Gandhiji: શુ ગાંધીજીનો ઇતિહાસ બદલવામાં આવી રહ્યો છે? જાણો, ચૂસ્ત ગાંધીવાદી હેમંત શાહે શુ કહ્યું

Gandhiji: મહાત્મા ગાંધીએ દેશ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું તેઓનું જીવન સાદગીથી ભરેલું હતું અને દેશ આઝાદ થયો ત્યાં સુધી અંગ્રેજો સામે અહિંસક આંદોલન ચલાવ્યું હતું પણ આજે તે ઇતિહાસને તોડી મરોડીને અલગ રીતે રજૂ કરવામાં આવી રહ્યો હોવાનું કહેવામાં આવી રહ્યુ છે ત્યારે આ અંગે The Gujarat Reportના સિનિયર પત્રકાર દીલીપ પટેલે આ અંગે ચુસ્ત ગાંધીવાદી અને લેખક હેમંત કુમાર શાહ સાથે વિસ્તૃત છણાવટ કરી હતી જે નીચે આપેલો વિડીયો જોવાનું ચૂકશો નહિ.

મહાત્મા ગાંધી ભારતીય સ્વતંત્રતા આંદોલનના મુખ્ય નેતા હતા, જેઓએ અહિંસા અને સત્યાગ્રહ દ્વારા બ્રિટિશ શાસનના પાયા હચમચાવી નાખ્યા હતા,ગુજરાતના પોરબંદરમાં જન્મેલા મોહનદાસ કરમચંદ ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં પણ નાગરિક અધિકારો માટે લડ્યા હતા ભારતમાં ચંપારણ, ખેડા, અસહકાર, અને દાંડીકૂચ જેવી ચળવળોથી બ્રિટીશરોને થકવાડી દીધા હતા અને દેશને આઝાદી મળી ત્યાં સુધી અહિંસક માર્ગ ઉપર આંદોલન કરતા રહયા જેના કારણે તેઓ “રાષ્ટ્રપિતા” અને “મહાત્મા” કહેવાયા.

● ગાંધીજીનો જન્મ અને પ્રારંભિક જીવન કેવું રહયુ?

ગાંધીજીનો જન્મ તા.2 ઓક્ટોબર 1869ના રોજ પોરબંદરમાં થયો હતો,ગાંધીજીના પિતાનું નામ કરમચંદ ગાંધી અને માતા પુતલીબાઈ હતા,ગાંધીજીના શિક્ષણની વાત કરવામાં આવે તો તેમણે રાજકોટ અને ભાવનગરમાં પ્રારંભિક ગ્રેજ્યુએશન સુધી શિક્ષણ મેળવ્યા બાદ કાયદાનો અભ્યાસ (બેરિસ્ટર) કરવા લંડન ગયા અને ત્યાં વકીલાત કરી,ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં રંગભેદ સામે (૧૮૯૩-૧૯૧૪) લડ્યા અને પ્રથમ વખત ‘સત્યાગ્રહ’ નામના અહિંસક આંદોલન અમલમાં લાવ્યા.

ત્યારબાદ ૧૯૧૫માં ગાંધી ભારત પરત ફરીને એક સન્યાસીની જેમ સાદગી ભર્યા જીવનનો પ્રારંભ કર્યો અને અમદાવાદમાં સાબરમતી આશ્રમની સ્થાપના કરી ત્યાંથી ભારતની આઝાદીની લડતનો પાયો નાખ્યો.

ગાંધીજીના ૧૯૧૭ ચંપારણ સત્યાગ્રહ ગળીના ખેડૂતો માટે પ્રથમ લડત બાદ ૧૯૧૮ ખેડા સત્યાગ્રહ ખેડૂતોની મહેસૂલ માફી માટે આંદોલન સહિત અસહકાર આંદોલનના ભાગરૂપે (૧૯૨૦-૨૨)બ્રિટિશ સંસ્થાઓનો બહિષ્કાર,દાંડીકૂચ (મીઠાનો સત્યાગ્રહ) ૧૯૩૦ મીઠાના કાયદાનો ભંગ,હિંદ છોડો આંદોલન (૧૯૪૨): “કરો યા મરો” નો નારો આપ્યો.ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણ, ખાદી, અને કોમી એકતા જેવા રચનાત્મક કાર્યો દ્વારા ભારતીય સમાજમાં સુધારા કર્યા. તેમના સત્ય અને અહિંસાના સિદ્ધાંતો આજે પણ વિશ્વભરમાં પ્રેરણારૂપ છે.

પૂજ્ય ગાંધીજીની મહાત્મા ગાંધીની હત્યા 30 જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ મધ્ય નવી દિલ્હીના બિરલા હાઉસના પરિસરમાં નથુરામ ગોડસેએ હત્યા કરી હતી ત્યારે હવે બદલાયેલા સમયમાં ગાંધીજીના ઈતિહાસ બદલવાનો પ્રયાસ કરાઈ રહ્યાની ચર્ચાઓ છે જે અંગે ગાંધીવાદી હેમંત કુમાર શાહ સાથે વિસ્તૃત જાણકારી આપી છે જાણો તેઓએ શુ કહ્યું? પ્રસ્તુત છે વિડીયો.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?
  • February 1, 2026

BJP: આજે જેઓ દેશના વડાપ્રધાન પદ શોભાવી રહયા છે તેવા નરેન્દ્રભાઈ મોદી પોતાના ગુરુ એવા ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના અગ્રણી નેતા અને સ્થાપક સભ્ય લાલકૃષ્ણ અડવાણી વડાપ્રધાન પદે બિરાજે…

Continue reading
Surat News: મહુવામાં 765 KV પાવર ગ્રીડની હાઈટેન્શન વીજ લાઈન મુદ્દે ખેડૂતો અને પોલીસ વચ્ચે બબાલ,જુઓ વિડીયો
  • January 31, 2026

Surat News: સુરત જિલ્લાના મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 765 KV પાવર ગ્રીડની હાઈટેન્શન વીજ લાઈન નાખવા સામે ખેડૂતોએ વિરોધ કરતા મામલો ગરમાયો છે,પાવર ગ્રીડની હાઈટેન્શન વીજ લાઈન પોતાના ખેતરોમાં નાખવા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Donald Trump: “અબજોપતિઓ”વિરુદ્ધ અનેક અશ્લીલ તસવીરો-વીડિયોના પુરાવા હોવાછતાં નવો કેસ નહીં થાય! “શુ કાયદા ગરીબો માટેજ બન્યા છે?”

  • February 2, 2026
  • 5 views
Donald Trump: “અબજોપતિઓ”વિરુદ્ધ અનેક અશ્લીલ તસવીરો-વીડિયોના પુરાવા હોવાછતાં નવો કેસ નહીં થાય! “શુ કાયદા ગરીબો માટેજ બન્યા છે?”

Gandhiji: શુ ગાંધીજીનો ઇતિહાસ બદલવામાં આવી રહ્યો છે? જાણો, ચૂસ્ત ગાંધીવાદી હેમંત શાહે શુ કહ્યું

  • February 2, 2026
  • 7 views
Gandhiji: શુ ગાંધીજીનો ઇતિહાસ બદલવામાં આવી રહ્યો છે? જાણો, ચૂસ્ત ગાંધીવાદી હેમંત શાહે શુ કહ્યું

World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

  • February 1, 2026
  • 6 views
World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

  • February 1, 2026
  • 12 views
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

  • February 1, 2026
  • 11 views
Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી   એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

  • February 1, 2026
  • 9 views
Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા