Maharashtra: ટ્રેન અકસ્માતમાં મૃત્યુઆંક 13 પર પહોંચ્યો, મુસાફરો એક ટ્રેનમાંથી કુદ્યા તો બીજી ટ્રેન નીચે કચડાયા

  • Gujarat
  • January 23, 2025
  • 3 Comments

મહારાષ્ટ્રના જલગાંવમાં બુધવારે થયેલા ભયાનક ટ્રેન અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો છે. જેમાંથી 8 મૃતદેહોની ઓળખ થઈ ગઈ છે. પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગી હોવાની અફવાથી મુસાફરો ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા. જેમાં સામે આવતી અન્ય ટ્રેન નીચે મુસાફરો કચડાઈ ગયા હતા. કર્ણાટક એક્સપ્રેસના ડ્રાઇવરે અહીં ટ્રેનની ગતિ ધીમી કરી હતી, તેમ છતાં વળાંકને કારણે તે લોકોને જોઈ શક્યો નહીં. જેથી લોકો ટ્રેન નીચે આવી ગયા હતા. અહેવાલો અનુસાર, વળાંકને કારણે, કર્ણાટક એક્સપ્રેસના ડ્રાઇવરે ટ્રેનની ગતિ 30 કિમી પ્રતિ કલાકથી ઓછી કરી દીધી હતી. PM નરેન્દ્ર મોદીએ આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. બે ડઝનથી વધુ મુસાફરો પણ હોસ્પિટલોમાં દાખલ છે. મુસાફરોના મૃત્યુઆંકમાં વધુ વધારો થઈ શકે છે.

આ અકસ્માત કેવી રીતે થયો?

વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર લખ્યું કે મહારાષ્ટ્રના જલગાંવમાં રેલ્વે ટ્રેક પર થયેલા દુ:ખદ અકસ્માતથી તેઓ દુઃખી છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરું છું અને તમામ ઈજાગ્રસ્તોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું. અધિકારીઓ અસરગ્રસ્ત લોકોને શક્ય તેટલી મદદ પૂરી પાડી રહ્યા છે. જલગાંવથી 20 કિમી દૂર તે સ્થળે જ્યાં કર્ણાટક એક્સપ્રેસે પુષ્પકના મુસાફરોને કચડી નાખ્યા હતા. તેની પાછળનું કારણ પણ સામે આવ્યું છે. જ્યા આ દુર્ઘટના સર્જાઈ ત્યાં ટ્રેક પર એક તીવ્ર વળાંક છે. આ કારણે, બીજા ટ્રેક પર બેઠેલા અને નીચે પટકાયેલા મુસાફરોને ખ્યાલ ન આવ્યો કે ટ્રેન આવી રહી છે. આ કારણોસર મુસાફરો ખસ્યા નહીં. જેથી કર્ણાટક એક્સપ્રેસે ટક્કર મારી હતી.

નિષ્ણાંતો અકસ્માત અંગે શું કહે છે?

ટ્રેન અચાનક ધીમી પડી ગઈ અને ટ્રેન નીચેથી ધુમાડો નીકળવા લાગ્યો. નિષ્ણાતો કહે છે કે અચાનક બ્રેક મારવાથી બ્રેક શૂ ઘસાઈ ગયું હતું. જેના કારણે ધુમાડો થયો. ટ્રેનમાં આગ લાગી છે એવું વિચારીને મુસાફરો ડરી ગયા અને તેમણે એલાર્મ ચેઇન ખેંચી. શું થયું તે જોવા માટે કેટલાક મુસાફરો ટ્રેનમાંથી ઉતર્યા. જ્યાં ટ્રેન ઉભી હતી, ત્યાં ટ્રેક લગભગ બે ડિગ્રી રાઉન્ડમાં છે. આ કારણે, મુસાફરો જોઈ શક્યા નહીં કે જે ટ્રેક પર તેઓ ઉભા હતા તે જ ટ્રેક પર કોઈ ટ્રેન આવી રહી છે. બીજી ટ્રેનના પાઇલટની પણ આવી જ હાલત હતી. તે પણ જોઈ શકતો ન હતો કે ટ્રેક પર આગળ શું હતું? સારી વાત એ હતી કે એલાર્મ ચેઇન પુલિંગ (ACP) પછી, પુષ્પક એક્સપ્રેસના પાયલોટે નિયમ મુજબ ટ્રેનની ફ્લેશર લાઇટ ચાલુ કરી દીધી હતી. કર્ણાટક એક્સપ્રેસના ડ્રાઇવરે આ જોયું અને ટ્રેનને બ્રેક મારવાનું શરૂ કર્યું. ટ્રેનની ગતિ ધીમી પડી ગઈ હતી. જો ટ્રેન તેની ગતિમાં હોત તો મૃત્યુઆંક વધી શક્યો હોત.

આ પણ વાંચોઃ Rajkot Murder Case: પતિએ પત્નીની કરી કરપીણ હત્યા, બે સંતાનો બન્યા નોંધારા

આ પણ વાંચોઃ BREAKING: ભાજપને ઝટકો, 100 જેટલા કાર્યકરોએ કમળ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો

 

 

Related Posts

 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
  • October 28, 2025

Amreli: અમરેલીના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક વહેતી ધાતરવડી નદીમાં ન્હાવા જતા ચાર યુવાનો પાણીમાં ડૂબી ગયા હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. આ યુવાનો રાજુલા તાલુકાના બર્બટાણા ગામના રહેવાસી…

Continue reading
કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees
  • October 28, 2025

Kutch  Mangrove Trees: કચ્છ નજીક આવેલ પાકિસ્તાનના બોર્ડરના જંગલ વિસ્તારમાં મોટાપાયે મેન્ગ્રોવના વૃક્ષોનો નાશ થયો છે. સ્થાનિક લોકો અને વન વિભાગ કબૂલે છે અહીં વૃક્ષો ઓછા થયા છે. જો કે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

  • October 28, 2025
  • 2 views
 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

  • October 28, 2025
  • 8 views
કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!

  • October 28, 2025
  • 5 views
BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!

8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ

  • October 28, 2025
  • 14 views
8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ

Ahmedabad: લગ્ન પહેલા બ્લાઉઝ ના સીવી આપવો દરજીને ભારે પડ્યુ, 7 હજારનો ફટાકર્યો દંડ, જાણો સમગ્ર મામલો

  • October 28, 2025
  • 17 views
Ahmedabad: લગ્ન પહેલા બ્લાઉઝ ના સીવી આપવો દરજીને ભારે પડ્યુ, 7 હજારનો ફટાકર્યો દંડ, જાણો સમગ્ર મામલો

Jaipur Bus Fire accident: જયપુરમાં મોટો અકસ્માત! બસ હાઇટેન્શન વાયર સાથે અથડાઈ, 2 લોકોના મોત, અનેક ઘાયલ

  • October 28, 2025
  • 10 views
Jaipur Bus Fire accident: જયપુરમાં મોટો અકસ્માત! બસ હાઇટેન્શન વાયર સાથે અથડાઈ, 2 લોકોના મોત, અનેક ઘાયલ