
Narendramodi: ઉન્નાવ રેપ કેસની પીડિતા સાથે પોલીસે કરેલા દુર્વ્યવહાર મામલે દેશભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર નામનો નેતા સગીર યુવતી ઉપર રેપ કરવાના ગુનામાં જેલમાં હતો જેને દિલ્હી હાઈકોર્ટે 23 ડિસેમ્બરે જામીન આપ્યા છે. તેના વિરોધમાં મોડી સાંજે રેપ પીડિતા યુવતી, તેની માતા અને એક્ટિવિસ્ટ યોગિતા ભયાના દિલ્હીમાં ઇન્ડિયા ગેટ સામે ધરણા પર બેસી ગયા અને તેઓ સેંગરના જામીનનો વિરોધ કરી રહ્યા હતા તેદ રમિયાન મોડીરાત્રે લગભગ 11:30 વાગ્યે પોલીસકર્મીઓએ તેમને બળજબરીથી ત્યાંથી ઉઠાવી લીધા ઘસડીને વાનમાં લઇ ગયા હતા આમ,એક રેપ પીડિતાને વિરોધ કરવાનો પણ હક્ક નથી ત્યારે ભાજપ સરકાર સામે અનેક સવાલો ઉભા થયા છે.
આ મુદ્દે સિનિયર પત્રકાર મેહુલ વ્યાસે સચોટ વિશ્લેષણ રજૂ કર્યું છે,જોવાનું ચૂકશો નહિ પ્રસ્તુત છે વિડીયો
આ પણ વાંચો:
Bauxite mineral theft: ખેડાના અમૃતપુરા ગામે 62 હેક્ટર ગૌચરની જમીનમાંથી કોલસો ખોદાશે!









