
મધ્યપ્રદેશના શિવપુરીમાં ગુરુવારે એક મોટી દુર્ઘટના બની હતી. અહીં સેનાનું ફાઇટર એરક્રાફ્ટ અકસ્માતનો ભોગ બન્યું છે. રાહતની વાત એ છે કે કોઈનું મૃત્યુ થયું નથી. વિમાનમાં બેઠેલા બંને પાયલોટ ઘાયલ થયાના અહેવાલ છે.
અહેવાલો અનુસાર, આજે ગુરુવારે બપોરે નરવર તાલુકાના ડાબ્રાસાની ગામમાં સેનાનું ફાઇટર એરક્રાફ્ટ નિયંત્રણ બહાર ગયું અને એક ખેતરમાં ક્રેશ થઈ ગયું હતુ. ત્યારબાદ વિમાનમાં આગ લાગી ગઈ. ઘટના બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બે પાઇલટ્સને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. વિમાન દુર્ઘટનાના કારણો હજુ સુધી બહાર આવ્યા નથી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશના શિવપુરી નજીક આજે એક ટ્વીન-સીટર મિરાજ 2000 ફાઇટર એરક્રાફ્ટ નિયમિત તાલીમ માટે ઉડાન ભરી તે દરમિયાન ક્રેશ થયું હતું. અકસ્માતના કારણો શોધવા માટે આદેશ આપવામાં આવ્યો છે. જો કે દુર્ઘટના અંગે હજુ સુધી વધુ માહિતી મળી નથી.
આ પણ વાંચોઃ Junagadh: જૂનાગઢના બે ઉમેદવાર ભાજપમાં જોડાઈ ગયા, પણ ઘીના ઠામમાં ઘી ઢળે તેવી સ્થિતિ!