
Narendramodi: ઈરાન અને ઈઝરાયેલ/અમેરિકા વચ્ચેના સંઘર્ષની ભારત પર હવે ગંભીર અસરો પડવાનું શરૂ થઈ ચૂક્યું છે, એક તરફ સરકાર “સબ સલામત”નો દાવો કરે છે તો બીજી તરફ ખુદ વડાપ્રધાન સ્વીકારીને જાહેર કરી રહયા છે કે “કોરોના મહામારી” જેવી સ્થિતિ માટે રેડી થઈ જાવ.આમ,નિવેદનો અને સંકલનમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે.
ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઉછાળો આવતા હવે મોંઘવારીમાં વધારો અને શેરબજારમાં અસ્થિરતા સામેલ છે. હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માર્ગથી હાલમાં આવતો પર્યાપ્ત તેલ પુરવઠો દેશ માટે પૂરતો નથી તેની સીધી અસર ભારતીય અર્થતંત્ર, ઉડ્ડયન અને આયાત-નિકાસ ઉપર પડી છે,ગેસ-પેટ્રોલ-ડિઝલના ભાવો વધ્યા છે,કાળા બજાર થવા લાગ્યા છે.
હજુપણ દેશના કેટલાક શહેરમાં પેટ્રોલ પંપ ઉપર લાઈનો લાગી છે,સબંધિત વિભાગ તેને અફવા ગણાવી રહ્યું છે,ઘણી જગ્યાએ પેટ્રોલનો જથ્થો હોવાછતાં તેનો સંગ્રહ કરી અપાતું નહીં હોવાની પણ ફરિયાદો છે,કારણકે નજીકના સમયમાં ભાવો હજુપણ વધવાના છે જેનો ફાયદો મળી શકે.વરિષ્ઠ પત્રકાર મયુર જાનીએ આ મુદ્દે વિસ્તુત વિશ્લેષણ કર્યું છે જે પ્રસ્તુત છે,જુઓ વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!







