Mehsana: ચાંદચેટી પર નીતિન પટેલના વિવાદસ્પદ નિવેદનો, ‘સિંધી કોઈ ધર્મ નથી સંપ્રદાય છે’

Nitin Patel controversial speech in Mehsana: ચેટીચાંદએ સૌથી લોકપ્રિય સિંધી તહેવાર છે. જે ચૈત્ર મહિનામાં ચંદ્રના વેક્સિંગ તબક્કા દરમિયાન ઉજવવામાં આવે છે. સિંધી સમાજનું નવું વર્ષ પણ ગણવામાં આવે છે. મુખ્ય ઉત્સવની શરૂઆત ભગવાન ઝુલેલાલ પૂજાથી થાય છે. મહેસાણાના કડી શહેરમાં સિંધી સમાજ દ્વારા 29 માર્ચે સાંજે ચેટીચાંદ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહોત્સવામાં હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમણે ઘણા વિવાદસ્પદ નિવેદન આપ્યા છે.

નીતિન પટેલે 29 માર્ચ, 2025ના રોજ મહેસાણાના કડીમાં સિંધી સમાજના ચેટીચાંદ મહોત્સવ દરમિયાન  કહ્યું કે, “સિંધી કોઈ ધર્મ નથી, સંપ્રદાય છે. અખંડ ભારતના ભાગલા પડતાં તેઓ અહીં આવ્યા. મુસલમાનોએ જે અત્યાચાર કર્યા એ ભૂલવાના નથી. તેમનું ભૂત ગમે ત્યારે ધૂણે છે, જુઓ ઔરંગઝેબનું ભૂત ફરી ધૂણ્યું છે.” આ નિવેદનમાં તેમણે સિંધી સમાજના ઇતિહાસ અને ભારતના ભાગલા સમયે તેમના પર થયેલા અત્યાચારોનો ઉલ્લેખ કર્યો, જે મુખ્યત્વે પાકિસ્તાનમાંથી સ્થળાંતર કરીને આવેલા સિંધીઓના અનુભવો સાથે જોડાયેલો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “મહારાષ્ટ્રમાં મરાઠાઓ પણ તેનો કંઈક ઉપાય કરશે. આપણે સહકાર આપવાનો, માત્ર જોવું નહીં, જરૂર પડે તો મદદ કરવાની.” આ ટિપ્પણીમાં તેમણે મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ઔરંગઝેબ સાથે જોડાયેલા વિવાદો તરફ ઇશારો કર્યો હતો, જ્યાં તાજેતરમાં ઔરંગઝેબની કબર અને તેના ઐતિહાસિક કાર્યોને લઈને વિરોધ અને ચર્ચાઓ ચાલી રહી છે. નીતિન પટેલનો ઇશારો એવા સંદર્ભ તરફ હતો કે આવા મુદ્દાઓ સામે લડવા માટે સમાજે એકજૂટ થવું જોઈએ અને જરૂર પડે તો સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ.

ચાંદચેટી પર પૂર્વ મુખ્યમંત્રીના નિવેદન આપવા યોગ્ય?

નીતિન પટેલના નિવેદનમાં “મુસલમાનોનું ભૂત” અને “ઔરંગઝેબ” જેવા શબ્દોનો ઉપયોગ સમાજના એક વર્ગને નારાજ કરી શકે છે, કારણ કે તેને ધાર્મિક ધ્રુવીકરણ તરીકે જોવામાં આવી શકે. કેટલાક લોકોએ તેને રાજકીય લાભ માટે ભડકાઉ નિવેદન ગણાવ્યું, જ્યારે અન્ય લોકોએ તેને સિંધી સમાજની ભાવનાઓને વાચા આપતું નિવેદન માન્યું છે. ચેટીચાંદ એ સિંધી સમાજનો પવિત્ર તહેવાર છે, જે ભગવાન ઝૂલેલાલના જન્મદિવસની ઉજવણી તરીકે ઉજવાય છે. આ પ્રસંગે આવું નિવેદન આપવું એ સિંધી સમાજની ઐતિહાસિક પીડા અને એકતાને ઉજાગર કરવાનો પ્રયાસ હોઈ શકે, પરંતુ તેની રજૂઆતની રીત વિવાદાસ્પદ લોકોને લાગી રહી છે.

 

 

આ પણ વાંચોઃ   Jamnagar: રિક્ષાચાલકનું રહસ્યમય મોત: આંબેડકર બ્રિજ નીચેથી મળ્યો મૃતદેહ

આ પણ વાંચોઃ Vyara: બોલો અહીં ખેડૂતોએ ખેતરમાં જવા ટોલ ચૂકવવો પડે છે, ભારે વિરોધ (VIDEO)

આ પણ વાંચોઃ મુસ્લીમોના મિત્ર બનવા PM મોદીના પ્રયાસ કેમ?, સંજય રાઉતે કહ્યું આ ઢોંગ છે! | Saugat-E-Modi

આ પણ વાંચોઃ Rajkot: ન્યારી ડેમ પાસે અકસ્માતનો ભોગ બનેલા યુવકનું મોત, શું થયા આક્ષેપ?

Related Posts

Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!
  • February 3, 2026

Election: ગુજરાતમાં SIRની કામગીરી પહેલેથીજ વિવાદમાં રહી હતી અને ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ હવે ફાઈનલ મતદાર યાદી માટે તૈયારી વચ્ચે ચોક્કસ મતદારના નામ રદ કરવાના ઇરાદે ગુજરાતમાંથી 14.11…

Continue reading
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો
  • February 1, 2026

Civil hospital: ઉત્તર ગુજરાતમાં એક યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ યુવકને હડકવાના કોઈ લક્ષણ નહિ જણાતા યુવક એકદમ સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

  • February 3, 2026
  • 2 views
Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

  • February 3, 2026
  • 5 views
Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

  • February 2, 2026
  • 6 views
Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !

  • February 2, 2026
  • 6 views
Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !

Lok Sabha: ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું આક્રમક વલણ કહ્યું”માફી માંગો!”

  • February 2, 2026
  • 9 views
Lok Sabha: ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું આક્રમક વલણ કહ્યું”માફી માંગો!”

Air India: એર ઇન્ડિયાનું વધુ એક વિમાન ક્રેશ થતાં બચ્યુ! અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન AI171 જેવીજ સમસ્યા ધ્યાને આવતા પાયલોટ્સ ચોંકી ઉઠ્યા! દુર્ઘટના ટળી!

  • February 2, 2026
  • 9 views
Air India: એર ઇન્ડિયાનું વધુ એક વિમાન ક્રેશ થતાં બચ્યુ! અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન AI171 જેવીજ સમસ્યા ધ્યાને આવતા પાયલોટ્સ ચોંકી ઉઠ્યા! દુર્ઘટના ટળી!