
MGNREGA:મોદી સરકારે ‘મનરેગા’નું નામ બદલીને ‘જી રામ જી’ કરી દીધું તો હવે મોદીના કટ્ટર વિરોધી મનાતા મમતા બેનર્જીએ પોતાના રાજ્યની ‘જોબ ગેરંટી યોજનાનું નામ ‘કર્મશ્રી’ હતું તે બદલીને હવે ‘મહાત્મા-શ્રી’ કરી દીધું.મમતાના મતે ‘મહાત્મા ગાંધીના સન્માન સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં તેઓએ મોદી સરકાર પણ આડકતરો પ્રહાર કરતા જણાવ્યું કે”જો કોઈ મહાત્મા ગાંધીનું સન્માન કરવાનું ન જાણતું હોય તો હવે બંગાળ જણાવશેકે સાચું સન્માન કોને કહેવાય”
અત્રે ઉલ્લેખનીય છે કે બંગાળમાં ‘કર્મશ્રી’ યોજના વર્ષ 2024માં શરૂ કરાઈ હતી,આ યોજના રાજ્ય સરકારના ભંડોળથી ચાલે છે.આ યોજના હેઠળ 90 લાખથી વધુ જોબ કાર્ડ ધારકો લાભ લઇ રહ્યા છે,ગ્રામીણ પરિવારોને વર્ષમાં ઓછામાં ઓછા 50 દિવસ રોજગારીની ગેરંટી આપવામાં આવે છે,બંગાળ સરકારે 58 લાખ શ્રમિકોને 6919 કરોડ રૂપિયાની બાકી મજૂરીની ચૂકવણી પણ કરી છે.આ યોજનાનું નામ બદલીને મમતા સરકારે મહાત્મા-શ્રી’ કરી દીધું છે.
તેઓએ મોદી સરકાર દ્વારા મનરેગા (MGNREGA) યોજના, એટલે કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ, 2005નું નામ બદલવાના નિર્ણય સામે પોતાના રાજ્યમાં કર્મશ્રી’ યોજનાનું નામ બદલીને ‘મહાત્મા-શ્રી’ કરી દઈ મહાત્મા ગાંધીને સન્માન આપ્યું હોવાનું જણાવ્યું હતું.આમ,નામ બદલવાની જોરદાર હવા પ્રસરી છે.
આ પણ વાંચો:
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?









