Harsh Sanghvi: હવેથી ‘Love Marriage’માં માતાપિતાની સંમતિ ફરજિયાત રહેશે!ભાગીને લગ્ન કરવાર કપલે “માતાપિતા”ની સહમતિના પુરાવા આપવા પડશે!

  • Gujarat
  • February 21, 2026
  • 0 Comments

Harsh Sanghvi: એક દીકરી કે જેને માતાપિતા ખૂબજ પ્રેમ કરતા હોય છે અને તેના સારા ભવિષ્યના સપના જોતા હોય છે પણ જ્યારે દીકરી કોઈ અજાણ્યા ઇસમની ‘પ્રેમ જાળ’માં ફસાઈને નાદાન ઉંમરમાં ઘર છોડી ભાગી જાય ત્યારે આ દીકરીઓનું જીવન બરબાદ થઈ જતું હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે, કારણ કે નાદાન ઉંમરમાં તેનો નિર્ણય પરિપક્વ હોતો નથી અને છેલબટાઉ યુવાનો તેનો ફાયદો ઉઠાવે છે અને ઘણા કિસ્સામાં આવી દીકરીઓને પ્રેમજાળમાં ફસાવી મોજમજા કર્યા બાદ વેચી મારવામાં આવતી હોવાના કિસ્સા પણ વ્યાપક બન્યા છે તેવે સમયે દિકરીઓનું જીવન બરબાદ થતું અટકાવવા દીકરીઓ જે કોઈ નિર્ણય લે ત્યારે વાત લગ્ન સુધી પહોંચે તો માતાપિતાની સંમતિ અનિવાર્ય હોવાની ઉઠેલી માંગ બાદ આખરે સરકારે તે દિશામાં ઠોસ પગલું ઉઠાવ્યું છે જેને તમામ સમાજે આવકાર્યું છે કારણ કે તે તમામ સમાજની દીકરીઓ માટે સેફ કદમ હોવાનું માનવામાં આવે છે.

સમાજમાં પણ સારા છોકરા હોય છે અને બધું બરાબર હોય અને દીકરીની સંમતિ બાદ લગ્ન થઈ શકે છે અને તેનું જીવન સુખી બને છે તેવું સમાજના આગેવાનો નું માનવું છે, આનાથી સમાજ વ્યવસ્થા પણ જળવાય અને સમાજમાં ઘટતી જતી દીકરીઓની સંખ્યા વચ્ચે સમાજના અગ્રણીઓનું માનવું છે કે સમાજમાં લગ્ન થાય તે જરૂરી છે.

દીકરીઓ હવે આ રીતે બહારની જ્ઞાતિમાં લગ્ન કરે તો હવેથી લગ્નની નોંધણી સમયે વર-વધુએ માતા-પિતાને જાણ કરી છે કે નહીં તેનું ડિક્લેરેશન આપવાનું રહેશે, માતા-પિતાના આધાર કાર્ડ, સરનામું અને મોબાઈલ નંબર પણ આપવા પડશે.જે બાદ આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર દ્વારા 10 દિવસમાં માતા-પિતાને જાણ કરાશે.

લગ્ન નોંધણીની તમામ વિગતો ઓનલાઈન પોર્ટલમાં મૂકાશે જેમાં સિરિયલ નંબર, પેજ નંબર, વોલ્યુમ નંબરની વિગતો મૂકવામાં આવશે.

હર્ષ સંઘવીએ ગૃહમાં જણાવ્યું હતું કે CM ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કરવામાં આવી છે. ઘણી બધી સામાજિક સંસ્થાઓની રજૂઆતોને ધ્યાને રાખીને સરકાર એવા નિયમો બનાવવા માંગે છે કે જેથી કરીને સામાજિક માળખું જળવાઈ રહે અને કોઈ પણ પક્ષે અન્યાય ન થાય. લગ્ન નોંધણીની પ્રક્રિયામાં ડિજિટાઇઝેશન અને સ્થાનિક સાક્ષીઓની હાજરી જેવા મુદ્દાઓ પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

માત્ર કાયદાકીય પ્રક્રિયા નથી, પરંતુ સામાજિક વ્યવસ્થાને સુરક્ષિત રાખવાનો પ્રયાસ છે,હવે 30 દિવસમાં આવનારા સૂચનો બાદ સરકાર ‘માતા-પિતાની સંમતિ’ ને કાયદાકીય સ્વરૂપ આપશે તેમ કહેવામાં આવી રહ્યું છે.

સરકારે આ નિયમોમાં સુધારો કરવા માટે લોકશાહી અભિગમ મુજબ આગામી 30 દિવસ સુધી રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા લોકો પાસેથી વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યા છે. નાગરિકો આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઇટ પર પોતાના મંતવ્યો મોકલી શકશે, જેના આધારે નવા નિયમોને અંતિમરૂપ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દીકરીઓમાં વધેલા પ્રેમલગ્ન અને ત્યારબાદ પરિવારોમાં સર્જાતી અશાંતિ અને પીડામાં અનેક પરિવાર બરબાદ થઈ જતા હોય છે જે અંગે સામાજિક આંદોલન કરી સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હતું ખાસ કરીને પાટીદાર સમાજ સહિત અન્ય સમાજની સંસ્થાઓ દ્વારા માંગ હતી કે લગ્ન નોંધણી વખતે માતા-પિતાની સહી ફરજિયાત હોવી જોઈએ. લગ્ન જે તે સ્થાનિક વિસ્તારમાં જ નોંધવા અંગેની માંગ ઉપર સરકારે વિચાર કરી આખરે તે વાત ઉપર નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Mega Demolition: અમદાવાદ બાદ હવે રાજકોટમાં સૌથી મોટા ડિમોલિશનથી ફફડ્યા રહીશો! ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે “આશરો” તૂટશે!
  • February 21, 2026

■ રાજકોટના જંગલેશ્વર-નાડોદા નગરમાં લોકોને તેમના મકાનો ખાલી કરી દેવા જણાવતા ગરીબ પરિવારોમાં વ્યથા Mega Demolition: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના પટ્ટા તથા નગર રચના યોજના નં. 6…

Continue reading
Jignesh Mevani: જીગ્નેશ મેવાણીએ મહિલાઓને ‘કમલમ્’ ન જવાની સલાહ કેમ આપી? કારણ જાણી ચોંકી જશો!
  • February 20, 2026

Jignesh Mevani: કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ જન આક્રોશ રેલી દરમિયાન કરેલી વાતોના અંશો વાયરલ થઈ રહયા છે જેમાં તેઓએ ભાજપ માટે ગંભીર પ્રકારના આક્ષેપ કર્યા હતા. એપસ્ટિન ફાઇલ્સમાં નરેન્દ્ર મોદીના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Donald Trump: ટ્રમ્પે સુપ્રીમના ચુકાદા બાદ માત્ર 3 કલાકમાં ફરી 10 ટકા ટેરીફ લગાવ્યો! વિશ્લેષકો શુ કહે છે? જુઓ ખાસ ચર્ચા

  • February 21, 2026
  • 3 views
Donald Trump: ટ્રમ્પે સુપ્રીમના ચુકાદા બાદ માત્ર 3 કલાકમાં ફરી 10 ટકા ટેરીફ લગાવ્યો! વિશ્લેષકો શુ કહે છે? જુઓ ખાસ ચર્ચા

Parul University: પારુલ યુનિના બુઢ્ઢા સંચાલકે બીજા વર્ષમાં ભણતી સ્ટુડન્ટ ઉપર રેપ કર્યાની ઘટનાએ ભારે ધમાલ મચાવી હતી! ગેરકાયદે એડમિશન મામલે પણ યુનિ બદનામ થઈ હતી! જાણો સમગ્ર મામલો

  • February 21, 2026
  • 8 views
Parul University: પારુલ યુનિના બુઢ્ઢા સંચાલકે બીજા વર્ષમાં ભણતી સ્ટુડન્ટ ઉપર રેપ કર્યાની ઘટનાએ ભારે ધમાલ મચાવી હતી! ગેરકાયદે એડમિશન મામલે પણ યુનિ બદનામ થઈ હતી! જાણો સમગ્ર મામલો

BJP: રાજ્યના ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓ બાવા-સાધુઓના ચક્કરમાં ન પડે ! હિંદુત્વ ખતરામાં કે ભાવિ પેઢી ખતરામાં ? જુઓ ખાસ વિશ્લેષણ

  • February 21, 2026
  • 4 views
BJP: રાજ્યના ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓ બાવા-સાધુઓના ચક્કરમાં ન પડે ! હિંદુત્વ ખતરામાં કે ભાવિ પેઢી ખતરામાં ? જુઓ ખાસ વિશ્લેષણ

Mega Demolition: અમદાવાદ બાદ હવે રાજકોટમાં સૌથી મોટા ડિમોલિશનથી ફફડ્યા રહીશો! ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે “આશરો” તૂટશે!

  • February 21, 2026
  • 6 views
Mega Demolition: અમદાવાદ બાદ હવે રાજકોટમાં સૌથી મોટા ડિમોલિશનથી ફફડ્યા રહીશો! ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે “આશરો” તૂટશે!

Rahul Gandhi: રાહુલ ગાંધીએ AI સમિટને PR તમાશો ગણાવ્યો! થરૂરે કહ્યું, મોટા આયોજનોમાં ભૂલ થવી સામાન્ય છે!

  • February 21, 2026
  • 6 views
Rahul Gandhi: રાહુલ ગાંધીએ AI સમિટને PR તમાશો ગણાવ્યો! થરૂરે કહ્યું, મોટા આયોજનોમાં ભૂલ થવી સામાન્ય છે!

Harsh Sanghvi: હવેથી ‘Love Marriage’માં માતાપિતાની સંમતિ ફરજિયાત રહેશે!ભાગીને લગ્ન કરવાર કપલે “માતાપિતા”ની સહમતિના પુરાવા આપવા પડશે!

  • February 21, 2026
  • 9 views
Harsh Sanghvi: હવેથી ‘Love Marriage’માં માતાપિતાની સંમતિ ફરજિયાત રહેશે!ભાગીને લગ્ન કરવાર કપલે “માતાપિતા”ની સહમતિના પુરાવા આપવા પડશે!