ધોરણ 5 અને 8 માટે શિક્ષણ મંત્રાલયે શિક્ષા પોલિસીમાં કર્યો ફેરફાર; વિદ્યાર્થી પાસ થશે તો જ જશે આગળના ધોરણમાં

  • India
  • December 23, 2024
  • 0 Comments

શિક્ષણ જગતને લઈને શિક્ષણ મંત્રાલયે એક મોટો નિર્ણય કર્યો છે. આ નિર્ણય બાદ ધોરણ 5 અને ધોરણ 8ના વિદ્યાર્થીઓને વધારે મહેનત કરવી પડશે. તો સરકારી શાળાઓથી લઈને પ્રાઇવેટ શાળાઓની પણ મહેનત વધી શકે છે. કેમ કે વિદ્યાર્થીને હવે આગળના ધોરણમાં જવું હશે તો તેને મહેનત કરીને પાસ થવું જ પડશે. અત્યાર સુધી ધોરણ પાંચથી આઠ સુધીમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓને પણ પ્રમોશન આપીને આગળના ધોરણમાં વધારવામાં આવતા હતા. પરંતુ સરકારે તે પોલિસીમાં ફેરફાર કરી દીધો છે. આમ શાળા-વિદ્યાર્થીઓની સાથે-સાથે વાલીઓની પણ મહેનતમાં વધારો થઈ શકે છે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે શિક્ષણ પોલિસીમાં મોટો ફેરફાર કર્યો છે. મંત્રાલયે ‘નો ડિટેન્શન પોલિસી’ ખતમ કરી દીધી છે. આ નિર્ણય મુજબ હવે ધોરણ-5 અને ધોરણ-8ના અસફળ થનારા વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવશે. આ વિદ્યાર્થીઓને પોતે જે ધોરણમાં હતા, તે ધોરણ પાસ કરવા માટે વધુ એક તક અપાશે. આ નવી પોલિસીનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓની શીખવાની ક્ષમતામાં અને શૈક્ષણિક પ્રદર્શનમાં સુધારો કરવાનો છે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક પ્રદર્શનમાં સુધારો લાવવાના આશયથી ‘નો ડિટેન્શન પોલિસી’ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ પોલિસી અંગે ઘણા વર્ષોથી ચર્ચાઓ ચાલતી હતી, જોકે હવે નવા નિયમ મુજબ ધોરણ-5 અને ધોરણ-8ની વાર્ષિક પરીક્ષામાં અસફળ રહેનારા વિદ્યાર્થીઓને ફેલ કરવામાં આવશે.

વિદ્યાર્થીઓને બીજી તક અપાશે

ધોરણ-5 અને ધોરણ-8 માટેના નવા નિયમ મુજબ, નાપાસ થયેલા વિદ્યાર્થીઓને બે મહિનાની અંદર ફરી પરીક્ષા આપવાની તક અપાશે. આ પરીક્ષામાં પણ નાપાસ થશે તો તેમને આગામી ધોરણમાં પ્રમોટ કરવામાં નહીં આવે. આ સાથે સરકારે એવું પણ કહ્યું છે કે, ‘ધોરણ 8 સુધી કોઈપણ વિદ્યાર્થીને શાળામાંથી કાઢી મૂકવામાં આવશે નહીં.’

વિદ્યાર્થીઓના ભણતરમાં વધુ સુધારો કરવા નિર્ણય લેવાયો

શિક્ષણ મંત્રાલયના સચિવ સંજય કુમારે કહ્યું કે, વિદ્યાર્થીઓના ભણતરમાં વધુ સુધારો થાય તે હેતુસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે બાળકોમાં શિખવાની ક્ષમતામાં ઘટાડો રોકવા માટે આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો

Related Posts

Kamlesh Parekh Extradition: ₹2672 કરોડના બેંક કૌભાંડમાં મોટો બ્રેકથ્રૂ, UAEથી ભારત લાવવામાં આવ્યો ફરાર આરોપી કમલેશ પારેખ
  • May 2, 2026

Kamlesh Parekh Extradition: સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) ને આર્થિક ગુનાખોરી વિરુદ્ધની લડાઈમાં એક મોટી સફળતા મળી છે. વર્ષોથી ફરાર અને કરોડો રૂપિયાના બેંક કૌભાંડમાં સંડોવાયેલા આરોપી કમલેશ પારેખને સંયુક્ત…

Continue reading
Kapil Sibal: કપિલ સિબ્બલનો મોટો દાવો, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના સર્ક્યુલરને યોગ્ય ગણાવી TMCની દલીલ સ્વીકારી
  • May 2, 2026

Kapil Sibal: રાજ્યસભા સાંસદ અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે શનિવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની મતગણતરી અંગે મહત્વની સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટે મતોની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Kamlesh Parekh Extradition: ₹2672 કરોડના બેંક કૌભાંડમાં મોટો બ્રેકથ્રૂ, UAEથી ભારત લાવવામાં આવ્યો ફરાર આરોપી કમલેશ પારેખ

  • May 2, 2026
  • 4 views
Kamlesh Parekh Extradition: ₹2672 કરોડના બેંક કૌભાંડમાં મોટો બ્રેકથ્રૂ, UAEથી ભારત લાવવામાં આવ્યો ફરાર આરોપી કમલેશ પારેખ

Talaja Couple Murder Mystery: ભાવનગરના તળાજા સોની દંપતી મોત કેસમાં ચોંકાવનારો ખુલાસો, પૈસા માટે દીકરા-વહુએ જ કરી હત્યા

  • May 2, 2026
  • 4 views
Talaja Couple Murder Mystery: ભાવનગરના તળાજા સોની દંપતી મોત કેસમાં ચોંકાવનારો ખુલાસો, પૈસા માટે દીકરા-વહુએ જ કરી હત્યા

Kapil Sibal: કપિલ સિબ્બલનો મોટો દાવો, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના સર્ક્યુલરને યોગ્ય ગણાવી TMCની દલીલ સ્વીકારી

  • May 2, 2026
  • 8 views
Kapil Sibal: કપિલ સિબ્બલનો મોટો દાવો, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના સર્ક્યુલરને યોગ્ય ગણાવી TMCની દલીલ સ્વીકારી

Pawan Khera Supreme Court Bail: કોંગ્રેસ નેતા પવન ખેડાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, કહ્યું- આ બંધારણીય લોકશાહીની જીત

  • May 2, 2026
  • 10 views
Pawan Khera Supreme Court Bail: કોંગ્રેસ નેતા પવન ખેડાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, કહ્યું- આ બંધારણીય લોકશાહીની જીત

Banni Cheetah Project Gujarat: બન્નીના રણમાં ચિત્તાનું આગમન થશે, કરોડોનો ખર્ચ, પણ શું સુરક્ષા અને સફળતાની ગેરંટી છે?

  • May 2, 2026
  • 10 views
Banni Cheetah Project Gujarat: બન્નીના રણમાં ચિત્તાનું આગમન થશે, કરોડોનો ખર્ચ, પણ શું સુરક્ષા અને સફળતાની ગેરંટી છે?

All India Chemists Strike: ઓનલાઇન દવાઓના વેચાણ સામે 20મીએ દેશવ્યાપી કેમિસ્ટ્સ બંધ, 12 લાખથી વધુ મેડિકલ સ્ટોર્સ રહેશે બંધ

  • May 2, 2026
  • 10 views
All India Chemists Strike: ઓનલાઇન દવાઓના વેચાણ સામે 20મીએ દેશવ્યાપી કેમિસ્ટ્સ બંધ, 12 લાખથી વધુ મેડિકલ સ્ટોર્સ રહેશે બંધ