિજય થયો હતો. આ સંજોગોમાં ગત છ વર્ષથી ઊંઝા એપીએમસીના ચૅરમૅનપદે રહેલા દિનેશભાઈ પટેલનો દબદબો રહ્યો હતો. સામાન્ય રીતે સહકારક્ષેત્રે ચૂંટણી ન યોજવી પડે અને બિનહરીફ ચૂંટણી થાય તે માટે પ્રયાસો થતા હોય છે, પરંતુ ઊંઝા એપીએમસીની જાહેરાત સાથે સંઘર્ષનાં એંધાણ મળી ગયાં હતાં.

ભાજપમાં એક બાદ એક વિવાદ સામે આવી રહ્યા છે. આ દરમિયાન હવે વિવાદિત થયેલી ઊંઝા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનો વિવાદ શાંત થયો નથી. ચૂંટણી પત્યા બાદ હવે ઊંઝામાં પત્રિકા યુદ્ધ શરૂ થયું છે. ઊંઝામાં કમળની પાંખડીઓ તોડવામાં કોણ જવાબદાર ટાઇટલ સાથે પત્રિકા ફરતી થઈ છે. કટેગે તો બટેગે સૂત્ર ભાજપને જ ભારે પડ્યું હોવાનો પત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એપીએમસી ચૂંટણી મામલે પત્રિકા ફરતી થઈ છે. ભાજપનું મેન્ડેડ છતાં ચૂંટણી કેમ હાર્યા તેનો પત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

શું લખવામાં આવ્યું છે પત્રિકા

કમળની પાંખડીયો તોડવામાં કોણ જવાબદાર ! ભાજપના જૂના જોગીઓને સાઇડ લાઈન કરી નવા જોગીઓને જવાબદારી સોંપવાની પેરવી ભાજપને ભારે પડી કટેંગે તો બટંગે સુત્ર ભાજપને જ ભારે પડયું….!

ઊંઝા એટલે મા ઉમાનું પવિત્ર યાત્રા ધામ અને આ યાત્રા ધામની ખેડૂતોની ફસલથી પૈદા થયેલો પાક એશિયા ખંડની મોટામાં મોટી મંડી એટલે કે ઊંઝા ગંજબજારમાં વેપારીઓ દ્વારા વેપાર ચાલતો હોય અને સુખ સમૃધ્ધી ભોગવતું શહેર એટલે ઊંઝા શહેર. જૂની ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને હાલની ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં જમીન આસમાનનો ફરક છે.

તાજેતરમાં ખેત ઉત્પન્ન બજાર સમિતિ, ઊંઝાની ડિરેક્ટર પદની ચૂંટણીમાં ગ્રામ્ય અને શહેર તથા વેપારી મંડળના સભ્યોની ચૂંટણી થઈ તેમાં ભાજપમાંથી બળવો કરી ભાજપના મેન્ડેડ ઉપર ચૂંટણી લડેલા પાંચ ખેરખાઓ હારી ગયા. તે ભાજપની પડતીના નિશાન છે. જિલ્લા પ્રમુખ રાજગોર, ઊંઝા વિધાનસભાના ધારાસભ્ય કે. કે. પટેલ ધમ પછાડા કરીને જીતાડવા મહેનત કરી પણ બધુ પાણીમાં વહી ગયું. ભાજપ ઊંઝા શહેરના હોદ્દેદાર બળવો કર્યો તેમ છતાં હારી ગયા. તે બતાવે છે કે ભાજપની તાનાશાહી બર ન આવી. નગરપાલિકાના સભાસદોમાંથી એક સભાસદને ડિરેક્ટર પદ માટે મોકલવાના હોય છે તે માટે હાલની નગરપાલિકામાં જૂના કાર્યકરો અને વખતો વખત ચૂંટાઈ આવતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરને ન મૂકી ભાજપે મોટી ભુલ કરી દીધી છે.

જે પ્રિતેશ પટેલ ભ્રષ્ટ્રાચારથી ખરડાયેલો છે તેનો વિરોધ હોવાછતાં અને ઊંઝા નગરપાલિકાનો કારોબારી ચેરમેન હતો ત્યારે છબી ખરડાઈએલી હોવાછતાં તેને ચૂંટણી લડાવી તે જૂના કાર્યકરો માટે વજ્રઘાત સમાન સાબિત થઈ. કે. કે. પટેલ જૂથ, એમ.એસ. પટેલ જૂથ, અરવિંદ સોમા જૂથ, નારાયણ લલ્લુ જૂથ, ધમા મીલન જૂથ આ વગેરેનો ઝુડ ઉભરી આવ્યો અને મધપુડા સમાન આ ખુરશીઓ પ્રાપ્ત કરવા જતાં ગુજરાત લેતાં હવેલી ખોઈ તેવો ઘાટ સર્જાયો હતો. પ્રિતેશ માટે બધા જ કોર્પોરેટરોની ના હતી તેમ છતાં અરવિંદભાઈ અને એમ.એસ.એ ગંભીર ભૂલ કરી પક્ષનું ધોવાણ કરેલ છે. ટૂંકમાં આ ચંડાલ ચોકડીએ ભારતીય જનતા પાર્ટીના કમળની પાંખડીઓ ખેરવી નાખવામાં મહત્વની ભૂમિકા બજાવી છે.

ગામડાઓનું પ્રતિનિધિત્વ દૂર કરવા જૂની ઘસાઈ ગયેલી કેસેટો ને મેદાનમાં ઉતારી એ.પી.એમ.સી.ની ચૂંટણીમાં મેન્ડેડને અવગણી યશશ્વી વડાપ્રધાન મોદી સાહેબના ગઢમાં ગાબડુ પાડવાનો બાલીસ પ્રયાસ સિનિયર નેતાગીરીએ કર્યો છે અને અણ આવડત ઉભી કરી સંગઠનને ખૂબ મોટું નુકશાન કરેલ છે. સંગઠનનો ધરમૂળથી માળખું બદલી વફાદાર સૈનિકોને સુકાન સોંપવામાં નહિં આવે તો હજુપણ આગામી ચૂંટણીઓમાં ભયંકર આફત આવવાની તૈયારી કરવી પડશે. શહેર પ્રમુખ શૈલેષ પટેલ અને મહામંત્રી દિપક પટેલની તાનાશાહી ના કારણે સનિષ્ઠ કાર્યકરો ઓફિસે જતાં ગભરાય છે. તેમને તાત્કાલીક સસ્પેન્ડ કરો.

એ.પી.એમ.સીના પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલ એક વફાદાર સૈનિક તરીકે અગાઉની ધારાસભા અને લોકસભાની ચૂંટણીઓ લડાવી આસરે 1 કરોડ રૂપિયા જેટલું દાન આશાબેન પટેલ વખતે નગરપાલિકા ચૂંટણી લડતા નગર સેવકોને પુરૂ પાડ્યું હતું. તેમ છતાં તેમની અવગણના ભાજપને ભારે પડી. વોર્ડ નં. 9 અને 7 માં પણ અન્યાય થયો છે જે.પી. પટેલને બે નંબરમાં અન્યાય થયો છે. બીજો ભાગ હવે પછી આવતા વિકમાં રજૂ કરવામાં આવશે.

Related Posts

 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
  • October 28, 2025

Amreli: અમરેલીના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક વહેતી ધાતરવડી નદીમાં ન્હાવા જતા ચાર યુવાનો પાણીમાં ડૂબી ગયા હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. આ યુવાનો રાજુલા તાલુકાના બર્બટાણા ગામના રહેવાસી…

Continue reading
કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees
  • October 28, 2025

Kutch  Mangrove Trees: કચ્છ નજીક આવેલ પાકિસ્તાનના બોર્ડરના જંગલ વિસ્તારમાં મોટાપાયે મેન્ગ્રોવના વૃક્ષોનો નાશ થયો છે. સ્થાનિક લોકો અને વન વિભાગ કબૂલે છે અહીં વૃક્ષો ઓછા થયા છે. જો કે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

  • October 28, 2025
  • 2 views
 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

  • October 28, 2025
  • 8 views
કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!

  • October 28, 2025
  • 5 views
BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!

8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ

  • October 28, 2025
  • 14 views
8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ

Ahmedabad: લગ્ન પહેલા બ્લાઉઝ ના સીવી આપવો દરજીને ભારે પડ્યુ, 7 હજારનો ફટાકર્યો દંડ, જાણો સમગ્ર મામલો

  • October 28, 2025
  • 17 views
Ahmedabad: લગ્ન પહેલા બ્લાઉઝ ના સીવી આપવો દરજીને ભારે પડ્યુ, 7 હજારનો ફટાકર્યો દંડ, જાણો સમગ્ર મામલો

Jaipur Bus Fire accident: જયપુરમાં મોટો અકસ્માત! બસ હાઇટેન્શન વાયર સાથે અથડાઈ, 2 લોકોના મોત, અનેક ઘાયલ

  • October 28, 2025
  • 10 views
Jaipur Bus Fire accident: જયપુરમાં મોટો અકસ્માત! બસ હાઇટેન્શન વાયર સાથે અથડાઈ, 2 લોકોના મોત, અનેક ઘાયલ