
Rana Balachoria Murder: પંજાબના મોહાલીના સોહાનામાં ચાલી રહેલી એક કબડ્ડી ટુર્નામેન્ટ દરમિયાન બાઇક પર આવેલા અજાણ્યા બદમાશોએ ખેલાડી કંવર દિગ્વિજય સિંહ ઉર્ફે રાણા બાલાચૌરિયા પર ગોળીબાર કર્યો હતો, ગોળીઓ વાગતા બાલાચૌરિયા તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા દરમિયાન આ હત્યાની જવાબદારી દવિંદર બંબીહા ગેંગે સ્વીકારી છે તેઓએ કહ્યુ, “આ સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો બદલો છે!”
ગોપી ઘનશ્યામપુરિયા નામના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી લખવામાં આવ્યું છે કે રાણા બાલાચૌરિયા લોરેન્સ બિશ્નોઈ ગેંગ માટે કામ કરતો હતો અને તેણે સિદ્ધુ મૂસેવાલાના હત્યારાઓ માટે રહેવાની વ્યવસ્થા કરી હતી અને તેની અમે હત્યા કરીને મૂસેવાલાની હત્યાનો બદલો લીધો છે.
હોસ્પિટલ વહીવટીતંત્રે જણાવ્યું હતું કે, “અમને તમને જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે 30 વર્ષીય કબડ્ડી ખેલાડી કંવર દિગ્વિજય સિંહ ઉર્ફે રાણા બાલાચૌરિયાને 15 ડિસેમ્બર, 2025 ના રોજ સાંજે 6:05 વાગ્યે ગોળી વાગવાથી ઈજાઓ સાથે મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા તેઓને તાત્કાલિક ક્લિનિકલ મૂલ્યાંકન છતાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ મુશ્કેલ સમયમાં અમે તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.”
મોહાલીના એસએસપી હરમનદીપ સિંહે જણાવ્યું હતું કે કબડ્ડી ખેલાડી રાણા નવાશહેરનો રહેવાસી હતો.
પંજાબના મોહાલી શહેરના બેદવાન સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત ચાર દિવસીય ટુર્નામેન્ટ દરમિયાન આજે (15 ડિસેમ્બર) આ ઘટના બની હતી જેની જવાબદારી બંબીહા ગ્રુપે સ્વીકારી છે તેઓના મતે રાણા બલાચૌરીયા લોરેન્સ બિશ્નોઈ ગેંગ માટે કામ કરતો હતો અને સિદ્ધૂ મૂસેવાલાના હત્યારાઓને તેણે આશરો આપ્યો હતો તેથી તેને મારીને અમે મૂસેવાલાની હત્યાનો બદલો લઈ લીધો છે.મોહાલી શહેરના મધ્યમાં બનેલી આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કર્યા છે.
આ પણ વાંચો:
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?









