MP Devusinh Chauhan બારેજા મેલડી ભૂવાના વખાણ કરવામાં ભૂલ્યા ભાન, હિંદુ સનાતન વેદોની કરી ટીકા

MP Devusinh Chauhan controversy: ખેડાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણના ગીતા અને વેદ વિશેના એક વિવાદાસ્પદ નિવેદનથી બ્રહ્મ સમાજમાં ભારે રોષ ફેલાયો છે. દેવુસિંહ ચૌહાણે  ખૂંખાર મેલડી બારેજા ધામમાં આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, “ગીતા અને વેદની વાતો અને કર્મકાંડ સમાજને બીજી દિશામાં દોરી જાય છે.” આ નિવેદનથી બ્રહ્મ સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી હોવાનું માનવામાં આવે છે, જેના કારણે વિરોધનો સૂર ઉઠ્યો છે.

દેવુસિંહ ચૌહાણએ શું કહ્યું?

આ વિવાદને લઈને દેવુસિંહ ચૌહાણે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે તેમના નિવેદનનો હેતુ બ્રહ્મ સમાજની લાગણીઓને દુભાવવાનો ન હતો. તેમણે દાવો કર્યો કે તેમના શબ્દોને ખોટી રીતે સમજવામાં આવ્યા છે અને મીડિયા દ્વારા તેને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યું છે. દેવુંસિંહ ચૌહાણે માફી માગવાનો પ્રયાસ કર્યો અને જણાવ્યું કે તેમનું નિવેદન ધાર્મિક ગ્રંથોનું અપમાન કરવા માટે નહીં, પરંતુ ચોક્કસ સંદર્ભમાં લોકોને ગેરમાર્ગે દોરવાની વાત કરવા માટે હતું. જોકે, આ સ્પષ્ટીકરણથી બ્રહ્મ સમાજનો રોષ સંપૂર્ણ શાંત થયો નથી, અને સમાજે તેમને સનાતન ધર્મ અને બ્રહ્મ સમાજની માફી માગવાની માગણી કરી છે.

બ્રહ્મ સમાજના આગેવાનોએ દેવુસિંહ ચૌહાણના નિવેદનની કરી નિંદા 

બ્રહ્મ સમાજના આગેવાનોએ દેવુસિંહ ચૌહાણના નિવેદનની નિંદા કરી છે અને તેમને જાહેરમાં માફી માગવા જણાવ્યું છે. આ નિવેદનને લઈને સમાજમાં નારાજગીનો માહોલ છે, અને કેટલાકે આને ધાર્મિક ગ્રંથોનું અપમાન ગણાવ્યું છે.આ વિવાદ દેવુસિંહ ચૌહાણની રાજકીય છબી અને બ્રહ્મ સમાજ સાથેના તેમના સંબંધો પર કેવી અસર કરશે, તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે. હાલમાં, આ મુદ્દે વધુ સ્પષ્ટતા અને હેમાંગ રાવલના સત્તાવાર નિવેદનની રાહ જોવાઈ રહી છે.

આ પણ વાંચોઃ 

Gujarat Weather Forecast: ચોમાસું ફરી સક્રિય થતા 6 દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ

Israel iran War: ઇઝરાયલે હમાસ કમાન્ડરને ઠાર માર્યો, 75 આતંકવાદી ઠેકાણાઓ પર કર્યો હુમલો

Journalist Ajit Anjum એ ખોલી વધુ એક પોલ, બિહારમાં મતદારોની જાણ બહાર ફોર્મ થયા સબમિટ

Earthquack News:ભારત સહિત ત્રણ દેશોમાં ભૂકંપના આંચકા, જાણો વિગતો

Vadodara: રજા પાડનાર વિદ્યાર્થીને શિક્ષકે લાફો મારતા કાનનો પડદો ફાટ્યો, શિક્ષકને શું સજા થઈ?

Dharma: દાનનો મહિમા, અંગરાજ કર્ણ દાનવીર કેવી રીતે કહેવાયા?

Uttar Pradesh: નકલી પોલીસ ગર્લફ્રેન્ડને મળવા ગયો, પરિવારે ઝડપ્યો અને પછી ફૂટ્યો ભાંડો

  • Related Posts

    SIR: ગુજરાતમાં લાખ્ખો મતદાતાઓના નામ કમી કરાવવામાં કોણ છે મુખ્ય સૂત્રધાર ? ગુનેગારો સામે ફોજદારી પગલાં કેમ ન ભરાયા? વાંચો
    • January 30, 2026

    SIR: ગુજરાતમાં ચોક્કસ મતદારોનાજ નામ કમી કરવા 9.88 લાખ ફોર્મ-7 કેમ-કોણે અને કેવી રીતે ભરાયા ? ચૂંટણી પંચ ખુલાસો કેમ કરતું નથી?ગંભીર ગૂનો આચરવામાં આવ્યો હોવાછતાં ફોજદારી કાર્યવાહી કેમ થતી…

    Continue reading
    Teen Driving: અમદાવાદમાં એક વર્ષમાં સગીર વાહનચાલકોમાં 500 ગણો વધારો; દેશમાં ગુજરાતના કિશોરો ગેરકાયદે વાહન ચલાવવામાં આગળ
    • January 27, 2026

    દિલીપ પટેલ Teen Driving : રાજ્યમાં સગીર વયના વાહન ચાલકોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે અને તેમાંય અમદાવાદ શહેરમાં એક જ વર્ષમાં સગીર વાહનચાલકોની સંખ્યા 500 ગણી વધી જતા…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

    • February 1, 2026
    • 4 views
    Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

    Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

    • February 1, 2026
    • 4 views
    Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

    BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?

    • February 1, 2026
    • 7 views
    BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?

    The Epstein File: “જેક્રી એપસ્ટેઇન ફાઇલ્સ”માં નરેન્દ્ર મોદીનું નામ ઉછળતા ખળભળાટ! એપસ્ટેઇનના ઇમેઇલમાં મોદીનો ઉલ્લેખ શુ સૂચવે છે?કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

    • February 1, 2026
    • 13 views
    The Epstein File: “જેક્રી એપસ્ટેઇન ફાઇલ્સ”માં  નરેન્દ્ર મોદીનું નામ ઉછળતા ખળભળાટ!  એપસ્ટેઇનના ઇમેઇલમાં મોદીનો ઉલ્લેખ શુ સૂચવે છે?કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

    Maharashtra News: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે સુનેત્રા પવારે લીધા શપથ ! શરદ પવારની સૂચક ગેરહાજરી!

    • January 31, 2026
    • 3 views
    Maharashtra News: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે સુનેત્રા પવારે લીધા શપથ ! શરદ પવારની સૂચક ગેરહાજરી!

    Surat News: મહુવામાં 765 KV પાવર ગ્રીડની હાઈટેન્શન વીજ લાઈન મુદ્દે ખેડૂતો અને પોલીસ વચ્ચે બબાલ,જુઓ વિડીયો

    • January 31, 2026
    • 8 views
    Surat News: મહુવામાં 765 KV પાવર ગ્રીડની હાઈટેન્શન વીજ લાઈન મુદ્દે ખેડૂતો અને પોલીસ વચ્ચે બબાલ,જુઓ વિડીયો