Narendramodi: ગુજરાતમાં નેનો કાર સહિત ઉદ્યોગોને નરેન્દ્ર મોદી દ્વારા અબજો રૂપિયાની લહાણી કરવામાં આવી હોવાનું વિશ્લેષકોનું માનવું છે.તેઓના મતે નેનો પ્રોજેકટતો ફેઈલ થઈ ગયો પણ મોદીજીએ ગુજરાતની જમીનો લૂંટાવી દીધાના આક્ષેપ લાગ્યા છે.મહત્વનું છે કે પશ્ચિમ બંગાળના સિંગુરમાં જમીન સંપાદન સામેના તીવ્ર રાજકીય વિરોધ અને ખેડૂતોના આંદોલનને કારણે ટાટાએ ૨૦૦૮માં નેનો પ્રોજેક્ટ ત્યાંથી હટાવવો પડ્યો હતો. મમતા બેનર્જીની આગેવાની હેઠળના વિરોધને કારણે રતન ટાટાએ આ પ્રોજેક્ટ બંગાળમાં પડતો મુકવો પડ્યો હતો ત્યારબાદ નરેન્દ્ર મોદીના સહયોગ બાદ ટાટા નેનો પ્રોજેક્ટ ગુજરાતના સાણંદમાં ખસેડાયો.કારની કિંમત રૂ.1 લાખ રાખી રતન ટાટાએ ભારતને સસ્તી કાર આપવાના પ્રયાસો કર્યા હોવા છતાં, વાણિજ્યિક રીતે નેનો સફળ ન રહી.
આ મુદ્દા ઉપર સિનિયર પત્રકાર દિલીપ દેસાઈએ વિસ્તૃત છણાવટ કરી હતી જે અત્રે પ્રસ્તુત છે.જુઓ વિડીયો.
આ પણ વાંચો:
Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા





