Mehul Choksi: ભાગેડું મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ થઈ પણ ભારત ક્યારે લવાશે?

Mehul Choksi extradition: પંજાબ નેશનલ બેંક (PNB) માં 13,000 કરોડ રૂપિયાના છેતરપિંડીના આરોપી ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. ભારતીય તપાસ એજન્સીઓ દ્વારા પ્રત્યાર્પણની અપીલ બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. ચોક્સીની 12 એપ્રિલના રોજ ધરપકડ કરવામાં આવી હતી. 65 વર્ષીય મેહુલ ચોક્સી નવેમ્બર 2023માં સારવાર માટે બેલ્જિયમ ગયો હતો. ત્યારથી જ તે ત્યા હતો. ચોક્સી 2018 માં ભારત છોડી એન્ટિગુઆમાં જતો રહ્યો હતો. એવું કહેવાય છે કે ભારતીય નાગરિકતા જાળવી રાખીને મેહુલ ચોક્સીએ એન્ટિગુઆ અને બાર્બુડાની નાગરિકત્વ મેળવ્યું છે. જો તે હવે ભારતીય નાગરિક ગણાશે નહીં. ચોક્સીએ 2018માં ભારતીય પાસપોર્ટ (નંબર Z1933108) સરેન્ડર કરી દીધો હતો, જેના કારણે તે હવે ભારતીય નાગરિક નથી. ભારતીય કાયદા મુજબ, બીજા દેશનું નાગરિકત્વ લેવાથી ભારતીય નાગરિકત્વ આપોઆપ રદ થાય છે. જ્યારે તેની પત્ની પાસે બેલ્જિયમની નાગરિકતા છે.

મેહુલ ચોક્સીના વકીલ સિમોન બિકાયતે કહ્યું કે તેઓ પ્રત્યાર્પણને પડકારશે. કહ્યું કે અમે (ભારતમાં) પરિસ્થિતિ વિશે ગંભીર પ્રશ્નો પણ પૂછી રહ્યા છીએ. સિમોને કહ્યું કે અમે આગામી દિવસોમાં આ માટે જરૂરી પ્રક્રિયાઓ શરૂ કરીશું. અન્ય બાબતોની સાથે અમે દલીલ કરીશું કે અમારા ક્લાયન્ટને ભારતમાં ન્યાયી ટ્રાયલ મળી શકતી નથી.

ભારત લાવવામાં ક્યારે?:

મેહુલને ભારત લાવવા પ્રત્યાર્પણ પ્રક્રિયા લાંબી અને જટિલ છે. બેલ્જિયમની કોર્ટમાં કેસ ચાલશે, જેમાં ચોક્સીની ટીમ બે મુદ્દાઓ પર લડશે. રાજકીય કેસ: તેઓ દાવો કરે છે કે આ કેસ રાજકીય બદલાનો ભાગ છે. ચોક્સીના વકીલો ભારતની જેલોની સ્થિતિ અને તેના સ્વાસ્થ્ય (કેન્સરની સારવાર, PTSD)નો હવાલો આપીને વિરોધ કરશે.

પૂર્વ CBI ડિરેક્ટર એ.પી. સિંહે કહ્યું કે બેલ્જિયમમાંથી પ્રત્યાર્પણ ખૂબ જટિલ છે, કારણ કે ભારતે બેલ્જિયન કોર્ટને પુરાવા અને ન્યાયી ટ્રાયલની ખાતરી આપવી પડશે. જો ચોક્સી અપીલ કરે અને બેલ્જિયન કોર્ટમાં લડત લંબાવે. તો નિષ્ણાતો અનુસાર આ પ્રક્રિયામાં 1-3 વર્ષ લાગી શકે. મેહુલના વકીલો તેની બીમારી (કેન્સર, PTSD)ને કારણે પ્રત્યાર્પણ રોકવાનો પ્રયાસ કરે છે. જેથી હવે ભારત સરકારને લાંબા ગાળે તેને ભારત લાવવો શક્યો બની શકે છે. આ જ મુદ્દે વીડિયોમાં ચર્ચા જુઓ.

Related Posts

Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો
  • October 27, 2025

Chhath Puja in Delhi: આમ આદમી પાર્ટી(AAP) એ દિલ્હીમાં છઠ પૂજાને લઈને મોદી સરકારની પોલ ખોલી છે. પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે વાસુદેવ ઘાટ પર “ફિલ્ટર કરેલા પાણી” થી “કૃત્રિમ…

Continue reading
MP: મોહન યાદવ સરકારની વરિષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિતે પોલ ખોલી, જુઓ વીડિયો
  • October 16, 2025

MP Politics: મધ્ય પ્રદેશની મોહન યાદવ સરકારની વરિષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિતે પોલ ખોલી નાખી છે. અહીં મધ્ય પ્રદેશના ભોપાલમાં મુખ્યમંત્રી સાથે ધારાસભ્યના ઠેર ઠેર બનેરો લાગ્યા છે. જેની અરુણ દીક્ષિતે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…

  • October 27, 2025
  • 9 views
UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…

UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ

  • October 27, 2025
  • 4 views
UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ

ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

  • October 27, 2025
  • 6 views
ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ, 9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

  • October 27, 2025
  • 16 views
Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ,  9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

  • October 27, 2025
  • 10 views
Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

  • October 27, 2025
  • 23 views
LIC Exposure to Adani:  અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા?  68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?