Maharashtra: ટ્રેન અકસ્માતમાં મૃત્યુઆંક 13 પર પહોંચ્યો, મુસાફરો એક ટ્રેનમાંથી કુદ્યા તો બીજી ટ્રેન નીચે કચડાયા

  • Gujarat
  • January 23, 2025
  • 3 Comments

મહારાષ્ટ્રના જલગાંવમાં બુધવારે થયેલા ભયાનક ટ્રેન અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો છે. જેમાંથી 8 મૃતદેહોની ઓળખ થઈ ગઈ છે. પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગી હોવાની અફવાથી મુસાફરો ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા. જેમાં સામે આવતી અન્ય ટ્રેન નીચે મુસાફરો કચડાઈ ગયા હતા. કર્ણાટક એક્સપ્રેસના ડ્રાઇવરે અહીં ટ્રેનની ગતિ ધીમી કરી હતી, તેમ છતાં વળાંકને કારણે તે લોકોને જોઈ શક્યો નહીં. જેથી લોકો ટ્રેન નીચે આવી ગયા હતા. અહેવાલો અનુસાર, વળાંકને કારણે, કર્ણાટક એક્સપ્રેસના ડ્રાઇવરે ટ્રેનની ગતિ 30 કિમી પ્રતિ કલાકથી ઓછી કરી દીધી હતી. PM નરેન્દ્ર મોદીએ આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. બે ડઝનથી વધુ મુસાફરો પણ હોસ્પિટલોમાં દાખલ છે. મુસાફરોના મૃત્યુઆંકમાં વધુ વધારો થઈ શકે છે.

આ અકસ્માત કેવી રીતે થયો?

વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર લખ્યું કે મહારાષ્ટ્રના જલગાંવમાં રેલ્વે ટ્રેક પર થયેલા દુ:ખદ અકસ્માતથી તેઓ દુઃખી છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરું છું અને તમામ ઈજાગ્રસ્તોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું. અધિકારીઓ અસરગ્રસ્ત લોકોને શક્ય તેટલી મદદ પૂરી પાડી રહ્યા છે. જલગાંવથી 20 કિમી દૂર તે સ્થળે જ્યાં કર્ણાટક એક્સપ્રેસે પુષ્પકના મુસાફરોને કચડી નાખ્યા હતા. તેની પાછળનું કારણ પણ સામે આવ્યું છે. જ્યા આ દુર્ઘટના સર્જાઈ ત્યાં ટ્રેક પર એક તીવ્ર વળાંક છે. આ કારણે, બીજા ટ્રેક પર બેઠેલા અને નીચે પટકાયેલા મુસાફરોને ખ્યાલ ન આવ્યો કે ટ્રેન આવી રહી છે. આ કારણોસર મુસાફરો ખસ્યા નહીં. જેથી કર્ણાટક એક્સપ્રેસે ટક્કર મારી હતી.

નિષ્ણાંતો અકસ્માત અંગે શું કહે છે?

ટ્રેન અચાનક ધીમી પડી ગઈ અને ટ્રેન નીચેથી ધુમાડો નીકળવા લાગ્યો. નિષ્ણાતો કહે છે કે અચાનક બ્રેક મારવાથી બ્રેક શૂ ઘસાઈ ગયું હતું. જેના કારણે ધુમાડો થયો. ટ્રેનમાં આગ લાગી છે એવું વિચારીને મુસાફરો ડરી ગયા અને તેમણે એલાર્મ ચેઇન ખેંચી. શું થયું તે જોવા માટે કેટલાક મુસાફરો ટ્રેનમાંથી ઉતર્યા. જ્યાં ટ્રેન ઉભી હતી, ત્યાં ટ્રેક લગભગ બે ડિગ્રી રાઉન્ડમાં છે. આ કારણે, મુસાફરો જોઈ શક્યા નહીં કે જે ટ્રેક પર તેઓ ઉભા હતા તે જ ટ્રેક પર કોઈ ટ્રેન આવી રહી છે. બીજી ટ્રેનના પાઇલટની પણ આવી જ હાલત હતી. તે પણ જોઈ શકતો ન હતો કે ટ્રેક પર આગળ શું હતું? સારી વાત એ હતી કે એલાર્મ ચેઇન પુલિંગ (ACP) પછી, પુષ્પક એક્સપ્રેસના પાયલોટે નિયમ મુજબ ટ્રેનની ફ્લેશર લાઇટ ચાલુ કરી દીધી હતી. કર્ણાટક એક્સપ્રેસના ડ્રાઇવરે આ જોયું અને ટ્રેનને બ્રેક મારવાનું શરૂ કર્યું. ટ્રેનની ગતિ ધીમી પડી ગઈ હતી. જો ટ્રેન તેની ગતિમાં હોત તો મૃત્યુઆંક વધી શક્યો હોત.

આ પણ વાંચોઃ Rajkot Murder Case: પતિએ પત્નીની કરી કરપીણ હત્યા, બે સંતાનો બન્યા નોંધારા

આ પણ વાંચોઃ BREAKING: ભાજપને ઝટકો, 100 જેટલા કાર્યકરોએ કમળ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો

 

 

Related Posts

Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર
  • April 30, 2025

Ahmedabad Chandola, Lake Demolition:  અમદાવાદના ચંડોળા તળાવ નજીક છેલ્લા 40 વર્ષથી રહેલાં લોકોના ઘરો-ઝુંપડાં તોડવાનું ગઈકાલ(29 એપ્રિલ) સાવારથી શરુ કર્યું છે. આજે બીજા દિવસે પણ ડિમોલેશનનું કામ ચાલું છે. 1…

Continue reading
China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ
  • April 29, 2025

China Restaurant Fire:  ચીનના લિયાઓનિંગમાં એક દુ:ખ દુર્ઘટના ઘટી છે. અહીં એક રેસ્ટોરન્ટમાં આગ લાગવાથી 22 લોકોના મોત થયા છે. આગમાં ભયંકર રીતે 3 લોકો દાઝી ગયા છે. આગ લાગવાના…

Continue reading

One thought on “Maharashtra: ટ્રેન અકસ્માતમાં મૃત્યુઆંક 13 પર પહોંચ્યો, મુસાફરો એક ટ્રેનમાંથી કુદ્યા તો બીજી ટ્રેન નીચે કચડાયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર

  • April 30, 2025
  • 6 views
Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

  • April 29, 2025
  • 13 views
China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

  • April 29, 2025
  • 24 views
Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

  • April 29, 2025
  • 29 views
Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

  • April 29, 2025
  • 28 views
MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

  • April 29, 2025
  • 37 views
TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?